________________
સિદધાચલજી યાત્રાના સ્થળે
૮૧
(૪) નંદીશ્વર દ્વિપ અથવા ઉજમફઈની ટૂંક: ૧૮૯૩
અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને ફઈ ઉજમબાઈ હતા. તેમણે આ ટુક બંધાવેલી હોવાથી ઉજમફઈની ટુંક કહેવાય છે. વળી ત્યાં નંદીશ્વર દ્વિપ બનેલા હોવાથી તેનું નામ નંદીશ્વર દ્વિપ પણ પ્રખ્યાત છે. (૫) હેમાવાહી : નિર્માણ સં. ૧૮૮૨ી
અમદાવાદના એક વખતના નગર શેડ હેમાભાઈ એ આ ટુંક બંધાવી છે તેથી તેને હેમાવાહી નામ આપેલ છે. (૬) દીની ટુંક અથવા પ્રેમ વસહી સં. ૧૮૪૩]
રાજનગરના ધનાઢય વેપારી મંદી પ્રેમચંદ લવજીએ આ ટુંક બનાવી હતી, તેથી તેની અટક પરથી મેંદીની ટુંક કહેવાય છે અને નામ ઉપરથી પ્રેમાવાસડી કહે છે. (૭) બાલાવસહી : [નિર્માણ સં. ૧૮૯૩]
ઘોઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ આ ટુંક બંધાવી છે. તેનું હુલામણું નામ બાલાભાઈ હતું. તેથી આ ટુંકને બાલાભાઈની ટુંક અથવા બાવાવસડી કહેવાય છે. (૮) મેતીશા શેડની ટૂંક : [નિર્માણ સં. ૧૮૯૩]
શેઠ મોતીચંદ અમીચંદે આ ટુંક બંધાવેલી હોવાથી તેને મોતીશા શેઠની ટુંક કહે છે. . (૯) મુખ્ય અથવા પહેલી દાદાની દુક :
શ્રી આદિશ્વર દાદાના નામથી જ તેની ઓળખ અપાય છે, તેથી દાદાની ટુક કહેવાય છે. આ ટુંક જ મુખ્ય ટુંક ગણાય છે. બાકીની આઠે ટુંક તેના પરિવાર સ્વરૂપ છે.
U – [] – 3 –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org