________________
સાળવીની કથા
સ્ત્રીએ વિચાર કર્યો કેઃ “જ્યારે પુરુષ પાસે લક્ષ્મી વધે છે, ત્યારે તે પહેલાનાં મિત્ર, સ્ત્રી અને ઘર, એ ત્રણ વસ્તુઓને ત્યાગ કરે છે તે સત્ય છે, માટે જે આની પાસે લક્ષમી થશે તો તે જરૂર રૂપ, યૌવન તથા લાવણ્યથી મને હર સ્ત્રીઓ પરણશે, તેઓમાં લીન થઈ જશે અને મારું યૌવન વીતી ગએલું હોવાથી દાસીની માફક મને અપમાનિત કરીને તજી દેશે. તેથી માત્ર આજીવિકા જેટલું જ પ્રાપ્ત થાય તેવી માગણી કરાવું.”
આ પ્રમાણે વિચાર કરીને તેણે પતિને કહ્યું કે “હે પ્રિયતમ! આપણે મોટી રાજ્યલકમીનું શું કામ છે? તમે શાળ ચલાવીને શરીર સારું હોય ત્યારે બે સેના મહેર પેદા કરે છે, તે તેના કરતાં દેવ પાસે તમારું શરીર બમણું થાય તેવી માગણી કરો.”
તે મૂર્ખ સાળવી પણ તે જ પ્રમાણે કબુલ કરીને દેવની પાસે ગયે અને કહ્યું કેઃ “મારું શરીર છે તે કરતાં બેવડું થાય તેમ કરે.” તે પ્રમાણે તેનું શરીર બેવડું થયું, અને તે વનમાંથી ઘર તરફ ચાલ્યો. જ્યારે કિલાના દરવાજા પાસે આવ્યું, ત્યારે તેને જોઈને લેકે એકઠા થઈ ગયા અને કહેવા લાગ્યા કે “અરે આશ્ચર્ય! આશ્ચર્ય! આ કેઈ વિકૃત આકૃતિવાળે રાક્ષસ નગરના લેકેને ખાવા માટે આવે છે, માટે તેને મારી નાખે, મારી નાખે.” પછી એકઠા થએલા લોકોએ લાકડી, મુઠી, પાષાણ વગેરે વડે તેને કુટી કુટીને મારી નાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org