________________
-
-
૭૪
સિદ્ધાચલને સાથી સ્વામી પુંડરિક ગણધરના પરિવાર સહિત સિદ્ધાચલજી પધાર્યા ત્યારે બાર પર્ષદા મચે સિદ્ધાચલને મહિમા વર્ણવ્ય. બધા તીર્થો કરતા આ તીર્થને મહિમા સવાલાખ ગણે છે.
વિહાર કરતી વેળા પુંડરિક સ્વામીજીને ભગવતે જણાવ્યું કે તમે અને તમારે પરિવાર અહીં જ રહો. તમને બધાને તીર્થના પ્રભાવે કેવળજ્ઞાન થવાનું છે વળી તમારી આરાધનાથી તીર્થને મહિમા પણ વધશે.
શ્રી પુંડરિક સ્વામીએ પરિવાર સહિત ત્યાં સ્થિરતા કરી. આરાધના કરતા કેવળજ્ઞાન પામ્યા. એક માસની અંતિમ
લેખના કરી પાંચ કરોડ મુનિ સામે ચૈત્રી પૂનમે મેસે ગયા. તેથી જ તેનું પુંડરિક ગિરિ નામ પ્રસિદ્ધ થયું. (૧૭) અંગારશા પીર :
હનુમાન ધારાથી નવટુંકના રસ્તે ચાલતા નવટુંકની બારી ન આવે. ત્યાં ડાબા હાથ તરફ અંગારશા પીરનું સ્થાનક છે.] - આ અંગે દંતકથા એવી છે કે–મુસલમાની યુગમાં કઈ વિચારક પુરુષએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીં દરગાહ કરાવી હોય.
વળી એવી પણ દંતકથા છે કે – શાહબુદીન ઘેરીના વખતમાં હીજા નામને થાણેદાર હતો. તેનું બીજું નામ અંગારશાહ હતું - તે એક વખત ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયો, ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારો ભમરા છૂટયા અને અંગારશાને ચોટી પડ્યા. આથી અંગારશા ચી પાડતે ભાગે તે સંપ્રતિ મહારાજાના દહેરાસર પાસે આવતાં ચોપાટ પડી ગયો અને મરણ પામ્યું. તે અવગતિએ જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org