SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1027
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૨ શ્રી વી. એસ. ચાકસી ( જે. પી. ) શ્રી ચેાકીના ૧૯૦૨ના આકટોબરની ૨૧મીએ જન્મ થયા છે. બાર વર્ષની કુમળીવયે પિતાને ગુમાવતા તેમને અભ્યાસ માટે કઠિન પરિશ્રમ વેઠવા પડયા. છેવટે મુંબઇની શેરીઓમાં સાબુ અને સેાય જેવી વસ્તુએ લારીમાં લઇ વેચવાનું શરૂ કરેલું. ૧૯૨૧માં મુંબઇના વિખ્યાત ઉદ્યોગપતિ (મહૂ મ) ડી. એફ. કામાની આંખમાં એક કુશળ કારકુન તરીકે વસી ગયા શ્રી કામાએ તેમને મમતા પૂર્વક વિવિધ કાર્યોમાં આરંભથી જ પલાટયા અને શ્રી ચાકસીએ પણ પ્રમાણીકતા, કા દક્ષતા અને ઉદ્યમી સ્વભાવથી તેમનામાં મૂકાએલા વિશ્વાસને સાર્થક કરી બતાવ્યે તેમજ કાયદાના ક્ષેત્રે કુશાગ્ર બુદ્ધિ હાંસલ કરી. ૧૯૩૧માં માંદગીના કારણે શ્રી કામા પ્રત્યેની સેવાઓમાંથી નિવૃત્ત થયા. ૧૯૩૨માં તેમણે સૌંદર્ય પ્રસાધનાના ક્ષેત્રે ઝંપલાવ્યું”, ટાંચા સાધના છતાં હિંમત, આત્મ વિશ્વાસ, અને વ્યાપારી દૃષ્ટિને કારણે ધીમેધીમે તેમણે સ્થાપેલી એલવીન સેપ કુાં. લી. વિકસી. ૧૯૪૮ પછીથી વિવિધ પ્રકારના એઇલ્સ, પેપસ, કેમીકલ્સ, વગેરેની આયાત માટે, અને ત્યારખાદ શીપરાઇટ, ઈન્સ્કારન્સ કેલેન્ડર મેન્યુફેકચરીંગ વગેરે વિવિધ વ્યાપારી ક્ષેત્રમાં તેમણે સફળતા પૂર્વક કામગીરી બજાવી અને મેસર્સ વીરજી તેજી એન્ડ કુાં. જેવી પ્રખ્યાત બીલ્ડીંગ કન્સ્ટ્રકટર કંપની તથા મેસસ ચેમ્પીયન ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ જેવી શાહી બનાવતી કંપનીમાં જોડાયા. જોકે પ્રિન્ટીંગ પ્રેસના વ્યવસાયમાં તેમને ઘણી ખાટ સહન કરવી પડી તેમ છતાં અનેક વિધ વ્યાપારી સાહસોમાં તેમણે ખંતપૂર્વક સેવાએ આપી. સરકારી અકુશેા સામે તેમણે તાતામીલ્સના ચેરમેન શ્રીયુત આય’ગાની મદદથી લડત ચલાવી. મુંબઇમાં ૧૯૪૯ અને ૫૧માં આંતર રાષ્ટ્રીય ઉદ્યોગ મેળાઓમાં સલાહકાર સમિતિઓમાં રહીને તેમજ એલઇન્ડીયા ઇંક મેન્યુફેકચરર્સ એસાસીએશન અને ગવર્નીં હોસ્પીટલ ફંડ, મુખઈ, વગેરે સંસ્થાઓમાં પેાતાની અમૂલ્ય સેવાએ આપી તેમના વૈવિધ્યપૂર્ણ વ્યકિતત્ત્વ સાથે ૧૯૫૩થી ૫૭ સુધી તેમણે જે. પી. તરીકે પણ સેવાઓ આપી. ૧૯૬૪થી તેમણે જાહેર ક્ષેત્રે નિવૃત્તિ લીધી પછી પણ મપાત્ર લાક અને પેન્શનરોની સેવાઓમાં રસ ધરાવતા. તેમણે ૧૯૬૯થી ફરી જે. પી. તરીકે સેવાએ આપવાનું શરૂ કર્યું. તેઓ જીવનની સફળતા માટે સખ્ત પરિશ્રમ પ્રમાણિકતા અને મહુશે ઇશ્વરમાં વિશ્વાસની જરૂર છે તેમ ભારપૂર્વક કહે છે. જુગાર અને વ્યસનેાના વિાષી બની અને નિયમિત ટેવ કેળવી તેમણે ૭૨ વર્ષની વયે પણ શારીરિક તંદુરસ્તી જાળવી રાખી છે. Jain Education Intemational એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શ્રી ઇન્દ્રવદન પ્રાઝુલાલ શાહ અમદાવાદના ગર્ભશ્રીમંત અને પરોપકારી કુટુંબમાં ૧૯૨૫ ના માર્ચ ૨૭ મીએ શ્રી ઈન્દ્રવદન શાહુના જન્મ થયા છે. તેમના પત્નિ શ્રીમતિ હંસાબહેનથી તેમને કલ્પના, પાલમી અને ગાગી એમ ત્રણ પુત્રીએ છે. શરૂઆતથી કોલેજ સમય દરમિયાન તેમની અભ્યાસ કારકિદી ઘણી તેજસ્વી રહી હતી. બી. કેામ. થઈને ૧૯૪૬ થી તેમણે એક પછી એક અનેકવિધ વ્યવસાયેામાં ઝંપલાવ્યુ. વેપાર ઉદ્યોગ અને વાણિજ્યના ક્ષેત્રે કાપડ, ઇન્શ્યોરન્સ અને ફાસીના વ્યવસાયે શરૂ કર્યાં. તેઓ તરૂણ કેમ યલ મીલ્સના મેનેજીગ ડીરેકટર પદે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ટેસ્ટીલ લી.,’‘સીમ્સ લેબોરેટરીઝ' સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. અને ગુજરાત રાજ્ય ન ણાકીય નિગમના ડીરેકટર પદે રહી સેવાએના લાભ આપી રહ્યા છે. ખાસ કરી કડલા પોર્ટટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલ વિવિધ સરકારી અને અ સરકારી સંસ્થાઓને તેમની સેવાઓના લાભ મળ્યા છે ગુજરાત રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ એડવાઇઝરી કમિટિ, એમ્પ્લાયમેન્ટ કમિટિ વગેરે સંસ્થાઓમાં પણ તેમણે પ્રતિનિધિ પદે કામ કરેલુ છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને મીલનસાર સ્વભાવ ધરાવતા શ્રી શાહ અનેકવિધ ક્ષેત્રે, વ્યાપારી સસ્થાઓ, અન્ય ખાનગી અને જાહેર સંસ્થાએ તેમજ સાંસ્કૃતિક અને ધર્માંદાસંસ્થાઓને તેમની કા દક્ષ, ઉદ્યમી અને પરગજુ સેવાઓને લાભ આપી રહ્યાં છે. આ સંસ્થાએ પૈકી ઓલ ઈન્ડીયા મેન્યુ ફેકચરર્સ એગેનીઝેશન, બ્લાઇન્ડમેન્સ એસેાસીએશન, ટી. બી. રીલીફ એન્ગેનીઝેશન, દશા પારવાડ વિણક એજયુકેશન સાસાયટી અને લાયન્સ કલબ વગેરે સંસ્થાએમાં જવાબદારીભર્યા હાદા સંભાળ્યા છે. ૧૯૬૬-૬૭ માં તે ડીસ્ટ્રીકટ લાયન્સ ગવનર પદે રહી ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટ મેરીટ અવાર્ડ પ્રાપ્ત કરી ચૂકયા છે. વિશ્વના મોટાભાગના દેશાના પ્રવાસે તેઓ ત્રણવાર જઈ આવ્યા છે. સામી વ્યકિતને પારખી તેની પાસેથી વિવેકપૂર્વક અને મક્કમતાથી કામ લેવાની અદ્ભુત આવડત તેમના સ્વભાવની એક વિશિષ્ટતા છે. શ્રી મધુસુદન રમણિકલાલ મહેતા ભાવનગરના વતની મધુસુદન મહેતાને જન્મ તા. ૨૦મી ફેબ્રુઆરી ૧૯૩૫ ના રાજ થયા છે. બી. ઇ. ( સીવિલ ) ના અભ્યાસ પૂરો કરી તેએ ૧૯૭૦ માં જાપાન જઇ આવ્યા. ચાળીશ વર્ષોંની યુવાન વયે પણ આત્મવિશ્વાસ, સામાજિક સંબંધા અને શિક્ષણુવડે સૂઝ કેળવી તેએ ૧૯૬૨ થી મેટર લાઈન કાસ્ટયન ફાઉન્ડ્રી, ફયુઅલ ઇન્જેકશન લાઇન વગેરે મશીનરી ક્ષેત્રામાં આગળ વધ્યા છે. લગભગ રૂા. પચાસ લાખના ખર્ચે વાળી કાસ્ટીંગ ફોસની વિશાળ ઔદ્યોગિક યેાજના પણ તેમની વિચારણામાં છે. વ્યાપારી–વિકાસ ઉપરાંત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy