SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ પ્રતિભાઓ આરંભમાં ભાનુબહેન સોલંકી, દક્ષાબહેન મહેતા, મધુકર ઉપાધ્યાય અને લક્ષ્મીપતિ પાસે સંગીતની તાલીમ લીધી. વિશારદ થયા. ઉચ્ચ તાલીમ ધ્રુપદ ઘરાનાના ડાંગરબંધુ, રાજન અને સાજન મિશ્રા પાસે તેમ જ પંડિત જસરાજ પાસેથી પ્રાપ્ત કરી છે. આવી સઘન સાધના કરીને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. જયંત ઓઝા ભાવનગરના વતની અને હાલ વલ્લભવિદ્યાનગર સ્થિત શ્રી જયંત કુંજવિહારી ઓઝા સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના નિવૃત્ત અધિકારી છે. જન્મ તા. ૩૦-૯-૧૯૪૧, અભ્યાસ આબ્લેડ હાઇસ્કૂલ અને શામળદાસ આર્ટ્સ કોલેજમાં. અર્થશાસ્ત્ર અભ્યાસના વિષય તરીકે પસંદ કરી બી.એ. થયા. નોકરી સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં કરી અને તે નિમિત્તે ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં જવાનું રહેવાનું બન્યું જ્યાં જ્યાં ગયા ત્યાં કવિઓને ગોત્યા, કાવ્યરાગ માણ્યો. માધ્યમિક કક્ષાએથી જ છંદોબદ્ધ રચના કરવા લાગેલા શ્રી જયંત ઓઝા ગુજરાતી કવિતાના રૂપરંગ જેમ જેમ બદલાતાં ગયાં તેમ તેમ પોતાની અભિવ્યક્તિને પણ પ્રવાહોની સાથે રાખી. ગીત, ગઝલ, પરંપરિત છંદો અને અછાંદસ કવિતામાં શ્રી ઓઝા ખીલે છે. કાવ્યની સાથે નાટક અને સુગમ સંગીત તેમના રસના વિષયો છે. શ્રી ઓઝા આયોજનના માણસ છે, તેથી કવિતા' નાટક કે સંગીતલક્ષી કોઈને કોઈ આયોજન અંગે વિચારતા રહેતા હોય છે અને કાર્યાન્વિત કરતા હોય છે. અગાઉ ભાવનગરમાં, સુરેન્દ્રનગરમાં, બગસરામાં, ઇડરમાં અને હવે વલ્લભ વિદ્યાનગરમાં આવાં આયોજન શ્રી ઓઝા કરી રહ્યા છે. તેમની આસપાસ સાંસ્કૃતિક પ્રવૃત્તિનું એક તેજોમય વલય રચાઈ રહેતું હોય છે. આ કારણથી જ શ્રી ઓઝાને કરમસદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ભવનમાં માનદ્ નિયામક તરીકે નિમંત્રણથી પસંદગી આપવામાં આવી જ્યાં તેમણે જ્ઞાનલક્ષી તેમ જ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓથી વિદ્યાનગરવાસીઓનું ધ્યાન ખેંચ્યું, એટલું જ નહીં દેશના અન્ય મહાનુભાવોનું પણ ધ્યાન ખેંચ્યું, જેના પરિણામે વિશ્વશાંતિ આંદોલન ટ્રસ્ટ, મેરઠ દ્વારા “રાષ્ટ્ર ગૌરવ સમ્માન' શ્રી જયંત ઓઝાને પ્રાપ્ત થયું. નોકરી દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની સ્ટાફ યુનિયન તેમ જ ઓફિસર્સ એસો.ની પ્રવૃત્તિ તથા તેને સંલગ્ન એસ. બી. એસ. એપ્લો. ક્રેડિટ સોસા.ના સ્થાપક પ્રમુખ તરીકે કામ કરેલું. હાલ પુસ્તક પરિચય, કાવ્યગોષ્ઠી, કાવ્યપઠન, કાવ્યસર્જન તાલીમ શિબિર એવા પ્રોજેક્ટમાં કાર્યરત છે. તેઓ આકાશવાણી માન્ય કવિ છે અને તેમનાં ગીતો આકાશવાણી પરથી સુગમ સંગીતના કાર્યક્રમોમાં ગવાતાં હોય છે. તેમનું લગ્ન નયનાબહેન સાથે થયું છે અને તેમના બે પુત્રો શ્રી તારક અને શ્રી ભૂષણ આ ત્રણે શ્રી જયંત ઓઝાની સમગ્ર સંસ્કારપ્રવૃત્તિમાં ઓતપ્રોત છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy