SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ સૌજન્ય અને કર્મ કેશલ્યની વિદેશમાં પણ કીર્તિ કેલાવી છે. આ છે તેમની યશગાથા. શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખ શ્રી શામજીભાઈ પારેખને આજના કપાળ સમાજે પિતાના લાડકવાયા તરીકે અપનાવ્યા છે. સમાધાનવૃત્તિ, જિજ્ઞાસુપણું, હાથ ધરેલા કાર્ય પરત્વેની ચીવટ અને કાંઈક નવું કરી છૂટવાની મને વૃત્તિ વગેરે ખાસીયતને લઈ સામાન્ય જિકક્ષેત્રે વ્યાપારી ક્ષેત્રે, સેવાક્ષેત્રે આજનું સ્થાન નિરૂપવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. શ્રી શામજીભાઈ જન્મભૂમિ ચલાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી અમરેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા કપળ બેડિંગમાં ઈ. સ. ૧૯૨૧ માં દાખલ થયાં. ઈ. સ. ૧૯૨૫ માં મેટ્રીક પાસ કરી મુંબઈમાં ઈમ્પોર્ટ એકસપર્ટ કમ્પનીમાં દાખલ થયાં. ઈ. સ. ૧૯૨૭માં ઈટાલિયન કુ. મેસર્સ ગોરી લિ. માં યાર્નના સેલ્સમેન તરીકે જોડાયા. આર્ટ સીલ્ક કાપડ બનાવવાના ઉદ્યોગની આપણા દેશમાં શરૂઆત હતી. એ વખતે ૧૯૩૮ માં ભાગીદારીમાં વિજય સીત મીરસ હની સ્થાપના કરી. આ મીલનું બીજી સીલ્ક મીલ સાથે જોડાણ કરી ૧૯૪૪ માં અશોક સીક મીસના નામથી ઉદ્યોગનું વિસ્તૃતિકરણ કર્યું. ઉદ્યોગ અને વ્યાપાર અર્થે ૧૯૪૮ માં પ્રથમ વિદેશ યાત્રા કરી. નવી વેલ વેટ મશીનરી પ્રથમ જ હિન્દુસ્તાનમાં મંગાવી ધી આદિત્ય ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી. નામની કુ. ઉભી કરી, ભારત વિજય વેલ્વેટ એન્ડ સીક મીલ્સ નામની મલ સ્થાપી અને ભારત વેલવેટના નામથી વેટ તથા સીઘેટીક કાપડનું ઉત્પાદન શરૂ કર્યું. કપાળ કે-ઓપરેટીવ બેન્ક લી. માં ૧૯૬૩ સુધી અગીયાર વર્ષ સેવા આપી. જૂદી જૂદી ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓમાં જોડાઇને રસપૂર્વક સંચાલન કરી રહ્યાં છે. જગતની સેવા માટેની નામાંકિત સંસ્થા રેટરી કલબના સીનીયર એકટીવ મેમ્બર છે પારેખ, દોશી, કપાળ બોડિંગમાં ૧૯૫૯ થી ટ્રસ્ટી તરીકે ચાલુ છે. કેળવણી અને સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ ધરાવે છે. પંચાલ શાન્તિલાલ મોતીલાલ હાલ કેપ્ટન- અનેક તાલિમ તથા સામાજિક કામના કેમ્પમાં ભાગ લીધે છે. હાલ સ્વયંપાકી હોસ્ટેલના રેકટર તરીકેની કામગીરી – વલ્લભ વિદ્યાનગર કો. ઓપ. હાઉસિંગ સોસાયટીના માનદ મંત્રી તરીકે કોલેજની મધ્યસ્થ સમિતિમાં ૯ વર્ષથી સભ્ય, વલ્લભ વિદ્યાનગરની લાયન્સ કલબના સ્થાપક સભ્ય, અને સામાજિક કાર્યોમાં રસ લઈ રહ્યાં છે. શ્રી શાન્તિભાઈ કાનજીભાઈ મેદી ઐતિહાસિક ગણાતા ખુંટવડા ગામના નગરશેઠ હરજીવનદાસ મેદીના પાત્ર શ્રી શાનુભાઈ મોટા ખુંટવડાના વતની અને હાલ મહવામાં જાહેર ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. શ્રી મોદીએ ૧૯૪૨ ની ભારત છોડો આંદોલન વખતે જેલયાત્રા જોગવી હતી. લોકશાહી સમાજવાદીની પ્રક્રીયા મુજબ તાલુકા કેગ્રેસ સમિતિ; મવા તાલુકા ખ- વે સંઘ, મહુવા તાલુકા ગ્રામ નિર્માણ સમાજ ખુંટવડા ગ્રામ પંચાયત યુવક મંડળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતસહકારી પ્રવૃત્તિ વગેરેમાં ઘણા વર્ષોથી આગળ પડતો ભાગ લઈ રહ્યાં છે. ગુજરાત રાજ્ય કે ઓપરેટીવ માર્કેટીંગ પ્રેસેસ કમિટિના સભ્ય પદે પણ તેમની નિયુક્તિ થઈ છે. સ્વ. શ્રી શાંતિલાલ ચુનીલાલ કપાસી ચુડા (સૌરાષ્ટ્ર) નિવાસી મુંબઈના નામાંકિત ઉદ્યોગપતિ શ્રી શાંતિલાલ ચુનિલાલ કપાસીનું તા. ૧૮-૮-૭૩ ના રોજ ૬૫ વર્ષની ઉમ્મરે મુંબઈ ખાતે દુઃખદ અવસાન થયું તેમનું જીવન અનુકરણિય અને પ્રેરણાપ્રેરક હોઇ, તેની ટુંકી નોંધ સમાજ સમક્ષ અત્રે અમે રજુ કરીએ છીએ. જીવનમાં કંઇક પ્રેક્ષણિય કરી બતાવવાની ધગશને કારણે સ્વ. ને નિજ વતનનું ક્ષેત્ર અપૂરતુ લાગવાથી મુંબઈમાં આવી, સાહસિક સ્વભાવને કારણે “સટ્ટા”માં ઝંપલાવ્યું અને આર્થિક ઉન્નતિ સાધવા આગેકદમ ઉઠાવ્યું. તે ક્ષેત્રે પણ સર્વાગીણ વિકાસ ચાહતા તેમના દિલને અનુકૂળ ન લાગ્યું. અને સ્વતંત્રપણે ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રવેશ કરવા નાના પાયાને શીવવાના દોરાને વ્યવસાય શરૂ કર્યો. તેમાં પણ પ્રગતિ ઠીક ન લાગતા તેમની દીર્ઘ દષ્ટિએ એક અનોખું જ ક્ષેત્ર શોધી કાઢયું. અને તે “બેડી બિડીંગ” ઉદ્યોગ આ ઉદ્યોગની સ્થાપના તેમણે ૧૯૪૭ માં કરી. આ ધરખમ ઉદ્યોગ આપણા દેશમાં સ્થાપનાર તેઓ પ્રથમ જ હતા તેમ કહી શકાય. આ ઉદ્યોગમાં જોઈતી વિચક્ષણ બુદ્ધિમત્તા, સાહસિકપણું, આગવી સૂઝ અને તેમાંય આવી પડનારી આર્થિક વિટંબણાઓનો સામને કરવાની અને તેમાંથી માર્ગ કાઢવાની ઝીણી બુદ્ધિ વિ. તેઓમાં હોવાથી તેઓ બેડી બિલ્ડીંગના ઉદ્યોગને એટલી ઉચ્ચ કક્ષાએ લઈ ગયા કે જે જે ઉદ્યોગ માત્ર આપણું દેશમાં જ નહિં પરંતુ પરદેશમાં પણ નામના મેળવી અને આજે એમણે સ્થાપેલ “રૂબી ઈન્ડસ્ટ્રીઝ” અને પાછળથી “ રૂબી કોચ બિલ્ડર્સ ૧૯૬૧ માં B. A. ૧૯૬૩માં entire Philosophy સાથે M. A–M A. અભ્યાસના સમયે ફેલેશેપી મળતી હતી. ૧૬૩ માં વલ્લભ વિદ્યાનગરની નલિની એન્ડ અરવિંદ આર્ટસ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા છેલ્લા ૧૫ વર્ષથી વિશ્વના ધર્મોના અધ્યાપનનું કાર્ય– આ ઉપરાંત Logic અને Philosophy નું અધ્યયન કાર્ય વિશ્વના પ્રમુખ ધર્મો નામનું પુસ્તક શ્રી પંડયાના સહલેખનથી લખ્યું- સદર પુસ્તક છે. ૫. યુનિના F.Y.B.A.ના કેસ માટે માન્ય થયું છે. N. C. C. ઓફિસર તરીકે ૧૧ વર્ષની ઉજવલ કારકિર્દી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy