SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંસ્થાના અત્યારે ચાર હજાર જેટલાં પ્રકાશનો વિવિધ ભાષામાં છે. લગભગ એક હજાર સાતસો ઉપરાંત માણસો એમાં કામ કરી રહ્યાં છે. અમદાવાદ તથા મુંબઈમાં એનાં વિશાળ ભવનોમાં વહીવટી કાર્યાલયો ચાલે છે. ભારતભરમાં એક માત્ર અદ્યતન પ્રેસ “નવનીત' પાસે છે. SAP જેવી અદ્યતન કયૂટર સિસ્ટમ એમાં કાર્યરત છે. આ ‘નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ સંસ્થા સ્વયં એક પ્રચંડ પુરુષાર્થ, શુદ્ધ નીતિ, આદર્શ વ્યવહારુ સંચાલનશૈલી, આડંબરરહિત અને નિરહંકારભર્યા જીવનનું જીવંત મંદિર છે! (સૌજન્ય : શ્રી યશ રાય સરળતાથી સફળતા') આર. આર. શેઠની કંપની શ્રી ભૂરાભાઈ શેઠથી ચિંતન શેઠ સુધી.. વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાંથી ઘણા સાહસવીરો ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને મુંબઈ સુધી વ્યાપાર અર્થે નીકળ્યા હતા. તેમાંના ભૂરાભાઈ શેઠનું નામ પણ એટલા જ આદરથી લેવું પડે. મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટથી તેમણે પુસ્તક વિક્રેતા, મુદ્રકપ્રકાશક તરીકેની કારકિર્દી શરૂ કરી. તેમણે અનેક લેખકો, અનુવાદકોને સાથે લઈને પ્રકાશન પ્રવાસની શરૂઆત કરી. ૨. વ. દેસાઈ તેમના શરૂઆતના કાળના અને સૌથી મહત્ત્વના લેખક હતા. તે ઉપરાંત તેમની સાથે મુન્શીજી, વિ. સ. ખાંડેકર, હરીન્દ્ર દવે, પેટલીકર, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ, ઇલાબહેન, વર્ષાબહેન, મહંમદ માંકડ, દિલીપ રાણપુરા, રમણલાલ સોની, હરીશ નાયક જેવા અનેક લેખકો-અનુવાદકોનું ઓજસ્વી મંડળ હતું. ૧૯૬૦ની આસપાસ તેઓ અમદાવાદ આવ્યા. ૨૦૦૪ની શરૂઆતમાં તેમણે નવી દુકાન પણ શરૂ કરી. આર. આર. શેઠની કંપની ભગતભાઈના હાથોમાં સચવાઈ અને વિસ્તાર પામી છે. હાલમાં ભગતભાઈના દીકરા ચિંતનભાઈ શેઠના યુવા હાથમાં પરંપરાને સંભાળીને સમયાનુસાર ફેરફારો કરી આર. આર. શેઠની કંપનીને આગળ વધારવાની જવાબદારી આવી પડી છે. આ કંપનીનું પોતાનું મુખપત્ર “ઉદ્ગાર' નામે ઘણાં વર્ષોથી નિયમિત રીતે પ્રકાશિત થાય છે. એન. એમ. ત્રિપાઠી ગુજરાતી ભાષાની જાણીતી થયેલી પહેલાંના સમયની નવલકથા “સરસ્વતીચંદ્ર'ના પ્રકાશક એટલે એન. એમ. ત્રિપાઠીની પ્રકાશન કંપની. ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાઈઓ દ્વારા પથપ્રદર્શક એ દિવસોમાં આ કંપનીની શરૂઆત થઈ. અંદાજે ૧૮૮૬ની આસપાસ ભાગ-૧ પ્રગટ થયો. એ જમાનામાં લેખકો જાતે પુસ્તક પ્રકાશિત કરતાં. ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવે અને ધીરુબહેન પટેલનાં પુસ્તકોને તેમણે પ્રકાશિત કર્યા છે. વીસમી સદીની અધવચથી તેમનું વલણ બદલાયું અને તેઓ કાયદાનાં પુસ્તકોના પ્રકાશન તરફ વળ્યા. એમાંય ઘણું કરીને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવા લાગ્યા. આમ, ગુજરાતી ભાષામાં પ્રકાશનપ્રવૃત્તિની શરૂઆતના એ દિવસોની મહત્ત્વની પ્રકાશન સંસ્થા આજે ગુજરાતી ભાષામાં પ્રકાશનો ભાગ્યે જ કરે છે. જીવણલાલ અમરશી મહેતા વીસમી સદીના બીજા દાયકાથી વીસમી સદીના પાંચમા દાયકા વચ્ચે આ પ્રકાશન, સંસ્થા શરૂ થઈ વિસ્તરી અને વિકાસ પામી. અમદાવાદની મહત્ત્વની ગણાતી આ પ્રકાશન સંસ્થાએ યશોધર મહેતાનાં પુસ્તકો પ્રગટ કરેલાં. આઝાદી આંદોલનને લગતાં પુસ્તકોનો એ સમયગાળો આ પ્રકાશન સંસ્થા માટે સુવર્ણકાળ હતો. આઝાદી મળી ગયા પછી સાઠના દસકા સુધીમાં આ સંસ્થા ઘસાતી ચાલી. અત્યારે તેની હયાતી અંગેની કોઈ ખાતરી મળતી નથી. - હરિહર પુસ્તકાલય-સુરત વીસમી સદીની શરૂઆતથી–મહેતાના પ્રયત્નોથી અને ત્યારબાદ અથાક મહેનતથી શરૂ થયેલી-ટકેલી આ સંસ્થા સુરત અને દ. ગુજરાતના લેખકો માટે મોટું મથક બની રહી. નવાઈની વાત એ છે કે, ઉત્તર ગુજરાતના પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ'ને પ્રકાશિત કરનાર પ્રથમ પ્રકાશક એટલે હરિહર પુસ્તકાલય. આ પ્રકાશન સંસ્થાએ દક્ષિણ ગુજરાતના લેખકોની નવલકથાઓ, વાર્તાસંગ્રહો, નિબંધો વગેરે જેવા સાહિત્યપ્રકારનું પ્રકાશન કર્યું છે. સસ્તું સાહિત્યવર્ધક કાયલિય (ભિક્ષુ અખંડાનંદજી) ભિક્ષુ અખંડઆનંદજીએ ૧૯૨૧માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના કરી. શરૂઆતમાં તેમનું ધ્યેય વાર્તાઓ, અનુવાદો અને વિશ્વસાહિત્યને પોતાની રીતે વધુમાં વધુ લોકો સુધી પહોચાડી તે માટેનું હતું. તેમણે ધાર્મિક સાહિત્ય પણ ઘણું છપાવ્યું અને ઘેરઘેર પહોંચતું કર્યું હતું. શરૂઆતમાં તેઓ મુખ્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy