SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મૂલ્યોને સાચવતી ગુરૂકુલીય શિક્ષા પદ્ધતિ તરફ શ્રી નાનજીભાઈ તેમજ તેમના સાચાં સંગાથીની સંસ્કારમૂર્તિ શ્રીમતી સંતોકબાને આકર્ષણ જાગ્યું અને પુત્રી સવિતાને પોતાના જ કુટુંબની બીજી ચાર કન્યાઓ સાથે વડોદરાના આર્ય કન્યા મહાવિદ્યાલયમાં ભણવા મોકલાવી આપી. ઇ. સ. ૧૯૩૪માં પંડિત આનંદપ્રિયજીના નેતૃત્વ હેઠળ બાવીશ કન્યાઓનું મંડળ - જેમાં શ્રી નાનજીભાઈનાં પુત્રી પણ સમ્મિલિત હતાં. - પૂર્વ આફ્રિકા પહોંચ્યું. ત્યાંની યુરોપિયન, આફ્રિકન અને ભારતીય પ્રજા પર આ મંડળે ખૂબ પ્રભાવ પાડ્યો. જ્યારે આ મંડળની નીલગંગા (નાઈલ) ના ઉદ્ગમ સ્થળવિક્ટોરિયા સરોવરના કિનારે આવેલ જીંજા ગામે પહોચ્યું ત્યારે શ્રી નાનજીભાઈના પ્રમુખત્વ હેઠળ ભરાયેલી સભામાં કન્યાઓનો સર્વાંગી વિકાસ જોઈને દર્શકો આનંદવિભોર થઈ ગયા. અડધી સદી પહેલાં આભડછેટનું ભૂત માનવીના લોહીમાં હતું ત્યારે શ્રી નાનજીભાઈએ ૧૯૩૬માં પોરબંદરમાં આર્યકન્યા ગુરૂકુલનો પાયો એક રિજન બાળાના હસ્તે નખાવી અસ્પૃશ્યતા નિવારણની દિશામાં સાહસિક પગલું ભરીને એક સમાજસુધારક તરીકેના તેમના જીવનનું અનોખું દર્શન કરાવ્યું. આર્ય પ્રણાલીના જ્ઞાન વિજ્ઞાનનો વર્તમાન શિક્ષા પદ્ધતિ સાથેનો સમન્વય એ આ ગુરુકુલની વિશેષતા છે. છેલ્લા ૬૫ વર્ષોમાં પચ્ચીસેક હજાર કન્યાઓ આ ગુરુકુલમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિનાં પાન કરીને દેશ વિદેશમાં સંસ્કાર દીવડીઓ થઈને વસે છે. શ્રી નાનજીભાઈનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય હતો. ૧૯૨૭માં ગાંધીજી છેલ્લી વખત પોરબંદર, કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠકમાં આવ્યા ત્યારે બ્રિટીશ સરકારના રોષની પરવા કર્યા વિના મહારાણા મીલના મકાનમાં જ આ પરિષદ ભરાઈ હતી. તે વાત નાનજીભાઈની રાષ્ટ્રિય ભાવનાના રંગની ઝલક દર્શાવે છે. ૧૯૪૪માં મહાત્મા ગાંધીજીએ પંચગીનીમાં શ્રી નાનજીભાઈના નિવાસસ્થાને બે મહિના રહી, નાનજીભાઈની રાષ્ટ્રિયતાને તથા મહેમાનગતિને અતિ નિકટથી અનુભવીને પૂ. બાપુએ કહ્યું કે ‘સુયજમાન એટલે નાનજી શેઠ.' ભારતને સ્વતંત્રતા મળી. સૌરાષ્ટ્રનું એકમ થયું. આ નવા જ રાજ્યના મંત્રીમંડળ સમક્ષ એક સમસ્યા ખડી થઈ! સૌરાષ્ટ્રમાં પૂરતું અનાજ તો પાકતું ન હતું. પરપ્રાંતમાંથી મંગાવું પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ! રાજ્યની તિજોરી સાવ ખાલી! આવા ઊગતા રાજ્યને પૈસા ધીરી કોણ અનાજ આપે? અને આપે તોય એમાં સૌરાષ્ટ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા શી? સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરની વિનંતીથી પળવારમાં જ શ્રી નાનજીભાઈએ સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા સાચવવા રૂપીયા ત્રીસ લાખ ગણી આપ્યા. સૌરાષ્ટ્રમાં ધાન્ય ભેગું થયું અને સૌરાષ્ટ્રવાસીઓએ નિરાંતનો શ્વાસ Jain Education International પથપ્રદર્શક લીધો. આવી હતી શ્રી નાનજીભાઈની કર્તવ્યનિષ્ઠા. શ્રી નાનજીભાઈ ભા૨તીય સંસ્કૃતિ અને હિન્દુધર્મના સંરક્ષક અને સુધારક હતા. મહર્ષિ દયાનંદ અને પૂજ્ય ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કરવામાં એમણે હ્રદયપૂર્વક ભાગ ભજવ્યો હતો. આપણી સાદી, અબૂધ પણ પવિત્ર જીવન ગાળતી નારીઓના ઉત્થાન અર્થે પોતાની શક્તિનો ઉત્તમાંશ અર્ધો અને માતૃશક્તિનાં શિક્ષણ, ઉત્થાન અને સંરક્ષણના કાર્યમાં અનન્ય ભાવે તેઓ લાગી ગયા હતા. ઉદ્યોગો વધતા ગયા, અર્થની છોળો ઊછળવા લાગી, પરંતુ તેમણે સ્વીકારેલાં જીવનમૂલ્યો કે સેવાકાર્યોમાંથી ક્યારેય ન વિચલિત થયા. ઊલટી એમની કર્મવૃત્તિ અને દાનશીલતા ઉત્તરોત્તર પ્રબળ થતાં ગયાં. એમણે આર્યકન્યા ગુરુકુલને મહિલા કોલેજ જેવી સંસ્થા આપીને આત્માના અમૃતથી ઊછેરી. ‘ભારતમંદિર'ની સ્થાપના દ્વારા ભારતમાતા અને તેના વરેણ્ય સંતાનોએ - ઋષિકલ્પ પુરુષોએ અને સન્નારીઓએ જે સંસ્કૃતિનું સર્જન કર્યું તેને વિનમ્રપણે પ્રેરક અર્ધ્ય આપ્યો. ‘તારામંદિર’ની રચના કરી વિજ્ઞાન અને ઉદ્યોગયુગના પુરસ્કર્તા મહામાત્ય પંડિત જવાહરલાલ નહેરૂની સ્મૃતિને મૂર્ત કરી. ‘મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય'નું ભવ્ય સર્જન કરીને ભારતીય સંસ્કૃતિએ ભાળેલું ઋષિઋણ અનન્ય ભાવે ચૂકવ્યું. પોરબંદરમાં પૂજ્ય ગાંધીજીના જન્મસ્થળને સ્મારકરૂપે આકાર આપી કીર્તિમંદિરના સર્જન દ્વારા શ્રી નાનજીભાઈએ પોરબંદરને જગવિખ્યાત બનાવેલ છે. ગાંધીજીના ૭૯ વર્ષના જીવનને લક્ષમાં રાખી ૭૯ ફૂટની ઊંચાઈ ધરાવતું આ કલાત્મક કીર્તિમંદિર દેશ-વિદેશના પર્યટકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. મુંબઈ જેવા પચરંગી નગરમાં બૃહદ ભારતીય સમાજે એમના આ કાર્ય પ્રત્યે સદ્ભાવ પ્રદર્શિત કરીને તેનું નામ ‘શ્રી નાનજી કાલીદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસ' રાખ્યું. આ તો મોટી ઘટનાઓની વાત થઈ : પણ એવા બીજા પણ અગત્યના બનાવોની તો એક મોટી તપસીલ કરવી પડે! ગામડામાં કુમારશાળા શરૂ કરવી છે : મળો નાનજીભાઈને. કન્યાશાળાનું મકાન બાંધવું છે : પહોંચો નાનજીભાઈ પાસે. તિલક સ્વરાજભંડોળની સૌરાષ્ટ્રની ઝોળી અધૂરી રહે છે ઃ કશી ફિકર નહિ, નાનજીભાઈ તો પડખે ઊભા છે ને! નારી છાત્રાલય સ્થાપવું છે! એમની સ્ત્રી શિક્ષણની ભાવના મદદે ચડે છે. ધર્મની, સંસ્કૃતિની, સમાજની ધોરી નસ સમી કોઈ સંસ્થાને ઉગારવી હોય, જીવાડવી હોય કે નવી સ્થાપવી હોય તો નાનજીભાઈની લક્ષ્મી એનું ઉદાર અર્પણ ક૨વાને હંમેશા તત્પર હોય છે. તે પોતે આપે ને અપાવે. કેટલીક વાર અપાવ્યા પછી આપે. દાન એમની પ્રકૃતિની બીજી બાજુ. એક બાજુ મબલખ ઉપાર્જનની મનીષા તથા શક્તિ અને બીજી બાજુ સ્ વભાવ સહજ અર્પણશીલતા. પોતે સમજે, પોતાને રુચે તેમાં અવશ્ય આપે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy