________________
શસનનાં શ્રમણીરત્ના ]
[ ૭૫૧
વિરાટ અને વિષમ અવની—તલ પર તાજગી—ભર્યાં સુપ્રભાતે, અરુણેાદયનાં સાનેરી કિરણાએ વિસ્તારેલી મનેહર લાલી, ફૂલાની સૃષ્ટિ વડે ઝાકળ બિંદુઓને અપાતી વિદાય, મધુર કલરવ સાથે પક્ષીઓનું આકાશ ભણી ઉડ્ડયન.... આ અખંડ અને અવિભાજ્ય નિસના સૌંદર્યને નીરખતાં સધ્યા ઢળી, અને રાત્રિએ તિમિરની ચાદર ઓઢી. પરંતુ તે તિમિરની ચાદરને જાણે દૂર કરવા માટે જ મહેસાણા જેવી ઉત્તમ ભૂમિ પર પૂ. ગુરુદેવના ભા. સુ. ૨ ને બુધવારે રાત્રિના સમયે જન્મ થયે!. મુખનાં દર્શન થતાં જ પિતાશ્રી મૂળચંદભાઈ તથા માતુશ્રી ચંપાબહેનનુ હૈયુ· હિલેાળે ચડયુ, જેમ સાગર ચદ્રને જોઈ ને અને કમળ સૂર્યને જોઈ ને હિલેાળે ચડે તેમ. માત-પિતાએ કમળ નીકળી જેવી બાળાનું નામ પેાતાના મનારથની સાથે કમલા તરીકે પ્રસિદ્ધ યુ. બીજના ચંદ્રની જેમ વધતી તે બાળાને વિકાસ થવા લાગ્યા. ઉત્તમ માનવને પૂર્વના સુસ'સ્કારા જ જાણે કામ કરતાં ન હેાય, તેમ જમતાંની સાથે જ સુસ'સ્કારો પ્રગટ થવા લાગ્યા, ને ‘· પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવતને સાર્થક કરી. બસ, હવે તે પૂર્વની પુણ્યાઈ ચેામેર ફેલાવા લાગી. માત-પિતા અને વડીલજના પાસેથી ધર્મના સસ્કારી મળતા રહ્યા, અને ધર્મની શ્રદ્ધા વધતી રહી. જ્ઞાન-પિપાસુ માતપિતાએ હવે બાહ્ય તેમ જ આધ્યાત્મિક જ્ઞાન માટે તે કમલાને જ્ઞાનની પરબ પાસે મેલી, અને પેાતાના જીવનનેા વિકાસ કઈ રીતે કરવા તેવું જ્ઞાન ન હેાવા છતાં વ્યાવહારિક અભ્યાસની શરૂઆત કરી. હજુ તો ઘરમાં એક રત્ન આવ્યુ', ત્યાં તે બાલ્યાવસ્થામાં પિતાના વિરહ થયેા.
સમય–પ્રવાહ ચાલુ રહ્યો. દિવસ ઉપર દિવસ જવા લાગ્યા. તે સમયે માતા તથા પુત્રીને એકાએક સમેતિશખરની યાત્રા કરવાનું મન થયું. તીની યાત્રા કરતાં-કરતાં સંયમની ચાત્રાને ભાવ જાગૃત થઈ ગયે!, પ. પૂ. કીતિ સાગરસૂરિ મ. સા.ના પ્રવચન અને સદુપદેશથી. વૈરાગ્યથી વાસિત બનેલા આત્માને એક જ ચિનગારી કાફી છે, એ વૈરાગ્ય દ્વારા સંસાર અસાર દેખાવા લાગ્યા. આ અસાર સ'સારને લાત મારી પ્રભુએ બતાવેલી નિષ્પાપવૃત્તિ એટલે સયમ કયારે ગ્રહણ કરુ. ચારિત્ર વિના મુક્તિ નથી—એ વાકય પેાતાના અંતરમાં રમવા લાગ્યુ. કઈ રીતે નીકળવું? ઘરમાં કેઈ બીજી વ્યક્તિ નહીં. માતાને એકલા મુકાય નહી, જ્યારે બીજી બાજુ વિચાર કરતાં, માતાને દમ વગેરે બીમારી. બીમારીઓએ શરીને ઘેરી લીધું. શું કરવું ? કારણ, જન્મદાત્રી માતાના ઉપકાર કે જેણે બાલ્યવયથી મેટા કર્યા, ધર્મીના ઉચ્ચતમ સૌંસ્કાર આપ્યા, તેથી તે ઉપકાર ભૂલી જવાય તેમ નહાતું. આથી એક દિવસ સમયસૂચકતા વાપરી માતાને કહ્યું કે મારે ચારિત્રગ્રહણ કરવુ` છે. સ'સારના ભૌતિક પદાર્થોં અને પાપમય સ‘સારમાં મારે રહેવુ નથી, અને આપ પણ મારી સાથે સયમ ગ્રહણ કરે! એવી ઇચ્છા છે.
પુત્રીના માતૃઆદર અને વૈરાગ્યભર્યાં. વચના સાંભળીને માતા પેાતાના આત્માભિમુખ થવા તૈયાર થયાં. પ્રમાદને દૂર કર્યાં. પુત્રીની સાથે સયમ ગ્રહણ કરવાના મનારથ થયા. જીવનના સારભૂત ચારિત્રની વાનગી-રૂપ નમસ્કાર–મહામત્રને ગણવા, ગુરુગમથી સૂત્ર મેળવવા, મેાક્ષની વરમાળા માટે પ્રથમ ઉપધાન તપની આરાધના સ. ૧૯૯૧ માં મહુવા મુકામે બન્ને આત્માએએ સાથે જ કરી, અને જીવનના અણુમાલ લ્હાવા લીધે
ઉપધાન તપની માળારોપણ બાદ તુરત જ સંયમ ગ્રહણ કરવાનો નિશ્ચય કરી દીક્ષાનું મુહૂત કઢાવ્યું. સં. ૧૯૯૧ માં ફાગણ સુદ ૨ ના દિવસ આવ્યો. જોત-જોતામાં દિવસ ઉપર દિવસ વીતવા લાગ્યા અને દીક્ષા ગ્રહણ કરવાના સાનેરી દિવસ આવી ગયા. તે સમયે તેમનાં સૌંસારી માસીની પણ દીક્ષા થયેલી હતી. તેઓ પૂ. ઇન્દ્રશ્રીજી મ. સા. તરીકે હતાં. સંયમ ગ્રહણ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org