SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ સમાધિ મરણ હે ભગવન્ દ્રવ્ય આવીચિક મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! ચાર પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે (૧) નરયિક દ્રવ્ય આવચિક મરણ (૨) તિર્યંચ દ્રવ્ય આવીચિક મરણ (૩) મનુષ્ય દ્રવ્ય આવીચિક મરણ (૪) દેવ દ્રવ્ય આવીચિક મરણ, હે ભગવન્! એમ શા હેતુથી નૈરયિક દ્રવ્ય આવચિક મરણને નરયિક દ્રવ્ય આવચિક મરણ કહે છે? હે ગૌતમ ! નારક જીવ પણે વર્તતા નારકે એ જે દ્રવ્યને નૈરયિક આયુષ પણે (સ્પર્શથી) ગ્રહ્યાં છે, (બંધનથી) બાંધેલ છે. (પ્રદેશથી) પુષ્ટ કર્યા છે. (વિશિષ્ટ રસથી) કરેલાં છે, (સ્થિતિ વડે) પ્રસ્થાપિત કર્યા છે (જીવ પ્રદેશમાં) નિવિષ્ટ પ્રવેશેલાં છે અભિનિવિષ્ટ અત્યંત ગાઢ પ્રવેશેલાં છે અને અભિ સમન્વગાત્ ઉદયાભિમુખ થયેલાં છે તે દ્રવ્યોને–આવીચિક-નિરંતર પ્રતિ સમય મરે છે છોડે છે, માટે તે હેતુથી હે ગૌતમ! નરયિક દ્રવ્ય આવચિક મરણ (ને) નૈરચિક દ્રવ્ય આવીચિક મરણ કહેવાય છે એ પ્રમાણે તિર્યંચ મનુષ્ય, દેવ દ્રવ્ય આવચિક મરણ જાણવું. એ પ્રમાણે ક્ષેત્ર આવચિક કાલ આવાચિક, ભાવ આવીચિક તથા ભવ આવીચિકમાં આ પ્રમાણે નરક, તિર્યંચ, મનુષ્ય દેવના ભાંગા જાણવા અર્થાત નારક ક્ષેત્ર આવીચિક મરણ તિર્યચનિક ક્ષેત્ર આવીચિક મરણ, મનુષ્ય ક્ષેત્ર આવચિક મરણ, દેવ ક્ષેત્ર આવીચિક મરણ તે મુજબ નરક કાલાવાચિક મરણથી દેવ કાલાવાચિક મરણ, નસ્ક ભાવ આવાચિક મરણથી દેવ ભાવ આવાચિક મરણ, નરક ભવ આવીચિક મરણથી દેવ ભવ આવીચિક મરણ સમજવું. એ પ્રમાણે અવધિ મરણ પણ પાંચ પ્રકારે છે? દ્રવ્ય અવધિ મરણ, ૨ ક્ષેત્ર અવધિ મરણ ૩ કાલ અવધિ મરણ ૪ ભાવ અવધિ મરણ અને ૫ ભવ અવધિ મરણ. તેમજ તે દ્રવ્યથી ભવ સુધી પાંચના દરેકના નરકદ્ર વ્ય અવધિ મરણથી દેવ દ્રવ્ય અવધિ મરણ એમ નરક ક્ષેત્ર અવધિ મરણથી દેવ ક્ષેત્ર અવધિ મરણ એમ કાલ-ભાવ-ભવના પણ ચાર ભાંગા કરવાં. તે જ પ્રમાણે આત્યંતિક મરણના પણ દ્રવ્ય આત્યંતિકથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy