SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કપ અંતિમ આરાધનાના દશ અધિકાર આલોચના-અધિકારને અંતે આટલી વિનમ્ર પ્રાર્થના = = નન+ ન આલોચના કારનું આ સામાન્ય વર્ણન કર્યું છે. પૂજ્ય સાધુ ભગવંતોને માટે આ ઉપરાંત દિનગતરાત્રિગત અતિચાર, પગામ સજઝાય, પાક્ષિક અતિચાર, પફિખ સૂત્રમાં આલેચના અધિકાર આવે છે તે વિશેષ વિશેષે મનનીય છે. શ્રાવક ને આશ્રીને વંદિતુ સૂત્ર તથા પાક્ષિકઅતિચાર પણ આલોચના માટે સુંદર સુત્રો છે તેથી તેની અર્થ-વિચારણા કરવી ખૂબ આવશ્યક છે. આમ છતાં ખાસ યાદ રાખવા લાયક વાત એ છે કે આ બધી જ આલેચના સર્વ સાધારણ રીતે ઉપયોગી છે. પણ વ્યક્તિ વિશેષ નથી. સમાધિ મરણ માટે અને ભવભ્રમણ ઘટાડવા તે દરેક વ્યક્તિએ પોતાના જીવનની આવી તમામ ભૂલે કે દુષ્કતોને અલગ વિચારી અને પોત-પોતાના તમામ અપરાધેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. શ્રી વીર પરમાત્મા ગૌતમ સ્વામીને જણાવે છે. હે ગૌતમ! સૂર્યતાપથી જેમ હીમ કે બરફ ઓગળી જાય છે તેમ પ્રાયશ્ચિત રૂપ સૂર્યને સ્પર્શથી, અનેક કરોડો વર્ષોથી એકઠાં કરેલા પાપકર્મો પણ પીગળી જાય છે. - ગાઢ અંધકાર વાળી રાત્રિમાં પણ સૂર્યને ઉદય થતા અંધકાર નાશ પામે છે, તેમ પ્રાયશ્ચિત રૂપી સૂર્ય ઉદયે પાપક રૂપી અંધકાર નાશ પામે છે.” તેથી - દરેક આત્માએ પોતાના જીવનની પંચાચાર-વત વગેરે સંબંધી તમામ ભૂલોને યાદ કરી-કરીને તેની આલોચના કરી ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધિ કરવી. છેદ ગ્રન્થમાંથી ઉદ્ભૂત સુસઢ ચરિત્રાનુવાદમાં જણાવે છે કે – અવંતી દેશમાં સબુક નામે ખેટક હતું. ત્યાં જન્મદરિટિ અને દયાહિન એ સુશિવ બ્રાહ્મણ હતો. કોઈક સમયે યજ્ઞયશા નામક તેની ભાર્યાને ગર્ભ રહ્યો. સુજ્ઞશ્રી નામક પુત્રીને જન્મ આપી તે તત્કાલ મૃત્યુ પામી. - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy