SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૬ ] [ શાસનનાં શ્રમણીરત્ન આનંદ હતો. આંખો ઘણી કમજોર બની ગયેલી. શિખામણ આપી. છેલ્લી અવસ્થામાં કરચલીઓવાળા મોં ઉપર સંયમને રાગ જે આભા ઉત્પન્ન કરતો હતું તે શબ્દોમાં વર્ણવી ન શકાય. અનુભવે જ સમજાય. બે શ્રમણી ગૃપને અનુમોદનીય એક સૂરએ અનુભવ – મધ્યપ્રદેશ–મન્દસૌર જિલ્લાછરન ગામે વિહાર કરતાં પહોંચ્યા. ત્યાં પૂ. વલભસૂરિજી મ. સા.ના સમુદાયના સાધ્વીજી હશે. કેમ કે કપડાં પીળાં ઉપરથી સમજી શકાય. નહિત એમણે સમુદાય પૂછળ્યો, નહોતે અમે પૂછડ્યો, ન એમણે અમારુ નામ પૂછેલું, ન અમે એમનું નામ પૂછેલું. અમે પહોંચ્યા. એમને વિહાર કરવાને હતા. અમારાં સફેદ કપડાં. પિતાના સમુદાયના નથી, તે તે તેમને ખબર જ હતી. શ્રમણ બહુમાન. સાધુ ભગવંત છે. વંદન કરવું. આવ્યાં. વંદન કર્યું. રૂટીન મુજબ પૂછયું, મહારાજજી, કંઈ કામકાજ છે? મેં કહ્યું, હા. એક બાધા દેવી છે, બોલે, લેશે? (અપરિચિત સાધ્વી જેડે આમ વાત ન થાય તે જ્ઞાન અને તે દિવસે પણ હતું, આજે પણ છે.) સાધ્વીજીએ પૂછ્યું, શેની બાધા? મેં કહ્યું, એક જાપ. તેમણે પૂછ્યું, કયે અને શેને માટે? જવાબ આપ્યો, ચારિત્ર પદને. કેટલે? ૧ કરોડને. ન પૂરો થાય ત્યાં સુધી અમુક વસ્તુ ત્યાગ. જાપ કરતાં પહેલાં સંકલ્પ કર, કે મને સાયિક ચારિત્ર પ્રાપ્ત થાય માટે હું આ જાપ કરું છું. હાથ જોડ્યા. ત્યાગ નક્કી કર્યો. પિતાના પરિવારને પણ બાધા લેવા જણાવ્યું. પચ્ચકખાણ લીધા પછી થેડીક સેકન્ડો એમના ચહેરા ઉપર પથરાયેલું અપાર્થિવ આભા વર્તુળ જે આનંદ ઉr કરનાર, પ્રશંસનીય, અનુમોદનીય, હાય છે તે અનુભવ કરનારને જ ખબર પડે. કઈ પરિચય નહીં, નામ કે સમુદાય જાણવાની કઈ જિજ્ઞાસા નહી, કયાંથી વિહાર કરીને આવ્યા અને ક્યાં જવાના જેવા કેઈ કૌતુહલિક પ્રશ્નો ને પચ્ચકખાણ-આરાધના આ જીવનની પવિત્ર ક્ષણો હોય છે. ગૃહસ્થને આથી સ્વપ્નમાં પણ કલ્પના ભાગ્યે જ આવી શકે. એ થેડી સેકન્ડોના અપાર્થિવ તેજને જોવા માટે આંખો જોઈએ, એ ઉચ્ચતમ આનંદ પ્રાપ્ત કરવા કે પ્રાપ્ત કરનારને દેખવા પુન્યવાની જઈએ. આવા સાત્વિક ઉચ્ચ આનદને જ્યારે જ્યારે જે જે શ્રમણીઓ જે જે કાલે પ્રાપ્ત કરતા હેય તેની અતીવ અતીવ અનુમોદના. આવી જ રીતે લગભગ ૫ કે ૬ સાધ્વીના પૂ. ધર્મસૂરિજીના સાધ્વીજી પચ્ચકખાણ લઈ ગયેલા. સાથ્વીથી મુક્તિપ્રભાશ્રીજી-પૂણભદ્રાશ્રીજી – પૂ. નેમિસૂરિજીના સમુદાયના આ બંને સાધ્વીજી વિશિષ્ટ શ્રમણીઓ હતા. બંને સાથે એટલા માટે લખું છું કે બંને સંસારી સંબંધે મા-દીકરી હતા. માત્ર ૧૩ વર્ષની ઉંમરે દીક્ષિત બનેલા પૂર્ણભદ્રાશ્રીજી ઘણુ સારા અભ્યાસી. જ્ઞાન પચેલું. પુસ્તક જોઈને વાંચનાર સાધુ માસું હોય તે પણ પોતે જાતે જઈને વ્યાખ્યાનમાં બેસે એટલા લઘુતાવાળા. જ્ઞાન ભલે ઓછું હોય, પણ સાધુ મહારાજ અમારા પૂજ્ય જ ગણાય, તે ભાવ વાણું અને વર્તન બંનેમાં. પરિસ્થિતિવશ લગભગ ૧૮ માસાં એક સાથે ખંભાતમાં થયા, પરંતુ એટલા વ્યવહાર વિચક્ષણ, કે એક સ્થાનમાં ૧૮ વર્ષ રહેવા છતાં કોઈને અપ્રીતિ નહીં, અને પૂર્ણ બહુમાન. ભણવા-ભણાવવામાં છેવટ સુધી તલ્લીન, તપશ્ચર્યા પણ ચાલુ રહે. દરરોજ પાંચ જિનાલયનાં દર્શન કરવાનાં. પર સમુદાયના ચાતુર્માસ આવેલા સાધુને એમ ન લાગે કે આ સાધ્વીજી આપણા સમુદાયના નથી. વ્યાખ્યાન ન હોય તે પણ દરરોજ સાધુ મને વંદન કરવાનું કામ પૂછવાનું, કરવાનું. શાસન રાગ અને કુનેહ કેવી હશે, તેને એક પ્રસંગ લખું. એક વખત એક સાધુએ થોડી ભૂલ કરી. જે ઘેર ભૂલ થઈ તે સાધુ પ્રત્યે અભાવવાળા માણસ. રજનું ગજ થાય તે સાધુની અવદશા અને શાસન હિલના. એમને ખબર પડી ગઈ. પહોંચી ગયા. એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy