________________
૨૮૪
શ્રી જેન નિત્ય
સેળ પ્રહર દઈ દેશના, કંઠ વિવર વરતુલ; મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. હે દયાનિધિ ભગવન !
કો ગારુડીને મનોહર મેરલીનાદ ભયંકર વિષધરને પણ શાંત કરી તેને ડોલાવે છે તેમ હે પ્રભુ! સમવસરણમાં બિરાજેલ આપના કંઠમાંથી નીકળતો, માલકેશરાગભર્યો,
જનગામી મધુર ઉપદેશધ્વનિ ભલભલા પાપી આત્માને શાંત કરી દે છે. પ્રભુ! આપના કંઠમાંથી નીકળતી એ કરુણાભરી દેશનાએ સંસારનાં દુ:ખાથી સંતપ્ત પ્રાણીઓ ઉપર અમીના છાંટણાં છાંયાં છે. નાથ ! એ દેશનાના તાંતણે રોહિણેય સમા અનેક અધમ આત્માઓને નિસ્તાર થયે છે. પ્રભુ ! આપના કંઠમાંથી નીકળતા એ દેશના ધ્વનિને હું ભાવપૂર્વક વંદન કરું છું ! Jai Education Interna memantate & Personal Use Dialy.jainelibrary.org