________________
પાઠ સંગ્રહ
તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલકસમા પ્રભુ, ભાલ તિલક જયવંત. હે દેવાધિદેવ !
ગ્રીમના મધ્યાન્હ સમયના તાપથી સંતપ્ત થયેલ પ્રાણી જેમ કોઈ તરુવરની શીતળ છાયા શોધે છે તેમ સંસારના ત્રિવિધ તાપથી દુઃખી થયેલ પ્રાણ પિતાના ઈષ્ટદેવનું શરણ શેળે છે. અને એ શરણું મળતાં પરમશાતા પામે છે. પ્રભુ ! દીન દુઃખી અને સંસારમાં રડવડતા પ્રાણીઓના શરણરૂપ આવા ઈષ્ટદેમાં આપ શિરોમણિ રૂપ છે.
પ્રભુ ! પૂર્વે આરાધેલ તપ, ત્યાગ અને સંયમના બળે તીર્થંકર પદવીની સમૃદ્ધિ આપે મેળવી છે. એ સમૃદ્ધિએ દેવતાઓ, દેવેન્દ્રો, નરેન્દ્રો અને મેગીન્દ્રોને ભક્તિઘેલા બનાવ્યા Jain Education Internatorativate & Personal Use Dinly.jainelibrary.org