________________
O કાળા બિંદુવાળા સ્થાપનાજી હોય તો - ચિંતવેલ કામ થાય, ભય ન લાગે, 0 એક આવર્તવાળા સ્થાપનાજી લોહીવા મટાડે, બે આવર્તવાળાથી ઉંદરની ઝેર ઉતરે, ત્રણ આવર્તવાળા આનંદ આપનાર
થાય, ચાર આવર્તવાળા સર્વનાશ કરે, પાંચ આવવાળા ભયનો નાશ કરે, છ આવર્તવાળા રોગને ઉત્પન્ન કરે, સાત આવર્તવાળા ઉત્તમ કહેવાય. સ્થાપનાજીની કસોટી કઈ રીતે કરવી? સાંજે કોરા કોળીયામાં દૂધ ભરવું, તેમાં સ્થાપનાજી ડૂબાડવા. સવારે જોતા જો-દૂધમાં લાલ છાયા દેખાય તો ધનવૃદ્ધિ થાય, કાળી છાયા દેખાય તો ઝેર શમે, પીળી છાયા દેખાય તો તેના વડે કમળો, આમવાત મટે, રાજમાં માન મળે, નીલી છાયા દેખાય તો તાવ, પિત્ત, આંખનો રોગ મટે, જો દૂધ વિતરણ થાય તો શુળરોગ મટાડે, જો દૂધ જામી જાય તો અતિસાર મટાડે.
વર્ધમાન વિદ્યા- ઓમ નમો ભગવઓ અરહઓ સિઝલ મે ભગવાઈ મહઈ મહાવિજા વીરે મહાવીરે જયવીરે સણવીરે વદ્ધમાણ વીરે જયંતે અપરાજિએ સ્વાહા
(-શ્રી મહાનિશીથ સૂત્ર)
(૧૫૫)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org