SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ આ સદી જ આખા એશિયામાં અને વિશ્વમાં કાંન્તિની સદ્દી તરીકે પૂરવાર થઈ છે. પંડિત જવાહરલાલ નેહરુ એ વિશે સમ્યક્ ચિ ંતન કરતાં લખે છે: ‘હવે જગતના રાજ કારણમાં મહત્ત્વના ફેરફાર થઈ રહ્યો છે. એશિયા હવે પેાતાની જાતને શેાધી રહ્યું છે. બીજા ખડાના રહેવાસીઓ સાથે, આપણી ચેાગ્ય જગ્યા લેવા માટેના તક્કો શરૂ થઈ ચૂકયા છે. આપણે સક્રમણના મહાયુગમાં પ્રવેશી રહ્યા છીએ. એશિયાના દેશોને હવે સામ્રાજ્યવાદી ચાકડાંબાજીનાં પ્યાદા તરીકે ઉપયાગ કરી શકાશે નહીં. વિશ્વને સ્પર્શતી અનેક બાબતોમાં હવે તેમની પાતાની નીતિ હોવાની....જગતના રાજકારણમાં એશિયાના અભ્યુદય વિશ્વશાંતિ માટે એક અસરકારક પરિબળ બની રહેશે. ’’૧૯ આષ્ટાના આ શબ્દો સાચા પડતા દેખાય છે. પરંતુ પ્રજામાં ક્રાન્તિ પ્રગટે છે કયારે ? એક સમાજશાસ્ત્રી અને ઇતિહાસકાર લખે છે કે પ્રજામાં ક્રાન્તિ પેદા થાય તે માટે અસંતોષને ગુપ્ત ઝરો હાવા જોઇએ. આ અસતાષને ગુપ્ત ઝરે વર્ષો સુધી ગુમ હાય છે; અને અનેક અદૃશ્ય અન્યાયેાથી પોષાતા રહે છે. છેવટે સુધારાનું વ્યાપક તત્ત્વ પ્રચંડ ક્રાંતિમાં પરિણમે છે. રક્તહીનરક્તપાતથી ભરેલી ફ્રેન્ચ ક્રાન્તિએ જગતને ઘણી પ્રેરણા આપી છે. નેપાલિયન એવી જ ફ્રેન્ચ ક્રાંતિનું બાળક હતા એમ ઇતિહાસકારો આળખાવે છે. I am the state કહેનાર લૂઇ ૧૪મા અને ૧૬માને હાંકી કાઢી વાલ્ટર, રૂસા જેવા ચિંતકોએ સ્વતંત્રતા, બંધુતા અને સમાનતા ( Freedom. Fraternity and Fquality )ના માનવ હુક્કાની સ્થાપના કરી. કિવ વ અર્થ કહે છે તેમ, ‘ ટ્રાન્સની ક્રાન્તિએ માનવસંસ્કૃતિને ઘણુ એવુ આપ્યુ છે જે અમર રહેવાને માટે સર્જાયું છે. 'રશિયન ક્રાન્તિ પણ આજ રીતે પ્રગટી ઝારની રાજાશાહીએ ખેડૂતે અને મજૂરોની અવદસા આણી હતી. એમાં કાર્લ માર્કસના વિચારોએ ચિનગારી ચાંપી અને અમૂલક સમાજવ્યવસ્થાની ક્રાન્તિ ભભૂકી ઊઠી. ફ્રાન્સે લેાકશાહી આવકારી, રશિયાએ સમાજવાદ આવકાર્યાં. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની રમણીય એકતા દ્વારા લોકશાહી સમાજવાદ પ્રગટાવવાનું બીડુ’ ભારતે ઝડપ્યુ છે. વિજ્ઞાનની શેાધા અને યાંત્રિક શોધોએ ઇગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાન્તિ પ્રગટાવી ઇંગ્લેન્ડ અને ટ્રાન્સે પેાતાના કાર ખાનાંના માલ ખપાવવા માટે મારા શેાધવાની સ્પર્ધા શરૂ કરી અને તેમાંથી સંસ્થાનવાદ પાંગર્યાં. ઔદ્યોગિક ક્રાન્તિથી માનવજીવન પલટાઈ ગયું, ઉત્પાદન પણ વધ્યું. અનેક શેાધા થઇ ભૌતિક સુખસગવડો વધી સંસ્થાનવાદ અને સમાજવાદ ઠેરઠેર પ્રગટવા. યુરોપમાં રાષ્ટ્રવાદની પ્રબળ અસર વરતાવા લાગી. અમેરિકાના સ્વાતંત્ર્ય વિગ્રહે પણ લેાકશાહીની તથા નૂતન સભ્ય સમાજની અહાલેક પાકારી. એ વિશ્વયુદ્ધોએ જગતેના રંગમંચ ઉપર ઘણાં પાત્રા આવતાં અને વિદાય થતાં ૧૯. વાહરલાલ નેહરુ : ' મારું હિંદનું દર્શીન. ' Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ જોયાં. વિશ્વની ૨'મભૂમિ ઉપર ભારતે વિશ્વ શાંતિને અવાજ ખુલંદ બનાવવા સમ પ્રયત્નોમાં જ એની સંસ્કૃતિનુ નેતૃત્વ ઝળકે છે. અશાક, અકબર અને જવાહર એ આપણી સંસ્કૃતિના ન્યાતિધા છે. એમના જેવા પ્રજાપ્રિય શાસકોએ; રામકૃષ્ણ, વિવેકાનંદ અને વિનાબા જેવા આધ્યાત્મિક સંતાએ અને સત્ય શિવ સુવરમની આબેહૂબ પ્રતિકૃત જેવા પૂ. ગાંધીજી, શ્રી અરવિંદ અને મહર્ષિ રવીન્દ્રનાથ ઠાકુરે એમની વાણી અને કાર્યોંમાં એમણે આત્મસાત્ કરેલી ભારતીય સંસ્કૃતિને સયુચિત પરિચય જગતને કરાબ્યો. વિવેકાનંદ અરવિંદ ગાંધી અને રાધાકૃષ્ણને ધર્મનું-યુગધર્મનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રા સમક્ષ રજૂ કર્યું. ભારતીય સંસ્કૃતિની આ ભવ્ય ગાથાને દરિયાપારની ભારતીય સંસ્કૃતિ ઓળખ્યા વિના મૂલવવી અધૂરી જ ગણાય સર જહેાન માલ નાંધે છે. “ કેવળ હિંદમાં જ હિંદી કલાને જાણવી, એ તેની અરધી કથા જાણવા બરાબર છે. તેને સાંગા પાંગ સમજવા માટે આપણે બૌદ્ધ ધર્મની સાથે સાથે મધ્ય એશિયા, ચીન અને જાપાનમાં જવું જોઇએ. તિબેટ બ્રહ્મદેશ અને શિયામમાં ફેલાઈ તે જે નવાં રૂપે! ધારણ કરે છે અને નવું સૌન્દર્ય પ્રગટ કરે છે, તે નિહાળવુ જોઇએ તેમજ જાવા અને કબાડિયામાં તેનાં ભવ્ય અને બેનમૂન સર્જના જોવાં જોઇએ. ” છતાં ભારતીય સંસ્કૃતિની આ ગૌરવગાથા વિશે છેક હમણાં સુધી દેશ અને દુનિયા લગભગ અાણુ હતાં આથી જ શ્રી આર. સી. મજમુદારે તેને ભારતીય ઇતિહાસનુ ભુલાઈ ગયેલુ છતાં ખૂબ જ જવલંત પ્રકરણ ૨ કહ્યું છે. પશ્ચિમ એશિયા, પૂર્વ એશિયા, મધ્ય એશિયા અને અગ્નિ એશિયાના પ્રદેશમાં ત્યાંના લેાકા સાથે એકરસ બની જઈ ભારતીય સંસ્કૃતિની ફોરમ જીવનના બધા સ્તર પર વ્યાપી ગઈ હતી. ભારતીય સંસ્કૃતિની આ સ્થિરતા સ્થાપકતા elasticity ને અંજલિ આપતાં સી. ઈ. એમ. જોડ લખે છે કે, “ માનવજાતિને ભારતવાસીઓએ જે સૌથી મેટી ચીજ. વરદાન રૂપે આપી છે તે એ કે, ભારતવાસી હુંમેશાં અનેક જાતિઓના લોકો અને અનેક પ્રકારના વિચારેાની વચ્ચે સમ ન્વય કરવા તૈયાર તત્પર રહ્યા છે. અને બધા પ્રકારની વિવિધતાઓની વચ્ચે એકતા કાયમ કરવાની લાયકાત વથા તાકાત લાજવાબ રી છે. '' ૨૧ આથી જ શ્રી દર્શક કહે છે કે “ કોઈપણ દેશ, કોઈપણ કાળે એવા સંસ્કૃતિ પ્રદાન માટે ગૌરવ લે તે એમાં કશું અનુચિત નથી; ’૨૨ એ વિધાનમાં ઇતિહાસનુ સત્ય રહેવુ જોઈ શકાય છે. ૨૦ R. C. Majumdar : Ancient India. २१ रामधारी सिंह 'दिनकर' संस्कृतिके चार अध्याय પૃ. ૯૭ ઉપર ૨૨ મનુભાઈ પ’ચાલી ‘દ‘ક' : ‘ આપણા વારસે! અને વૈભવ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy