SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [6] અરે! આ તો ઊંચો ગઢ ગિરનાર....ભયંકર વરસાદ...કોકિલકંઠીનો ધ્વનિ કર્ણમાં ગુંજ્યો. “સંજમ નિહુઓ ચર”....આપની કાયા તો કમળ કરતાં કોમળ છે. પણ આપના સ્વરમાં પડકાર છે. ઓ મહાસતી ! શું તમે રાજુલ નહિ? ક્ષત્રિયની પુત્રી, ક્ષત્રિયની પત્ની....અને વીતરાગ માર્ગનાં ઉપાસિકા....સાધ્વીઓ! નિર્ભય બનો! નિડર બનો! બહાદુર બનો! આસુરી તત્ત્વો સામે રણભેરી વગાડો! તમારા બ્રહ્મચર્યનો એટલો પ્રભાવ હોવો જોઈએ. પાપી-વિકારી આત્માની વિકાર ભાવના બળીને ભસ્મીભૂત થઈ જાય. રહનેમિ ઇતિહાસની દષ્ટિએ યાદવ કુળના નબીરા હશે; પણ.... પ્રત્યેક યુગમાં પુરુષ હોય છે. વાસના- આધીન પણ થાય છે. માર્ગ ભૂલેલ મુનિવર હોઈ શકે પણ દરેક યુગમાં રાજુલ જેવી આય પેદા થવી જ જોઈશે. ખુદના પડકારથી ક્ષત્રિયોને, સત્તાધારી પક્ષને પણ સત્ય માર્ગે લાવનાર સતી-મહાસતી પેદા થવી જોઈએ. સતીના સત્ સામે વિકારી પુરુષ બાળક છે. વાત્સલ્યના નીરથી માર્ગ ભૂલેલ મુનિવરને માર્ગે વાળે, પણ મુનિનો માર્ગ ન ચૂકવે. માર્ગદર્શન આપે અને સાધુતાની સુંદર વાટે વાળે તે મહાસતી રાજુલા. વાસનાયુક્ત પુરુષને બાળક સમાં નિર્દોષ બનાવે તે રાજુલ. આ યુગમાં પથદર્શિકા રાજુલાજીની જરૂર છે. ગુરુમાતા! આશીર્વાદ આપો...આપ જેવાં ધર્મમાતા બનીએ. સાધ્વીની મયદા : આમ નહિ ચાલે...નહિ ચાલે...સમુદાય શિસ્ત અને અનુશાસનથી ચાલે. ભલે તમે સંસારનાં રાજરાણી હો....ભલે તમે સત્તાધીશ હતાં પણ અત્યારે એક સાધ્વીજી છો! સાધ્વીની મર્યાદા હોય છે. સાધ્વીજીવનના નીતિનિયમ હોય છે. આ સાધ્વીજીવનમાં “અતિ” કંઈ પણ ન ચાલે. ગુરુણી ! ઓ તારક ગુરુણી ! ક્ષમા કરો. ભૂલ મારી. હવે નહિ કરું. આપની હિતશિક્ષામાં જ મારો ઉદ્ધાર.... ' અરે આપ ગુરુ-શિષ્યનો સંવાદ હિતશિક્ષાનું આદાન-પ્રદાન મારા અપ્રમત્ત ભાવને આહ્વાહન કરે છે. આપે પેદા કરેલ અપ્રમત્ત ભાવમાં આપની દિવ્ય મુખાકૃતિ નિહાળું છું. ઓળખાઈ ગયાં, આપ ગરવા ગુરુવર્યા ચંદનબાલાજી. આપ વિનયમૂર્તિ મૃગાવતીજી! કેવલજ્ઞાનનું દાન કરનાર ગુરુવર્યા કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર મૃગાવતીજી. ઓ મૃગાવતીજી! ઓ વંદનીય ચંદનબાળાજી! અમે પણ આપનાં શિષ્યા છીએ. મહાસતી મૃગાવતીજીની જેમ અમારી ઉપર કૃપા ન કરો....વિનંતિ સ્વીકારો! કૃણુત! કૃણુત! તમારે ગુરુ બનવું છે? ગુરુ કાચા ન ચાલે, ગુરુ પોચા ન ચાલે. ગુરુ તો ભીમાકાંત ગુણવાળા જોઈએ. સંસારની સમસ્ત તરુણીઓને, યુવતીઓને તારવાની જવાબદારી તમારી છે. નારીસંસ્થાને નાથવાની છે. તે કયાંય ઉન્મત્ત ન બને, સ્વચ્છંદ ન બને. શીલ અને સદાચારની પવિત્ર ગંગોત્રી વહેતી રાખવાની છે. સગુણો જુઓ ત્યાં કમળથી પણ કોમળ બનજો. વાત્સલ્યનાં નીર વહાવજો-- પણ એકલા વાત્સલ્યથી ન ચાલે. કડક અનુશાસન સમુદાયનો આધારસેતુ છે. અનુશાસન માટે ચક્રવર્તી રાજપુત્રી–રાજમાતા હોય તો પણ કહેવાનું, એ બધી વાસી પદવીઓ છે. તાજી અને આરાધ્ય પદવી તો તમે સાધ્વી છો. સાધ્વી અનુશાસન અને મયદાની મૂર્તિ જોઈએ. વિશ્વને તમારે શીલ, સદાચાર અને સંસ્કૃતિના મહાન પાઠ ભણાવવાના છે. તમે ભૂલો તો સમસ્ત જગત ભવની ભુલભુલામણીમાં અટવાઈ જાય. મારી પરંપરા આય ચંદનાની પરંપરા..આપના પર યોગક્ષેમની જવાબદારી છે. બધે જ મીઠા રહીએ તે ન ચાલે. કલ્યાણ કાજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy