________________
કથામંજરી એક વખતે રાજાએ દરબારમાં કહ્યું કે “અહે! આ દુનિયામાં વિદ્યા બળવાન છે.” વિવિધ પ્રકારના સુભાષિતાદિ અમૃતરસ વડે કર્ણને આનંદ પમાડતા, જે પંડિત જનના દિવસે સુખેથી પસાર થાય છે તેના જનમ અને જીવિત સફળ છે, અને તેનાથી જ પૃથ્વી શોભે છે; પંડિતાઈ વગરના વિવેક શૂન્ય પશુ જેવા લોકે આ જગતમાં શું ઉપગના છે?”
તે સાંભળીને મધુર, અને સત્યવાણીથી મંત્રી બે કેઃ સ્વામિન્ ! વિદ્યા માટે આપણું આ કહેવું સત્ય છે, પરંતુ તે બધું વ્યવહારના જ્ઞાન વિના નકામું છે.” “વ્યવહારજ્ઞ માણસ એક ક્ષણવારમાં જે કાર્ય સિદ્ધ કરી શકે છે, તે માત્ર એકલી વિદ્યાથી જડ થએલે માણસ હજારો કષ્ટ સહન કરતાં પણ સિદ્ધ કરી શકતો નથી.”
વળી કવિતાથી તેને રસાસ્વાદ જુદે છે, રૂપથી લાવણ્ય જુદું છે, નૃત્યથી ભાવ જુદા છે, તેવી જ રીતે અભ્યાસ કરતાં વ્યવહારપણું જુદું જ છે. જે મહારાજને આ વાતને વિશ્વાસ ન આવતું હોય તે, આપણા આ નવ શિક્ષિત ચારે છેકરાઓને કેઈક કાર્ય સંપા. જે જડપણાથી તેઓ તે કાર્ય બગાડે નહિ, તે પછી હું મહારાજના સિંહાસન પાસે કદી પણ બેસીશ નહિ.”
આ પ્રમાણે સાંભળીને ચારે કુમારને બોલાવીને રાજાએ કહ્યું કેઃ “અરે પુત્રો!. આ પાસે રહેલા નારંગપુર ગામમાંથી મારા હુકમથી બે હજાર તોલા સોનું ત્યાંના અધિકારી પાસેથી લઈ આવે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org