SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના તેમનાં લગ્ન થયાં. તેમ છતાં ગૃહસ્થાવસ્થામાં પણ તેમનુ` મન વૈરાગ્યમય રહેતું અને સયમની ભાવના ભાવ્યાં કરતાં. પિત! અને પતિએ તેમની આ ભાવના જોઈ ને તથા શ્વસુરપક્ષ તથા પિયરપક્ષના સૌ સ``ધીએએ એકમતે દીક્ષા માટે સમતિ આપી. વિ. સં. ૧૯૫૪ના માગશર સુદ ૧૦ના દિવસે પૂ. પન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજની નિશ્રામાં બાળબ્રહ્મચારિણી સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે ચતુવિધ સંધ સમક્ષ મહામહેાત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી; અને તેમને શ્રી તિલશ્રીજી મહારાજ નામે ઘેષિત કરવામાં આવ્યાં. સાધ્વીશ્રી તિલકશ્રીજી જ્ઞાનપિપાસુ હેાવાથી તેઓએ શાસ્ત્રાભ્યાસ વધારવા વિશેષ લક્ષ પરાવ્યુ અને સંસ્કૃત, પ્રાકૃત, પ્રકરણા, કમ પ્રથા તથા દશવૈકાલિક આદિને ઊંડે અભ્યાસ કરી લીધે. સ. ૧૯૫૪ના જેઠ સુદ ૬ ના દિવસે તેઓશ્રીને વડી દીક્ષા આપવામાં આવી. જ્ઞાન, ચારિત્ર અને તપથી ઢેઢીપ્યમાન બનેલા તેમના ઉન્નત સંયમજીવનની સુવાસ સર્વત્ર પ્રસરી ઊઠી અને પૂજ્ય ગુરુણીશ્રી શિવશ્રીજી મહારાજના પિરવારની સખ્યામાં તેમ જ પ્રતિષ્ઠામાં સારે। એવા વધારે થયા. પૂજ્યશ્રીને જ્ઞાનની એવી લગની હતી કે, ઘેાડા સમયમાં તેઓશ્રીએ આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, જ્ઞાતા ધમ કથા, પસૂત્ર, કમ્મપયડીસૂત્ર, પંચસંગ્રહ, રઘુવંશ, વ્યાકરણ, વિપાક, અમરીષ આદિના અભ્યાસ કર્યા; અને સમગ્ર સાધ્વીસમૂહમાં વિદુષી સાધ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. સા સા સાધ્વીજીએને! સમુદાય એક જ છત્રછાયા તળે વિચરતા અને ખૂબ જ સ્નેહભાવથી અધ્યાત્મમાણે પ્રગતિ કરતે!, તે બધા પ્રતાપ શાંતમૂર્તિ પૂ. સાધ્વીરત્ન શ્રી તિલકશ્રીજી મહારાજના હતા. તેઓશ્રી વિશાળ જ્ઞાની હતાં, તેમ દીર્ઘદ્રષ્ટા અને શાસનપ્રભાવિકા પણ હતાં. સં. ૨૦૦૯ના પાષ વદ ૧૧ ને દિવસે તેએશ્રી ૭૭ વર્ષની ઉંમરે, ૫૫ વર્ષીના દીધ` દીક્ષાપર્યાય પાળી, અમદાવાદ રાજનગરમાં સ્વગે સિધાવ્યાં. તે સમયે પૂજ્યશ્રીના આત્માની પરમ શાંતિ અર્થે અનેક સ્થળોએ ભવ્ય મહેાત્સવ ઊજવાયા હતા. તેઓશ્રીના જ્ઞાન અને તપના ભવ્ય વારસે આજે પણ તેમનાં શિષ્યા-પ્રશિષ્યાઓમાં જીવત રહ્યો છે અને જૈનશાસનનુ તથા સમુદાયનુ ગૌરવ વધારી રહેલ છે. એવાં જ્ઞાની-તપરવી વાત્સલ્યમૂર્તિ સાઘ્વીરત્નાને કેટિશઃ વંદના ! પૂ. સાધ્વીશ્રી તિલકશ્રીજી મહારાજ મણિ હરફેર શ્રીજી શ્રીજી । I , ભાનુ હેમ મતે હર ધમ શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી [જુએ [જુએ જીવન જીવન પરિચય] પરિચય Jain Education International ' માંગળ મૃગેન્દ્ર શ્રીજી જુઆ વન પરિચય I મહેાય રાજેન્દ્ર લધિ વિદ્યુત સુમોંગલા માવ શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી [જુએ જીવન પરિચય મનેાજ્ઞાશ્રીજી વિશુદ્ધ ચારિત્રધારી અને સદ્ગુણાનુરાગી પૂ. સાધ્વીવર્યાશ્રી હેમશ્રીજી મહારાજ નિશાનાથ જેમ અનેક નક્ષત્રા અને તારાએથી પરિવૃત્ત હોય છે તેમ પૂ. તિલકશ્રી I I સુત્રતાશ્રીજી ચેલણા શ્રીજી આજે વીછ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy