SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ આ જ ગુણોની ગુણવત્તાએ અને અરિહંતમાં તેમની અસીમ આસ્થાએ આંતરરાષ્ટ્રિય આગેવાનીના આકાશમાં વિહરતા કર્યા અને ૧૯૯૪-૯૫માં જૈન સૌશ્યલગૃપ ફેડરેશનના આંતરરાષ્ટ્રિય પ્રમુખ તરીકે વરણી પામ્યા. આજ સમયગાળા દરમિયાન જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના પાંચમા આંતરરાષ્ટ્રિય અધિવેશનના આયોજન વેળાએ ૬૦૦૦થી પણ વધુ સભ્યો તેમનું સલોણું સાંનિધ્ય પામી શક્યા. સુરેશભાઈમાં રહેલી નેતૃત્વની નૈતિકતાનો, કાર્યકરોની વૃત્તિને પ્રવૃત્તિમાં બદલવાની પ્રવીણતાના સૌ પ્રત્યક્ષ સાક્ષી બન્યા. સૌ જોઈ શક્યા આમંત્રિતોને આવકારવાની તેમની અંતરભીની આતિથ્યભાવનાને ! સૌ જોઈ શક્યા તેમની સંયોજનની પ્રતિબદ્ધતાને ! ઘડીએ ઘડીની ઘટમાળ જાણે પહેલેથી જ ઘડાયેલી ન હોય ? સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રીતિ ભોજનની વ્યવસ્થા હોય કે પછી બૌદ્ધિકોની સભામાં ૬૦૦૦ આમંત્રિતોના ઉત્સાહનો ઊમળકો હોય આ સર્વેમાં તેમની કાર્ય પ્રત્યેની નિરંતર નિષ્ઠાનું નિરૂપણ જોવા મળ્યું, અદ્ભુત ! JSG ફેડરેશનનાં આંતરરાષ્ટ્રિય પ્રમુખપદ દરમ્યાન તેઓશ્રીએ દેશ પરદેશમાં પથરાયેલ તત્કાલીન ૧૬૨ જૈન સોશ્યલ ગ્રુપ્સમાંથી મહત્તમ ૧૫૨ ગ્રુપોની શુભેચ્છા મુલાકાત લઈ દૂર-સુદૂર વસેલા જૈન ભાઈઓને ભાતીગળ ભોમકાના ભાઈચારાનો સ્નેહભીનો સંદેશ પાઠવી આવ્યા. વિશ્વના ખૂણેખૂણે જઈ અનેકતાને એક્તામાં પરિવર્તિત કરતી એવી JSG સંસ્થાનું સંવર્ધન કરી આવ્યા. Motivetion, leadership style, Effective public speaking, goal setting process, time management જેવા અનેક વિષયો પર તેમનું નોખું - અનોખું પ્રભુત્વ હોવાને કારણે દેશ-વિદેશમાં સ્લાઈડસના સથવારે અનેક વર્કશોપ સંયોજી નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરવામાં શ્રી સુરેશભાઈનું પ્રદાન પ્રશંસનીય બન્યું છે. તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત કરેલ ‘ગાઈડ લાઈન’ બુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, તેમજ તેઓએ તૈયાર કરેલ ‘પ્રોગ્રામ પ્લાનર’ જૈન સોશ્યલ ગ્રુપના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો માટે ‘યુવાફોરમ’ પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે ૩૦ થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે Jain Education International પથપ્રદર્શક આવી પ્રવૃત્તિઓ પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક પુરવાર થયું છે. આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય સુરેશભાઈ, Indian Nation Trust for Art & cultural Haritage -New Delhi ના કો-કન્વીનર તરીકે કલાસંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી રહ્યા છે. તદ્ઉપરાત પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરૂકૂળના માનદ્ મંત્રી તરીકે પણ સતત પ્રવૃત્ત રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે તેઓ વતનની વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે સતત જડાયેલા રહ્યા છે તેમ જ રેડક્રોસ અને હોર્ટીકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિયપણે સંકળાયેલા છે. SIG રૂદ્ર મહાલયની શૃંગાર ચોકી, સિદ્ધપુર (તસ્વીર : ડૉ. ગોદાની) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy