SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ આ રીતે સમગ્ર ભારત અને પરદેશમાં કલાના દૂત તરીકે ફરીને તેમણે કલાને ઉત્તેજન આપવાનું કામ કર્યું હતું અને ભાવનગરને ગૌરવ અપાવ્યું હતું. ૧૯૯૮ ફેબ્રુઆરીની ૧૯મી તારીખ સુધી પોતાના કાર્યમાં છેવટ સુધી પ્રવૃત્ત રહીને વિદાય લીધી. જયંત પંડ્યા પ્રશ્નોરા જ્ઞાતિમાં સ્વ. મોહનલાલ ભાણશંકર પંડ્યાનાં કુટુમ્બમાં જન્મ મોસાળ પચ્છેગામમાં ૧૯૨૮માં થયો. અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અને તે પછી ગ્રેજ્યુએશન શામળદાસ કોલેજમાં. નાનપણથી જ વિચક્ષણ બુદ્ધિમત્તા અને રમૂજી સ્વભાવ આંતરમનના અભ્યાસી અને મિત્રો કરવામાં માહેર, કોલેજ કાળ દરમ્યાન તેમના પ્રોફેસરો વી. જે. ત્રિવેદી, એન. જે. ત્રિવેદી, પ્રિન્સિપાલ શહાણી સાહેબ વગેરેના લાડકા વિદ્યાર્થી. નાનપણથી નાટકોમાંને સ્કાઉટિંગમાં રસ. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી કુટુમ્બની આર્થિક સ્થિતિને પહોંચી વળવા સ્ટોપગેપ છૂટક નોકરીઓ કરી, જેમાં P.W.D., રેશનિંગ વગેરે દફ્તરોમાં કામ કર્યું. કોલેજમાં અભ્યાસ દરમ્યાન જ્યોતિ પંડ્યા (તેમના કુટુમ્બની અટક પણ પંડ્યા હતી) સાથે પરિચય અને પછી એ પરિચય પરિણયમાં ફેરવાયો અને ૧૯૫૦માં બંનેનાં લગ્ન થયાં. આર્થિક રીતે Survivalનો પ્રશ્ન ઊભો થતાં નોકરી શરૂ કરી અને બંદર રોડ પર ત્યારે ચાલતી વેજિટેબલ પ્રોડક્ટમાં નોકરી શરૂ કરી. તેમના શેઠ શ્રી સ્વ. માસૂમઅલીભાઈ મર્ચન્ટ. તેમના ઉપર તેમના કામથી ચાર હાથ. તેમણે તેમની દિલ્હીની ઓફિસમાં મોકલ્યા. ત્યાનાં રોકાણ દરમ્યાન, તેમના કલા પ્રત્યેના અનુરાગને લીધે અને મિત્રો બનાવવાના કસબને લીધે ત્યાં પણ કલાકારોનું મિત્ર વર્તુળ ભેગું જેમાં ગિરીશ ગણાત્રા (લેખક), કિશોર પારેખ (ફોટોગ્રાફર), શ્રી હસમુખ શાહ (શ્રી મોરારજી દેસાઈના ``Ex.P ને IPCL ના M.D.), શ્રી રમણ પાઠક, સરોજ પાઠક (સાહિત્યકાર), સ્વપ્નસ્થ, વગેરેના પરિચયથી તેઓએ દિલ્હીમાં પણ ભાવનગરી તરીકે, એક સદ્ગુણી પરોણાગત કરનારા તરીકે નામ ઉજાગર કર્યું. માંદગીના કારણે ભાવનગર આવવું પડ્યું. માંદગીમાંથી ઊઠ્યા પછી ફરી તેમના જૂના શેઠ શ્રી માસૂમઅલી ભાઈએ હાથ પકડ્યો અને તેમને મુંબઈમાં તેમણે શરૂ Jain Education International ૦૨૩ અને કરેલી હોટેલ બોમ્બે ઇન્ટરનેશનલ'માં મેનેજર પદે મૂક્યા ફરી મુંબઈમાં પણ એ જ પ્રણાલિકાએ તેમણે પોતાનું સ્થાન જમાવ્યું યંગ ક્લબના એક સફળ નાટ્ય-કલાકાર, લગભગ વીસ વર્ષ સુધી તેમણે તખ્તા પર કામ કર્યું. દિલ્હીમાં ‘રંગલીલા' મંડળની સ્થાપના કરી અને ગુજરાતી નાટકો ગુજરાતી સમાજને માટે મંચસ્થ કર્યાં. મુંબઈમાં ગુજરાત અને ગુજરાત બહારના ચિત્રકારોને રંગકર્મીઓનાં સંમેલનો ભર્યાં અને કલાના પ્રચાર પ્રસાર માટે કામ કર્યું. નાટ્ય દિગ્દર્શનમાં પણ કામ કરીને નામ ઉજાગર કર્યું. તેમનાં ધર્મપત્ની જ્યોતિ પંડ્યાની સાથો સાથ એ પણ પરદેશ ગયા અને ગૃહસ્થીની ભાગીદારી સંભાળી અને કલાનો પ્રચાર પણ કર્યો. ૧૯૮૪માં કાશ્મીરમાં ‘વેલી ઓફ ફ્લાવર્સ’માં સદાને માટે આંખ મીચી. કમલેશ આવસત્થી રાજકપૂરે જ્યારે એમને સાંભળ્યા ત્યારે કહ્યું કે “મેરા મુકેશ મુઝે ફિર વાપસ મિલ ગયા” એ ગાયક છે કમલેશ આવસત્થી એમણે ભાવનગરમાં શિક્ષણ ક્ષેત્ર અપનાવ્યું પણ ભાવનગર બહાર સંગીતને પ્રાધાન્ય આપ્યું. હિન્દી ફિલ્મ જગતમાં રાજકપૂર, અમિતાભ બચ્ચન જેવા સુપર સ્ટારને પોતાનો કંઠ આપ્યો છે એવા કમલેશ આવસત્થીએ પાર્શ્વગાયન ક્ષેત્રે નામના મેળવી અને આજે પણ મૂકેશ કંઠી ગાયકને સાંભળવો એ એક લહાવો છે. જ્યોતિભાઈ ભટ્ટ જ્યોતિભાઈનું નામ ગુજરાત અને ભારતનાં કલાક્ષેત્રે નોંધપાત્ર ચિત્રકાર, પ્રિન્ટમેકર તથા તસવીરકાર તરીકે જાણીતું છે. પ્રારંભિક અભ્યાસકાર્ય એમણે વડોદરા ખાતેનાં વર્ષોમાં ક્રેસ્કો અને મ્યુરલ પેઇન્ટિંગની તાલીમ તેમજ ૧૯૬૧-૬૨ માં નેપલ્સ ખાતે ઇટલી સરકારની સ્કોલરશિપ, ૧૯૪૬-૬૫ માં જ્હોન ડી. રોકફેલર એવોર્ડ, ૬૭-૬૮થી ૧૯૯૮ સુધી વડોદરા ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં રીડર તરીકે સેવાઓ આપી. ભારત અને વિદેશોમાં વૈયક્તિક પ્રદર્શનો અને જુથ-પ્રદર્શનમાં ભાગ લીધો. એમની કૃતિઓ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ્સ, ન્યૂયોર્ક, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટ વોશિંગ્ટન, નેશનલ આર્ટ ગેલેરી, ન્યુ દિલ્હી, ધ વડોદરા મ્યુઝિયમ, રૂપશંકર મ્યુઝિયમ ભોપાલ અને અન્ય રાજ્યોની લલિતકલા અકાદમીઓના સંગ્રહોમાં સંગ્રહાઈ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy