________________
રમૈત્યવંદનમાળા
૩૨૭
વિષમકાલમાં કે નહીં, અવધિ કેવલનાણી, તારણહારી એક છે, શ્રી જિન કેરી વાણી...૨ ચૌદ વીશ કૃત ભેદ ને, રત્નશ્ડ મુનિ ભૂપ, ધર્મરત્નનાં ધ્યાનથી, થાશે આત્મ સ્વરૂપ
(૨૦) તીર્થ પદનું ચૈત્યવંદન વિશમું સ્થાનક તીર્થ છે, શ્રી જિનશાસન સાર,
સ્થાવર જંગમ ભેદથી, ઉતારે ભવપાર...૧... તીરથ માને તેહ જે, ટાળે કરમ વિકાર, સ્થાવર માંહી જાણીયે, સિદ્ધાચલ ગિરનાર...૨... અરિહંત ગણધર મુનિવર, જંગમ તીરથરાજ, સમવસરણમાં સમરતાં, દ્વાદશાંગી જિનરાજ૩... સંઘ ચતુર્વિધ તિમ લહ્યો, તીરથ પુન્યવંત, મેરુપ્રભ ભક્તિ કરી, લહેશે પદવી ગુણવત ... તપગચ્છ નાયક સુરતરુ, વિજ્ય ધર્મસૂરિ રાય, તીરથ ભક્તિ જે કરે, રત્નવિજય નમે પાય. પ...
અક્ષયનિધિ તપનું ચિત્યવંદના શાસન નાયક સુખકરણ, વર્ધમાન જિનભાણુ, અહનિશ એહની શિર વહું, આણા ગુણમણું ખાણ...૧... તે જિનવારથી પામીને, ત્રિપદી શ્રી ગણધાર, આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર...૨ તે શ્રી શ્રુતમાં ભાખિયાએ, તપ બહુવિધ સુખકાર, શ્રી જિન આગમ પામીને, સાધે મુનિ શિવ સાર...૩ સિદ્ધાંત વાણું સુણુવા રસિક, શ્રાવક સમક્તિ ધાર, ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર...... તપ તે સૂત્રમાં અતિ ઘણા, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણગેહ..........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org