SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ બૌધ્ધ ધર્મના પ્રચાર કર્યાં. હૂઁનાનમાં એકદરે બૌધ્ધ ધર્મીને ફરતાં ૫૦ મદરના અવશેષ ઉપલબ્ધ થયા છે. નાખાનશ્રીની પ્રસાર હિંદુ ધર્મનની તુલનાએ ઘણા અલ્પ હતા. ઉત્તરે આવેલી શૈયા વસાહતમાં પ્રારંભમાં બ્રાહ્મણ ધર્મ પ્રચલિત હતા, પાછળથી ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાયા, ક...ભુજ (ક`મેડીયા ) હિંદી ચીનમાં કભુજ પ્રસિધ્ધ હિંદ્દી રાજ્ય હતું. તેમાં અર્વાચીન કંબોડિયાના ઉત્તર-પૂર્વના ઘણા વિસ્તાર સમાયેલે હતા. કજની રાજધાની યશેાધરપુર હતી. આજે તેને અ ંગ કારને નામે આળખવામાં આવે છે. આ રાજ્યમાં હિંદુ ધર્મના વિશેષ પ્રચાર થયા હતા છતાં બૌધ્ધ ધર્મને પણ થોડા ઘણા આવકાર મળ્યા હતા. ચીની વૃત્તાંત અનુસાર અને પુરાવશેષા દ્વારા જણાય છે કે આ વિસ્તારમાં પાંચમી સદીના અંતમાં ૌદ્ધ ધર્મના પ્રભાવ હતા. નવમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા સમ્રાટ યશવર્માએ એક સાગતાશ્રમ સ્થાપ્યા હતા. આ આશ્રમ (મઠ) બૌદ્ધ ભિક્ષુએના ઉપયાગ માટે હતો. રાજાએ આશ્રમ માટે વિશેષ નિયમાવલી પણ જાહેર કરી હતી. કબુજના રાજા જયવર્માં સાતમા (લગભગ ઈ.સ. ૧૧૮૧૧૨૨૦) ઘણા શ્રધ્ધાળુ બૌધ્ધ ઉપાસક હતા. તેના અવસાન પછી તેને ‘મહાપરમ સૈાગત'નું બિરૂદ આપવામાં આવ્યું હતું. તેની વાણી સમ્રાટ અશોકની વાણીને મળતી હતી. અને સમસ્ત વિશ્વ પ્રત્યે કરૂણા રાખવાને ઉપદેશ તેના અભિલેખામાં વ્યકત થયા છે. તેણે ધાર્મિ ક સસ્થાઓ સ્થાપ પવામાં પણ ઉદારતાપૂર્વક પેાતાના ફાળે નોંધાવ્યેા હતેા. રાજા જયવર્માની રાણી જયરાજદેવી પણ પરમ ઉપાસિકા હતી. ૧૩ મી સદી સુધી ક’ભુજમાં બૌધ્ધ ધર્માં પ્રસરતા રહ્યો, જો કે રાજ્યાશ્રય હિંદુ ધર્મને મળ્યે હોવાથી આ ધર્મનુ ખળ ઘણું ઓછું હતું, પરંતુ સિયામના થાઈ લે કે કટ્ટર બૌદ્ધ હતા. તેઓએ અહીં આવીને ધીમે ધીમે બૌદ્ધ ધર્મ'ને ઉત્ક કર્યાં. પરિણામે ૧૩ મી સદી પછી આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મ મુખ્ય બનતા ગયા. અને હિંદુ મ ંદિરમાં હિંદુ દેવ-દેવી એને સ્થાને બૌધ્ધ મૂર્તિએની પ્રતિષ્ઠા થઇ. આજે આ દેશમાં મુખ્ય ધર્મ તરીકે બૌધ્ધ ધર્મનું જ સ્થાન છે. મલાયામાં ગુનાં જિરાઈ પાસેથી ચેાથી સદીના એક મદિરના અવશેષા મળ્યા છે. તેવી રીતે વેલેલી જિલ્લાના ઉત્તર ભગમાંથી પણ ઔધ્ધ મંદિશ અને સ્ત ંભાના અવશેષ મળ્યા છે. ઉત્તરાધે માં સુમાત્રા મલાયાની દક્ષિણ-પૂર્વ તરફ આવેલા સુવર્ણભૂમિ ગણાતા સુમાત્રાના ટાપુ પર શ્રીવિજય નામનુ ં રાજ્ય હતું. આ રાજ્યની રાજધાની શ્રી વિજયનગર હતી. આ રાજ્ય ઈ.સ.ની ચાથી સદી પહેલાં સ્થપાઈ ચૂકયું હતું. સાતમી સદીના ઉત્તરાર્ધમાં રાજા જયનાગે નજીકના ઘણા ટાપુઓ પર વિજય મેળવીને દાનપેાતાનું સામ્રાજ્ય જમાવ્યું હતુ. તેના સમયમાં ભારત આવવા નીકળેલા ચીની યાત્રી ઇત્સિંગ સંસ્કૃત શીખવા માટે અહીં આઠ વર્ષ (ઇ.સ.૬૮૮ થી ૬૯૫) રોકાયા હતા. ઇત્સિંગના જણાવ્યા અનુસાર શ્રી વિજય રાજ્યમાં ઔદ્ધ ધર્મના વિશેષ પ્રચાર હતા. ભારત અને ચીનના માર્ગમાં આવતા આ ટાપુ પર અનેક બૌધ્ધ ભિક્ષુએ આવ-જા કરતા હોવાથી અહીં મહાયાન સંપ્રદાયના પ્રભાવ પડયે। હતા. આડમી સદી પછી જાવાના શૈલેન્દ્ર સામ્રાજ્યનુ' સુમાત્રા પર અધિપત્ય સ્થપાતા શ્રી વિજય રાજ્યના અંત આવી ગયા. જાવા ઈ. સ. ની પાંચમી સદીના પ્રાર’ભ સુધી જાવામાં ઔધ્ધ ધર્મના વિશેષ પ્રભાવ ન હતા. ફાહ્યાને જાવાની મુલાકાત લીધી ત્યારે ત્યાં બ્રાહ્મણુ ધર્મની તુલનાએ ઔધ્ધ ધર્મનુ નહિવત્ સ્થાન હતું, પરંતુ ત્યાર પછી ભારતીય ભિક્ષુ ગુણવમાં જેવા અનેક ઉત્સાહી બૌધ્ધ પ્રચારકોએ પાંચમી સદીના ઉત્તરાર્ધમાં જાવામાં બૌધ્ધ ધર્મનુ પ્રભુત્ત્વ જમાવી દીધું. માયા ઇ.સ.ની શરૂઆતમાં મલાયાના ટાપુ પર ભારતીય વસાહત સ્થપાયા પછી અહીં હિંદુ અને બૌદ્ધ ધર્મ અને પ્રસાર થયેા હેાવાનુ જણાય છે. મલાયામાંથી ઉપલબ્ધ થયેલા પ્રાચીન અભિલેખા સંસ્કૃત ભાષા અને ૪થી-૫મી સદીમાં પ્રચલિત ભારતીય લિપિમાં લખાયેલા છે. આ અભિલેખામાં કેટલાક બૌદ્ધ ધર્મને લગતા છે. તે પરથી જણાય છે કે આ પ્રદેશયાં આ કાલમાં ૌદ્ધ ધર્મના પ્રચાર હતા. અગત્યના અવશેષો નાખો શ્રી ધમ્મરાટ (લિગોર)માંથી મળ્યા છે. આ સ્થળે ભારતીય ઔધ્ધ વસાહત હતી. અહીંથી એક મહાન સ્તૂપ અને તેને Jain Education International २०७ ઇ.સ.ની છઠ્ઠી સદીના કેાદ લેખ પરથી જણાય છે કે મલાયામાં મહાયાન બૌદ્ધ ધર્મના પ્રચાર હતા. આઠમી સદી સુધી મહાયાનના વિકાસ થતા રહ્યો. લિંગારમાંથી મળેલા લેખ દેવતાઓ માટે ત્રણ મદિરા અને પાંચ સ્તૂપે કરાવ્યા. પરથી જણાય છે કે ત્યાંના રાજા અને પુજારીઓએ બૌધ્ધ સાતમીથી અગિયારમી સદી દરમ્યાન બૌધ્ધ ધર્મના પ્રભાવ નિરંતર વધતા ગયા. સાતમી સદીમાં નાલદા વિદ્યાપીઠના ધર્મ પાળ નામના આચાર્ય જાવામાં ગયા હતા, જ્યારે અગિયારમી સદીમાં વિક્રમશીલ વિદ્યાપીઠના મહાન પ્રાચાય અનેલા અનેિશ દ્વીપ'કર શ્રીનાને પેાતાના પ્રારંભિક જીવનમાં સુવર્ણ ભૂમિ જાવામાં જઈ આચાર્ય ચન્દ્રકીર્તિ નામના સ્થવિર પાસે બૌધ્ધ ધર્મ નું શિક્ષણ મેળવ્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy