SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ કિ૨છી)એ શયની , કૃત પાઠશાળા શરૂ છે જવાની અણી પર શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલીતાણાની યશગાથા આજથી ૬૨ વર્ષ પહેલાં એક દીર્ઘદ્રષ્ટા મુનિરત્નશ્રી ચારિત્ર વિજયજી (કરછી)એ શત્રુંજ્યની શીતળ છાંયડીમાં સં. ૧૯૬૮માં શુકનનું શ્રીફળ ઊછીનું લાવીને સંસ્કૃત પાઠશાળા શરૂ કરી. પાંચ વર્ષ માં ઘણા ઝંઝાવાતો આવી ગયા. એ કુમળે છોડ સૂકાઈ જવાની અણી પર હતો. સંસ્થાની જવાબદારી શ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરી. શ્રી લલ્લુભાઈ કરમચંદ તથા ફકીરચંદ કેસરીચંદ શ્રીફને સેંપી પિતે નિશ્ચિત થયા. મહારાજશ્રીએ પાલીતાણાના જળપ્રલય વખતે લોકોને બચાવવાથી જે સેવા કરી હતી તેથી પ્રભાવિત થઈ તે વખતના એડમીનીટેટર મેજર સ્ટ્રોંગ સાહેબે સ્ટેશન સામેની વિશાળ જગ્યા નવાણું વર્ષોના પદે આપી હતી. દેશકાળની પરિસ્થિતિને વિચાર કરી વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ આપી વિદ્યાર્થીઓનો શારીરિક, માનસિક વિકાસ કરવાની દષ્ટિથી આ જથે ૫૭ વર્ષ પહેલાં ગુરુકુળ શરૂ કર્યું. વ્યવસ્થાપક સમિતિએ વિદ્યાથી નિવાસગૃહ, શયનગૃહ, પ્રાર્થનાગૃહ, ભોજનાલય, આરોગ્યમંદિર, વિદ્યાલય, વ્યાયામશાળા, અને દહેરાસર વગેરે સમાજના દાનવીરો પાસેથી મદદ મેળવી બંધાવ્યાં. મિડલકૂલ શરૂ કરી અને તેને શ્રી મણીબહેને રૂા. ૫૧ ૦૦૦નું દાન આપ્યું તેથી તેનું નામ મિડલસ્કૂલ સાથે જોડવામાં આવ્યું. એ મણીબહેન નાનાલાલ હરિચંદ મિડલ સ્કૂલે સારી એવી પ્રગતિ કથી છે. સુવિખ્યાત મિલમાલિક અને જૈન સમાજના અગ્રેસર શેઠ રતિલાલ વર્ધમાન શાહના પ્રમુખપણા નીચે સં.૧૯૯૯માં ગુરુકુળનો રજત મહોત્સવ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો એ પ્રસંગે ગુરુકુળે સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ કેમસંહાઈસ્કૂલ (વાણિજય વિદ્યામંદિ૨ ) શરૂ કરી. સમાજને જાણીને આનંદ અને ગૌરવ થશે કે આ વાણિજય વિદ્યામંદિરમાંથી ૧૨ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ૧૦૦ જેટલા બીકમ અને ૨૦૦ જેટલા વાણિજયવિનીત નીકળ્યા છે. એ ગુરુકુળની સિદ્ધિ છે. ગુરુકુળમાં ૮૦ વિદ્યાથીઓ ફ્રી રાખવામાં આવે છે. વાણિજયવિદ્યામંદિરના મકાન માટે શ્રીમાન હાથીભાઈ ગુલાબચ દે રૂા. ૨૫૦૦૦, શ્રી જગતચંદ્ર નેમચંદ રાએ રૂા. ૨૫૦૦૦, શ્રી ધીરજલાલ જીવાભાઈ કેસરીચંદે રૂા. ૧૦૦૦, શ્રી રતિલાલ વર્ધમાન તથા શ્રી ચંદુલાલ વર્ધમાને સભાગૃહ માટે રૂા. ૧૧૦૦૦, અને શ્રી મણીબહેન નાનાલાલ હરીચંદના દ્રહીઓએ રૂ. ૫૦૦૦૦, આપી સંસ્થાના વિકાસમાં શસ્વી ફાળો આપ્યો છે. વાણિજય વિદ્યામંદિર પ્રગતી સાધી રહેલ છે. શાળામાં ૬૦૦ જેટલા વિદ્યાથીઓ લાભ લઈ રહ્યા છે. એસ. એસ. સી.ના પરિણામો ૬૫–૭૫ ટકા આવે છે. શાળામાં વિજ્ઞાનના વર્ગો અને ટેકનીકલ શાખા શરૂ કરવામાં આવી છે. વિદ્યાથીઓ વિધવિધ વિકાસ પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક અને માનસિક વિકાસ સાધી રહ્યા છે. આજ સુધીમાં લગભગ ૨૫૦૦ વિદ્યાથીઓનાં જીવન સંસ્થાએ ઉજાળ્યાં છે. સંસ્થાને તે વખતના પ્રમુખ શ્રી એમ. એમ. શાહે રૂા. ૨૫૦૦૦, આપ્યા હતા. તેમનું નામ પુસ્તકાલય સાથે શોભી રહ્યું છે. ગુરુકુળ પ્રેમી શ્રી કાંતિલાલ સી. પરીખે રૂા. ૧૧૦૦૦, ક્રીડાંગણ માટે આપ્યા અને ગુરુકુળ સામેના પ્લેટમાં શ્રી કમળા કીડાંગણમાં વિદ્યાર્થીઓ વિઘવિઘ રમતની તાલીમ મેળવે છે. સંસ્થાને સુવર્ણ મહોત્સવ આવ્યો. પૂર્વ વિદ્યાર્થીઓએ રૂા. ૧૧ લાખ એકત્ર કરવાને શુભ સંકલ્પ કર્યો. મુંબઈમાં બે સમારંભે, એક અમદાવાદ, એક ભાવનગર, અને એક કલત્તામા સમારંભો ઉજવાયા. પૂર્વ વિદ્યાથીએ એ માતૃપણ અદા કરવાની ઉચ ભાવનાથી પોતે કાા લાખ આપ્યા. અને સમાજના સહકારથી ૧૧ લાખનુ લક્ષાંક પુરું થયું. એ જિન સંસ્થાએ માટે ગૌરવ લેવા અને અનુકરણ કરવા જેવો પ્રસંગ છે. આ રીતે ગુરુકુળે વિક્રમ કર્યો ગણુ શે. સંસ્થાને કાયમી આવક થયા કરે એ દષ્ટિએ એક સુંદર મકાન અશોક ચેમ્બસ ભરૂચ સ્ટ્રીટ મુંબઈ ૯ લેવામાં આવ્યું છે. સંસ્થાના ઘડતરમાં અને વિકાસવર્ધનમાં પ્રાણ પ્રેરક સ્વ. શાહ ચંદુલાલ વર્ધમાન, શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા, તથા શ્રી પ્રવીણચંદ્ર હેમચંદભાઈની અવિરત સેવા ગુરુકુળના ઇતિહાસમાં ચિર મરણીય રહેશે, આજે ગુરુકુળ મિત્ર મંડળના ઉત્સાહી મિત્રા ગુરુકુળ ની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. જૈન સમાજમાં ગુરુકુળ એક પ્રગતિશીલ સંસ્થા ગણાય છે. વ્યવસ્થાપક સમિતિ નવનવા પ્રસ્થાન કરવા જાગ્રત છે. ગુરુકુળના ઉત્થાન અને વિકાસ વર્ધનમાં સમાજના દાનવીર દાનનાં ઝરણાં વહેડાવે અને સમાજના ઘડવૈયાઓ સક્રિય સહકાર આપે એ જ અભ્યર્થના. બાલચંદ છ, દેશી શ્રી મનસુખભાઈ ગુલાબચંદ પ્રમુખ શ્રી ચંપકલાલ ગીરધરલાલ વોરા શ્રી મહાસુખરાય પ્રેમચંદ શાહ દલીચંદ પુરુત્તમ શાહ માનદ્ર મોષ. ક્ષ. શ્રી મનસુખલાલ તલકચંદ દોશી ઉપપ્રમુખ માનદ્ મંત્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy