________________
ગાંધીજીનું સાહિત્ય એ ત્રણેનું બળ મળ્યું અને શિક્ષણ ક્ષેત્રે ધૂણી ધખાવી. ૧૯૩૯થી વલભવિદ્યાલય દ્વારા આ કામના શ્રી ગણેશ કર્યા અને આજ સુધી તેમાં જ રચ્યા પચ્યા રહીને કદી નિરાશ થયા વગર પાયાના એ શિક્ષણ કામને જ વળગી રહ્યા છે. છેક શરૂથી આજ સુધીમાં શિક્ષણના વિવિધ ક્ષેત્રે તેમની કામગીરી નેંધપાત્ર છે. વિઠલ કન્યા વિદ્યાલયને મંત્રી તરીકે સર્વોદય યોજનાના સંચાલક તરીકે, સેવા સમાજના મંત્રી તરીકે આદિવાસી સેવા સમિતિના પ્રમુખ તરીકે મહીકાંડા સેવા મંડળના પ્રમુખ તરીકે, અને આરોગ્ય મંત્રી તરીકે તેમની સેવાઓ જાણીતી છે. જૂદા જૂદા સમયે જૂદી જૂદી જગ્યાએ કરેલા કામની સુવાસથી આજે પણ લોકો તેમને યાદ કરે છે. શિક્ષણ તથા ગાંધીજીના વિચાર પ્રચારને લગતા ઘણુ પુરતકે તેમણે પ્રગટ કર્યા છે. શિક્ષણ સાહિત્યની પ્રવૃત્તિ એને હમેશા તેમણે પ્રેસાહન પણ આપ્યું છે.
સ્વ. શ્રી ડો. શ્રીકાન્ત દોશી
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ લનમાં ઝંપલાવ્યું. યોગ વિદ્યા પ્રત્યે પરમ આકર્ષણ હોવાથી ૧૯૩૨ માં તેઓ શ્રી અરવિન્દ આશ્રમમાં રહ્યા શ્રી અરવિન્દને ચરણે બેસી એમણે સાધના કરી.
એમની આ ગની સાધના એકાંતિક ન હતી. વસુદૌવ કુટુંબકમની એમની ભાવના હોવાથી ભારતના ભાગલા પડ્યા ત્યારે નિરાધાર અને કુટુંબના સભ્યોને કરૂણ રીતે ગુમાવી બેઠેલા નિરાશ્રિતોની વચ્ચે તેઓ પંજાબમાં અને કાશ્મીરમાં રહ્યા. કાશ્મીરની પ્રજાએ એમના આ સેવાભાવી કાર્યની મુક્ત મનથી પ્રશંસા કરી છે, ગુજરાત છેડી પજાબને કર્મભૂમિ બનાવનાર શ્રી શિવજીભાઈને ત્યાં આજે સહુ કોઈ મગનબાબાના નામે જ વધુ પિછાને છે. શ્રી મુમતીચંદ્રભાઈ શાહ
કુંવરજી દેવશીનું નામ કુંવરજી દેવશી એન્ડ કુ પ્રા. લી. સાથે સંકળાયેલ છે. કુંવરજીભાઈ શ્રી શિવજીભાઇના નાનાભાઈ થાય. સૌમ્ય અને સેવાભાવી કુંવરજીભાઈએ શરૂઆતમાં મઢડા પાસે ખેતીનો વ્યવસાય શરૂ કર્યો. અને પત્ની, પુત્ર તથા ભત્રીજીના જીવનનાં ભેગે પણ જલપ્રલય વખતે તેમણે બેડીંગના ઓગણીસ બાળકને બચાવ્યાં હતાં ઘેડા સમય બાદ ૧૯૧૪માં કુંવરજીભાઈએ વડીલ બંધુ શ્રી શિવજીભાઈના આશિર્વાદ સાથે મુંબઈમાં હાર્ડવેરનો વેપાર શરૂ કર્યો. આ એક સામાન્ય સાહસમાં એમને ઉત્તરોત્તર સફળતા મળતી ગઈ એટલું જ નહીં પણ એમના પુત્ર શ્રી સુમતિચંદ્રના ધર્મ પત્ની શ્રીમતી સરલાબેન કંપનીના ડીરેક્ટર તરીકે સેવા બજાવે છે. પણ એથીયે વધુ એમની સામેના એમના સૌજન્ય અને સેવાભાવી સ્વભાવને આભારી છે. શ્રી અરવિંદના તત્વજ્ઞાન પ્રમાણે જીવન કેમ ઘડાય તેમનું એમણે પોતાના જીવન દ્વારા જીવંત ઉદાહરણ આપ્યું છે. તેઓ જાણીતા સમાજ સેવિકા ઉપરાંત લેખિકા પણ છે. પરંતુ એમનું જીવન મુખ્યત્વે શ્રી અરવિન્દના આધ્યાત્મિક ઉપદેશની આસપાસ કેન્દ્રિત થયેલું છે. પિંડીચેરીના શ્રી અરવિન્દ આશ્રમની આધ્યાત્મિક પ્રવૃત્તિએમાં તેઓ ઉડે રસ ધરાવે છે. અને શ્રી માતાજીના તેઓ પરમ પ્રીતી પાત્ર બન્યા છે. સુમતિચંદ્ર અને સરલાબહેન આદર્શ દામ્પત્યનું પ્રેરક ઉદાહરણ છે. પ્રારબ્ધ અને પુરૂષાર્થે સંપત્તિ આપી તે એ સંપત્તિને યાચિત સદુપયોગ પણ આ દંપતી કરી રહેલ છે. "
ડે. શ્રીકાન્ત દોશીને જન્મ ઈ. સ. ૧૯૧૭માં વઢવાણ શહેરમાં થયો હતો. મેટ્રીક સુધીનો અભ્યાસ વઢવાણ શહેરની દાજીરાજ હાઈસ્કૂલમાં કર્યો હતે હાઈસ્કૂલના અભ્યાસની કારકિર્દી ઘણીજ ઉજજવળ હતી. ૧૯૩૫માં મેટ્રિક પાસ થયા ત્યારે આખી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ ૧૫ વિદ્યાર્થીઓમાં તેમનું નામ હતું એ વખતે મુંબઈ યુનિવર્સિટી તરફથી જ મેટ્રીકની પરીક્ષા લેવાતી ભૂમિતિના એક પ્રશ્ન પત્રમાં એક સવાલ પૂછવામાં જ ભૂલ થયેલી ૧૦ માર્કને સવાલ ખટો હતો છે. શ્રીકાન્ત જવાબ લઇ કે “આ સવાલ ખોટો છે. અને મેથેમેટીકસમાં ૧૦૦ ટકા માર્કસ મળ્યા કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ એફીસ્ટન કોલેજમાં કર્યો. ઈન્ટર સાયન્સ ભાવનગર શામળદાસ કેલેજમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયા. M. B. B. S માટે મુંબઈ આવ્યા. શેઠ O. s. Medical Collage માં હતી એમ. બી. બી. એસ ની પરીક્ષા પાસ કરી ત્યાર બાદ બે વર્ષ કે. ઈ. એમ. માં રહ્યાં ૧૯૪૭માં દાબેલ કરવાડીમાં ડીસ્પેન્સરી શરૂ કરી. કોલેજમાં ભણતા ત્યારે પણ વઢવાણમાં વેકેશનમાં જાય ત્યારે વિદ્યાર્થી પ્રવૃત્તિમાં સારે રસ લેતા હતા, ડોકટરી અભ્યાસ દરમ્યાન લીમડીની લડત આવેલી એ વખતે સૈનિક તરીકે જવા તૈયાર થયેલા પણ સરદાર સાહેબની મનાઈ હતી કે વિદ્યાર્થીઓને ન જવા દેવા એટલે ન ગયા. ત્યાર બાદ ૧૯૪૨ ની “કવીટ ઇન્ડિઆ’ લડત આવી અભ્યાસ છોડી સૌરાષ્ટ્ર ગયા. ત્યાં જોરાવરનગર ખાતે રહી ભૂગર્ભ પ્રવૃત્તિ કરી. ફરી પાછા કેલેજમાં જઇ અભ્યાસ પૂરો કર્યો.
શ્રી શિવાભાઈ પટેલ
ખેડા જિલ્લાના ચિખોદરાના વતની ૧૯૨૬માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયાં તેમને ચિખોદરાના વતની તરીકે બહુજ ઓછા માણસે ઓળખે પણ બેચાસણના શિવાભાઈ તરીકે જાણીતા છે. ૧૯૩પથી તેમણે ત્યાંજ કર્મભૂમિ બનાવી. મહાત્મા ગાંધીજીને સહવાસ, સરદાર સાહેબને સહવાસ અને
- કાલબાદેવીનું દવાખાનું શરૂ કર્યા પછી ત્યાં પણ સામા જિક અને રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી. અમેરીકન સંસ્થાઓ તરફથી મળતા દૂધને પાવડર લાવી દૂધ બનાવી, બાળકને
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org