________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૮૨૧ મહત્સવ ઊજવાયે. જવાબહેન દીક્ષિત સાધ્વીજી તરીકે પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ નામે ઘોષિત થયાં.
તેઓશ્રી પૂ. ગુરુનિશ્રામાં ભણતર ઘેડું ભણ્યાં; પણ ગણતર વિશેષ ભણ્યાં. એ જમાનામાં પણ તેમણે દઢ મને બળ અને સાચી સમજણથી આત્મબળ વિકસાવીને વ્યવહાર ચલ હતાં. પરિણામે તેમની છાપ પડતી. શાસન પ્રત્યેની અજબ શ્રદ્ધાના બળથી સમજી શક્યાં હતાં કે “મહાવીર કરતાં કેઈમેટું નથી. તેમનાં ગુરુ પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ તે સરલ સ્વભાવી અને આત્માથી જીવ હતાં. મેટાં શિષ્યાઓને છેડી શકે તેમ ન હતાં. મેટાં ગુબહેન પૂ. શ્રી ગુણશ્રીજી મહારાજ સારા વિદ્વાન હતાં. બીજા ગુરુબહેને એમને અનુસરે એવી એમની છાપ હતી. તેઓશ્રી શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તકો વાંચતાં તેથી આગમગ્રંથનું વાચન છૂટી ગયું. તેઓ વ્યક્તિરાગમાં આવી ગયાં. નાનકડાં ખાંતિશ્રીજીને આ વાતને વાંધો હતે. ‘મહાવીર કરતાં કેઈ મોટું નથી. એ ભાવમાં રમતાં ૫ શ્રી ખાંતિશ્રીજી મહારાજ ગુરુપરિવારથી અલગ વિચારવા લાગ્યાં. પૂ. શ્રી ધનશ્રીજી નામનાં એક સાધ્વીજી તેમને શિષ્યા રૂપે સમર્થ સહાયક મળી ગયાં. સ્વયં સંયોપશમથી વ્યાખ્યાન આપવાની કળા કેળવી લીધી. એમનાં બાધક વચનો, સાંભળનારના મનમાં પ્રબોધક બની જતાં. વિ. સં. ૧૯૯૦માં ફાગણ સુદ ૩ ને દિવસે ઉનાવાસી ધર્મપરાયણ શ્રી બબલદાસ ન્યાલચંદની સુપુત્રી શકરીબહેન ૧૬ વર્ષની વયે દીક્ષિત બની તેમનાં શિષ્યા બન્યાં. પૂજ્યશ્રીએ એ શિષ્યાને સાધુધર્મની સારી કેળવણી આપી. આગમજ્ઞાન ભણાવી વિદ્વાન બનાવ્યાં. પંડિતે રોકીને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ભણવી ઊંડુ શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું.
આ ગુરુશિષ્યાની જોડીએ વિરલ વ્યક્તિત્વ ઉપસાવી, પ્રખર વસ્તૃત્વશક્તિથી ધમસભાઓ ગજાવવાનો આરંભ કર્યો. બંને એકબીજાના પૂરક અને પ્રેરક બની જૈનશાસનની અને શ્રી પાર્શ્વ. ચંદ્રગચ્છની શોભા વધારવા માટે સમુત્સુક બન્યાં. જયાં જ્યાં વિહર્યા ત્યાં ત્યાં તેઓશ્રીની નિશ્રામાં ધર્મની અજબ છાયા ફરી વળવા માંડી.
તેઓશ્રીએ ઘણુ પુસ્તક લખ્યાં અને વાચન દ્વારા સંગૃહીત ઘણી પુસ્તિકાઓ-પત્રિકાઓ બહાર પાડી. સંશોધન–બુદ્ધિથી ઘણું પ્રશ્નો ઉઠાવીને “સાધ્વી-વ્યાખ્યાન-નિર્ણય” નામે પુસ્તકની તૈયારી કરી, એમાં ધમ ધુરંધર જ્ઞાની ગુરુભગવંતોને ઘણા પ્રશ્નો પૂછળ્યા. કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, ગુજરાતમાં અનેક આત્માઓને પ્રતિબંધ આપી ધમભાવમાં સ્થિર કર્યા. વિ. સં. ૨૦૧૦: માં બે કુમારિકાના દીક્ષા પ્રસંગે પ્રાંગધ્રા શહેરમાં વિશાળ સંઘની તેમ જ ગામેગામનાં આગેવાનોની ઉપસ્થિતિમાં પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજની પ્રેરણાથી પૂ. મુનિપ્રવર શ્રી બાલચ દ્રશ્રીજી મહારાજના વરદ હસ્તે પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજને પ્રવતિનીપદથી વિભૂષિત કરવામાં આવ્યાં. - પૂજ્ય પ્રવતિની શ્રી જયાં જયાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધર્મધજા લહેરાઈ ઊઠતી. એક એકથી ચડિયાતાં ચાતુર્માસમાં કચ્છ-ભુજનું ચાતુર્માસ ખૂબ જ ધમપ્રભાવક રહ્યું હતું. તેમના બંનેનાં વ્યાખ્યાનનાં વખાણ સમસ્ત શહેરમાં વ્યાપી વળી, અંતે રાજદરબાર સુધી પહોંચી ગયા. પરિણામે, રાજા સિવાય સર્વ રાજપરિવાર તેમની ધર્મવાણીને લાભ લેવા આવી ગયેલ. એવી જ રીતે, નલિયા ગામનું ચાતુર્માસ પણ ખૂબ પ્રભાવક રહ્યું હતું. શેઠાણ બાંયાબાઈ આદિ સમસ્ત પરિવાર પૂજ્યશ્રીનું નામ સાંભળતાં આદ્રિત બની શિર ઝુકાવી જતાં એ પૂજ્યશ્રીને પ્રભાવ હતો. માળિયા આદિ ગામમાં માનનીય અને વંદનીય ગુરુ તરીકે છવાઈ ગયેલાં પૂ. ગુરુવર્યા ખાંતિશ્રીજી મહારાજને રાણીવાસમાં ધર્મોપદેશ માટે નિમંત્રવામાં આવતાં. માળિયાના સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org