SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ ७७५ હોય ત્યાં સંપત્તિ અને શોહરત સાથે જ હોય. સમાજમાં જવલ્લે જ આ જાતનાં વ્યક્તિત્વ આપણને જોવા મળે છે કે જ્યાં પૈસા અને પ્રસિદ્ધિ કરતાં પ્રેમનું મહત્ત્વ વધુ હોય. આવી એક વ્યક્તિ ડૉ. નિતીન મલકાણ જે મુંબઈના એક જાણીતા નેત્ર વિશેષજ્ઞ છે. કાંદીવલીમાં આવેલ અક્ષર આય ક્લીનિકના ડૉ. નિતીન મલકાણ આંખોના ઓપરેશનમાં તો નિપુણ છે જ પરંતુ એમના દર્દીઓના એ ખૂબ જ માનીતા ડૉકટર છે. વૃદ્ધ દર્દીઓ માટે સહાનુભૂતિ અને પ્રેમભાવ એ નિતીનભાઈનો સહજ સ્વભાવ છે. દર્દીઓ એમના દવાખાનામાં કલાકો રાહ જોઈ જ્યારે એમની કેબીનમાં જાય ત્યારે એમના પ્રેમાળ સ્મિત, નિપુણતા પૂર્ણ તપાસ તથા રોગના ચોક્કસ નિદાનથી સંતુષ્ટ થઈ બહાર આવે છે. ગુજરાતમાં દાહોદના એક પ્રતિષ્ઠિત વણિક કુટુંબમાં જન્મેલા નિતીનભાઈ શાળાનું ભણતર પૂરું કરી વિજ્ઞાન શાખામાં આગળ ભણતર માટે વિદ્યાનગર ગયા. એક વર્ષ પ્રીસાયન્સનો અભ્યાસ પૂરો કરીને બરોડામાં પ્રી-મેડીકલ અને પછી એમ.એસ. યુનિવર્સિટી બરોડાથી એમ.બી.બી.એસ. ની ડિગ્રી હાંસલ કરી. શરૂઆતથી જ સરળ પરંતુ મક્કમ સ્વભાવના ડૉ. નિતીનની જ્ઞાનની ભૂખ હજી અધૂરી જ હતી અને એથી એમ.એસ. ની ડિગ્રી હાંસલ કરવા અમદાવાદ શહેરમાં પગ મૂક્યો. આપણા દેશમાં લાખો લોકો નિવારી શકાય એવા અંધાપાથી પીડિત છે. અને એમાં મોટા ભાગના લોકો વૃદ્ધો છે. જે મોતિયા અને ઝામર જેવી આંખની બિમારીને કારણે દૃષ્ટિ ગુમાવી દે છે. આવી વ્યક્તિઓને સહાયરૂપ બનવાના આશયથી ઓપ્થલમોલોજીને વ્યવસાય બનાવવાનો નિર્ણય ડૉ. નિતીનભાઈએ લીધો. અમદાવાદની ‘નગરી હોસ્પિટલ'માંથી ૧૯૮૬માં ગોલ્ડ-મેડલ મેળવી એમ.એસ. ની ડિગ્રી હાંસલ કરી. કારકિર્દીની શરૂઆતથી જ પૈસા કરતાં કામને નિષ્ઠાપૂર્વક તેમજ નિપુણતાથી પૂરું કરવાનો એમનો ધ્યેય હતો. દર્દીનું નિદાન યોગ્ય થાય અને એમને યોગ્ય સારવાર મળે એ જ એમનો સંતોષ હતો. ગરીબ અને જરૂરિયાતવાળા દર્દીઓ વિના–સંકોચે એમના દ્વારે આવતા. કાંદીવલીમાં પોતાના પ્રાઈવેટ ક્લીનિકની સાથે જરૂરિયાતવાળા દર્દીઓને એમની કુશળ આંગળીઓનો લાભ મળે એ હેતુથી ‘હિતવર્ધક’ આંખની હોસ્પિટલમાં છેલ્લા પંદર વર્ષથી ઓનરરી આય સર્જન તરીકે આ સંસ્થામાં સેવા આપે છે. મૃદુ સ્વભાવ અને મીતભાષી તેમજ આગવું sense of humour એ નીતિનભાઈનાં વ્યક્તિત્વના આગવા પાસા છે. Jain Education International પથપ્રદર્શક વૃદ્ધોની જેમ બાળકો માટે પણ ખૂબ જ પ્રેમ. ક્લિનીકમાં જો કોઈ બાળક દર્દી બનીને આવે તો એની સાથે રમતમાં ભૂલી પણ જાય છે. બહાર દર્દીઓની ખૂબ ભીડ છે. આપણાં દેશના બાળકો અને એમનાં ભણતર તથા ભવિષ્યની ચિંતા કરનાર નિતીનભાઈ મલાડ (પૂર્વ)માં આવેલી ‘સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી' સંચાલિત જે.ટી.ડી. હાઈસ્કૂલ અને ડી. ટી. એસ. એસ. કોલેજના આજીવન સભ્ય છે. સામાજીક કાર્યોમાં હંમેશા તત્પર ડૉ. નીતિનભાઈ ૧૯૯૦ થી રોટરી ક્લબ ઓફ બોમ્બે નોર્થ-વેસ્ટના સભ્ય છે. અને ઇ.સ. ૨૦૦૧-૨૦૦૨માં આ સંસ્થાના પ્રમુખ પણ હતા. એમના પ્રમુખપદે સંસ્થાએ અતી અદ્યતન એલ. એમ. પટેલ રોટરી આય હોસ્પિટલની શરૂઆત કરી. આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને રાહત દરથી આંખના દરેક રોગનું નિદાન તેમજ નિવારણ કરવામાં આવે છે. હાલમાં આ સંસ્થાના તેઓ ચીફ કોઓર્ડિનેટર છે. જ્ઞાન હંમેશા વહેંચવાથી વધે છે એવું માનનાર નિતીનભાઈ આસપાસના વિભાગના બધા ડૉક્ટરો અને ખાસ કરીને જુનિયર આય-સર્જનોના માનીતા છે. વિના સંકોચે આંખની શસ્ત્રક્રિયા શીખવવા એ હંમેશા તત્પર હોય છે. એથી જ અક્ષર આય ક્લિનીકના એમનાં ઓપરેશન-થીયેટરમાં વારંવાર જુનિયર આય સર્જનો જોવા મળે છે. ઇ.સ. ૨૦૦૧માં અમેરિકામાં યોજાયેલ ASCRS ની આંત૨રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓ ડેલીગેટ તરીકે ગયા હતા તેમજ ૨૦૦૪ના મે મહિનામાં સિંગાપોર સ્થિત આય હોસ્પિટલમાં પણ ડેલીગેટ તરીકે ગયા હતા. હિન્દુસ્તાનમાં તો અનેક વખત વિવિધ પ્રાંતોમાં (કલકત્તા, મુંબઈ, જામનગર, ચેન્નાઈ વગેરે) આંખોના નિષ્ણાતોની કોન્ફરસમાં એમને વક્તા તરીકે નિમંત્રણ મળે છે. વાંચન, સ્વીમીંગ અને પ્રવાસના શોખીન નિતીનભાઈ એ ફક્ત મલકાણ કુટુંબનું જ ગૌરવ નથી આખાય ગુજરાતી સમાજનું ગૌરવ છે. * પ્રતિષ્ઠિત ગાંધીવાદી, શિક્ષણશાસ્ત્રી, વ્યવસાયે વકીલ શ્રી પ્રાણલાલ મજલાણીના સંપર્કમાં ડૉ. નીતિનભાઈ આવ્યા અને એમનાં પુત્રી ગીતાબેન જેઓ વ્યવસાયે પેથોલોજીસ્ટ છે અને વકીલાત તેમજ પત્રકારત્વની ડીગ્રી ધરાવે છે એમની સાથે જીવનભર સાથે જીવવાનો નિર્ણય કર્યો. ૧૯૮૯માં ડૉ. નીતિનભાઈ અને ગીતાબેન લગ્નગ્રંથીથી જોડાયાં. અને ૧૯૯૧માં એમના ઘરે પુત્રરત્નનો જન્મ થયો. સ્વભાવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy