SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સોપારીના પિતૃક વ્યવસાયમાંથી ૧૯૮૫માં નિવૃત્ત થઈ, ઘણાં વર્ષોથી માત્ર લેખન અને અધ્યયન કરી રહેલા કિશોર પારેખ ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર'માં કોલમ લેખન કરી રહ્યા છે. અભ્યાસકાળ દરમિયાન સતત વાચન તેમજ સાહિત્યિક કાર્યક્રમોમાં સતત સામેલ થતા રહ્યા હતા. એમ.એ.માં ફર્સ્ટ ક્લાસ ન આવતાં પ્રાધ્યાપકની નોકરી ન મળી પણ વાચનઅધ્યયનનો શોખ લાગ્યો હતો, જે આજે નિવૃત્તિકાળમાં ઘણો મદદગાર બન્યો છે. ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં (૧) અપ્રાપ્ય પુસ્તકોનાં રસદર્શનની કોલમ ‘આપણો અક્ષર વારસો'. (૨) ગુજરાતીની પ્રશિષ્ટ રચનાઓનો પરિચય કરાવતી ‘ફરી વાંચીએ' તથા (૩) વિશ્વસાહિત્યનો પરિચય કરાવતી ‘બારી–બહાર’—આ ત્રણ કોલમોનું તેમણે લેખન કર્યું હતું. હાલ આ જ અખબારમાં (૪) ‘પ્રણયકથા’ (દર રવિવારે) (૫) લુપ્ત થતા કારીગરો અને ફેરિયાઓ વિશે ‘કહાઁ ગયે વો લોગ' કોલમ (શનિવારે) નું લેખન કરી રહ્યા છે. ‘જન્મભૂમિ’દૈનિકમાં ‘કલમ અને કિતાબ' નામનો વિભાગ લખે છે જેમાં પુસ્તકોનું વિવરણ પ્રગટ કરવામાં આવે છે. કિશોર પારેખનાં પ્રગટ થયેલાં પુસ્તકો આ મુજબ છે(૧) “આપણો અક્ષરવારસો'' (૨) આપણો અમૂલ્ય ગ્રંથવારસો તેઓ જણાવે છે “આયુષ્યની ઢળતી સાંજે ઘણા લોકો વીતેલા યુગને યાદ કરીને જીવતા હોય છે જ્યારે સાહિત્યસર્જનને કારણે પ્રવૃત્તિનું ઇતરક્ષેત્ર મળ્યું છે તેનો મને આનંદ અને સંતોષ છે.’ ગુલાબરાય છોટાલાલ ભેડા ગુલાબ(રાય) છોટાલાલ ભેડાનો જન્મ જામનગરમાં ૨૦ જુલાઈ, ૧૯૩૨ના રોજ થયો હતો. હાલ મુંબઈમાં ૫૮ વર્ષથી રહે છે. તેમનાં પત્ની વીણાબેન તેમનો વ્યવસાય સંભાળે છે, અને પુત્રી હર્ષા મુંબઈની વિલ્સન કોલેજમાં ફિલોસોફી ભણાવે છે. ગુલાબભાઈ પ્રારંભે કમર્શિયલ ફોટોગ્રાફર હતા; પછી મુદ્રક બન્યા અને છેલ્લે જમીન વિકસાવનાર બન્યા. હાલમાં ૧૦ વર્ષથી વ્યાવસાયિક નિવૃત્તિ લીધી છે. Jain Education International ૦૫ તેમને વાચન, લેખન, હળવું સંગીત સાંભળવાનો, તાત્ત્વિક ચર્ચા કરવાનો તથા સામાજિક કાર્યો કરવાનો શોખ છે. તેઓ ૧૯૫૯ થી ૧૯૯૧ સુધી ૩૩ વર્ષ સુધી જ્ઞાતિમાસિક ‘બ્રહ્મક્ષત્રીય’ના તંત્રીપદે હતા. ૧૯૮૫ થી ૧૯૮૭ ફેબ્રુ. સુધી ખાદી ભવનની માસિક ‘ખાદીપત્રિકા'નું સંચાલન-સંપાદન અમૃતલાલ યાજ્ઞિક અને મૃણાલિની દેસાઈના સહયોગમાં સંભાળતા હતા. વિવેકપંથી જૂથ (રેશનાલિસ્ટ ગ્રુપ)ના માસિક મુખપત્ર ‘વિવેકપંથી’ના તંત્રી તરીકે ૨૦૦૧ થી સેવા આપી રહ્યા છે. તેમણે ‘જાણું તેવું કહું' (સવાલ-જવાબનું સંપાદન), ‘ગુજરાતી જોડણીની સુધારણા', જોડણી–સુધાર મોરચે મુંબઈ’ અને ‘યશવંત સ્મૃતિ’ પુસ્તકનું પ્રકાશન કર્યું છે. ૧૯૭૮ માં ‘જન્મભૂમિ-પ્રવાસી' થી શરૂ કરીને ‘સમકાલીન' સુધી ચર્ચાપત્ર લેખન તથા કેટલાક લેખો પણ લખ્યા છે. જોડણીમંચ” મુંબઈની યશવંત દોશીની અધ્યક્ષતામાં સ્થાપના કરી જોડણીસુધાર ક્ષેત્રે વ્યાકરણવિદ્ ઊર્મિબેન દેસાઈ સાથે મળીને કામ કર્યું. જે યશવંત દોશીના અવસાન પછી બંધ છે. અત્યારે ગુજરાતી ભાષા પરિષદના મુંબઈ ખાતેના કાર્યકર છે. પરિષદનું પાયાનું કામ જોડણી સુધારનું છે. તેમાં પ્રથમ પગલું ગુજરાતી લેખનમાં એક જ ‘ઈ’ (દીર્ધ) અને એક જ ‘ઉ’ (સ્વ) રાખવાનું છે. પ્રસિદ્ધ પત્રકાર-લેખક અજિત પોપટ અજિત પોપટે એમ.એ.માં બ. ક. ઠા. ચન્દ્રક મેળવ્યો હતો તે ઉપરાંત રાષ્ટ્રભાષા રત્ન, સંગીતના વિશારદ, મરાઠી, હિન્દી, બંગાળી ઉપરાંત જર્મન અને ઉર્દૂ ભાષાના જાણકાર અજિત નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંગીતકાર અને રેડિયોકલાકાર પણ છે. તે ઉપરાંત રસોઈકળામાં અને ગાર્ડનિંગમાં પણ નિષ્ણાત છે. કવિ કરસનદાસ માણેક એમના દૂરના મામા થાય અને ભાણેજ અજિત ભજનકીર્તનમાં પણ રસ લે. વચ્ચે થોડોક વખત સંગીતના શિક્ષક તરીકે શાળામાં નોકરી પણ કરી હતી. કરસનદાસ માણેક સાથે કીર્તનમાં ગીતો-ભજનો ગાવા પણ જતા. પોતે પૂજાપાઠ ન કરે પરંતુ સવારે ઊઠીને બે–ચાર પ્રભાતિયાં ન ગાય ત્યાં સુધી ચેન ન પડે. ‘જન્મભૂમિ’અખબારથી કારકિર્દી શરૂ કરી. તેમાં પરબનાં પાણી’ ની કટાર શરૂ કરી હતી. તે પુસ્તકાકારે પ્રગટ થઈ ત્યારે તત્કાલીન તંત્રી હરીન્દ્ર દવેએ કહેલું. “જન્મભૂમિમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy