SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન શ્રીન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રંથાવલિના નવમા પુષ્પ તરીકે શ્રીજૈન સજઝાય સંગ્રહ નામને એક ગ્રંથ મેં સંવત ૧૯૯ માં પ્રસિદ્ધ કર્યો હતો, જે આજે છેલ્લા પાંચ વર્ષથી અપ્રાપ્ય છે, અને એકવીસમા પુષ્પ તરીકે “અપ્રગટ સક્ઝાય સંગ્રહ” નામને આ નાનો સંગ્રહ મને જનતા સમક્ષ મૂકતાં અનહદ આનંદ થઈ રહ્યો છે. એ માં પ્રસિદ્ધ કર્યો હતો. મને એક ગ્રંથ ચાલુ વર્ષના વૈશાખ માસમાં હું સહકુટુંબ પાનસર તીર્થમાં એક મહિને રહ્યો હતો તે વખતે, ત્યાં બિરાજમાન સ્વર્ગસ્થ પુણ્ય નામધેય આગદ્ધારક આચાર્યદેવ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના પટ્ટશિષ્ય શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજીના પૂજ્ય શિષ્ય શ્રીચારિત્રસાગરજી તથા પૂજ્ય શ્રીવિનયસાગરજી તથા પૂજ્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના શિષ્ય વ્યાખ્યાતા પૂજ્ય શ્રી ચંદ્રોદયસાગરજી તથા તેમના શિષ્ય શ્રીજિનેંદ્રસાગરજીના અવારનવાર પરિચયને લાભ મલતે હતું, તે દરમ્યાન આ ગ્રંથની પ્રેરણા આપનાર અને સક્કાના જીવંત સંગ્રહ સમા પૂજ્ય ગુરૂદેવ શ્રીચારિત્રસાગરજીની તથા પૂજ્ય શ્રી ચંદ્રોદયસાગરજીની પ્રેરણાથી આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું મેં નક્કી કર્યું હતું. આ ગ્રંથ માટે હું આજે નિવેદન લખું છું અને ગ્રંથપ્રસિદ્ધ થાય તે પહેલાં ગઈકાલે જ પૂજ્ય ગુરૂદેવ શ્રીચારિત્રસાગરજી અમદાવાદમાં જ કાલધર્મ પામ્યા છે, તે પણ કર્મરાજાની વિચિત્રતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy