SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ સમાધિ મરણ [જિજ્ઞાસુ શિષ્ય, ગુરૂમહારાજને પૂછે છે કે “હે ભગવન્! કેવા પ્રકારના સાધુ પુરૂષના માટે આ સંથારાની આરાધના વિહિત છે? વળી કયા આલંબનને પામીને આ અન્તિમકાલની આરાધના થઈ શકે ? અને અનશનને ક્યારે સ્વીકારી શકાય? આ વસ્તુ હું જાણવા ઈચ્છું છું, ૩૧ [ગુરૂમહારાજ જવાબ આપે છે કે “જેના મન, વચન અને કાયાના શુભગ સીદાતા હોય, વળી જે સાધુને અનેક પ્રકારના રોગો શરીરમાં ઉત્પન્ન થયા હોય, આ કારણે પોતાના મરણકાલને નજીક સમજીને, જે સંથારાને સ્વીકારે છે, તે સંથારો સુવિશુદ્ધ છે. ૩૨ પણ જે ત્રણ પ્રકારના ગારવથી ઉન્મત્ત બનીને, ગુરૂની પાસે સરળતાથી પોતાના પાપની આલોચન લેવાને તૈયાર નથી, આ સાધુ સંથારાને સ્વીકારે છે, તે તે સંથારો અવિશુદ્ધ છે. ૩૩ જે આલેચનાને ગ્ય છે, અને ગુરૂની પાસે નિર્મળભાવ પૂર્વક આલેચના લઈને સંથારાને સ્વીકારે છે, તેને સંથાર સુવિશુદ્ધ ગણાય ૩૪ શંકા આદિ દૂષણેથી જેનું સમગ્દર્શનરૂ૫ રત્ન મલિન છે, અને જે શિથિલ રીતે ચારિત્રનું પાલન કરવાપૂર્વક શ્રમણપણાનો નિર્વાહ કરે છે. તે સાધુની સંથારાની આશધના શુદ્ધ નથી–અવિશુદ્ધ છે. કપ જે મહાનુભાવ સાધુને સમ્યગ દર્શનગુણ અત્યન્ત નિર્મળ છે, તથા જે નિતિચારપૂર્વક સંયધર્મનું પાલન કરીને પોતાના સાધુપણને નિર્વાહ કરે છે, તેની સંથારાની આરાધના સુવિશુદ્ધ છે. ૩૬ રાગ અને દ્વેષથી રહિત, વળી મન, વચન અને કાયાના અશુભ ગોથી આત્માનું જતન કરનાર તથા ત્રણ પ્રકારના શિલ્ય અને આઠ જાતિના મદથી મુક્ત એવો પુણ્યવાન સાધુ, સંથારા પર આરૂઢ થાય છે, તેને સંથારો સુવિશુદ્ધ ગણાય છે. ૩૭ ત્રણ ગાવથી રહિત, ત્રણ પ્રકારના પાપદંડને ત્યજી દેનાર, આ કારણે જગતમાં જેની કીતિ વિસ્તારને પામી છે, એવા શ્રમણ મહાત્મા સંથારા પર આરૂઢ થાય છે, તેને સંથારો સુવિશુદ્ધ કહેવાય છે. ૩૮ કે, માન આદિ ચારેય પ્રકારના કષાયોનો નાશ કરનાર, રાજકથા, દેશકથા વગેરે ચાર વિકથાઓના પાપથી સઢા મુક્ત રહેનાર એવા સાધુ મહા સંથારાને સ્વીકારે છે, તેને સંથારો સુવિશુદ્ધ છે. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy