________________
૩૫
મૂદ બ્રાહ્મણની કથા નહિ, તેમ કરીશ તે તે કંથા ઉડી જશે.” તે કંથા લઈને બ્રાહ્મણે નગરમાં પ્રવેશ કર્યો.
લોકેએ તેને પૂછયું કેઃ મહારાજ ! માથા ઉપર આ શું લઈને આવ્યા?” એટલે દેવતાએ આપેલી તે કંથા તે બધા લોકોને દેખાડવા લાગ્યો.
લોકેએ કહ્યું કે સ્મશાનમાંથી તું આ લા છું, તેથી જરૂર તેને અનર્થ થશે.” આ પ્રમાણે બેલતા લોકો તે કથા જેવા માટે ખટપટ કરવા લાગ્યા. તે સમયે હૃદયની દુર્બળતાને લીધે બ્રાહ્મણે તે કંથા પહોળી કરી.
જેવી તે કંથા પહોળી કરી કે તરત જ તે ઉડીને આકાશમાં ચાલી ગઈ. બ્રાહ્મણ તે તેવીને તેવી દરિદ્ર અવસ્થામાં ઘેર પાછો આવ્યો. ઘરવાળીએ આવી રીતે ખાલી હાથે તેને આવતે જોઈને પગ દેવાનું વાસણ તેના માથામાં મારી ઘરમાંથી કાઢી મૂક્યા,
લોકોના વચન ઉપર બહુ વિશ્વાસ રાખી પિતાનો સ્વાર્થ ઘણા માણસો બગાડે છે. લોકો તો અનેક રીતે બોલનાર હોય છે માટે દરેક માણસે પોતાના સ્વાર્થનો વિચાર કરીને વર્તન રાખવાની જરૂર છે.
32.
ગ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org