SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વિવિધ વ્યાવસાયિક, સામાજિક તથા શૈક્ષણિક કાર્ય કરવા પાછળ ઉદ્દેશ એક જ છે કે અત્તરની શીશી ખોલો તો સુગંધ પ્રસરે. આપણું વ્યક્તિત્વ સુગંધિત કરવા પ્રયત્ન કરવો. શ્રી નૌતમલાલ ઠાકરશી મહેતા વિવિધક્ષેત્રના વિશાળ પટ ઉપર નિષ્ઠાભરી ઉપાસના વડે વ્યાપારવર્તુળને સમૃદ્ધ કરનારા સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં શ્રી નૌતમલાલભાઈ મહેતાનું નામ પ્રથમ હરોળમાં ગણાયું છે. રાજકોટના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થઈને પોતાની જીવન કારકિર્દી દરમ્યાન ઉજ્વલ તવારીખ અંકિત કરતા ગયા છે, તેમાં તેમના અથાગ પરિશ્રમનું પ્રતિબિંબ પડે છે. ઇન્ટર આર્ટ્સ સુધીનો જ અભ્યાસ પણ વ્યવહારદક્ષતા અને કાર્યકુશળતાને કારણે સારી પ્રગતિ અને માનપાન પામ્યા. સમાજસેવાની શુભ પ્રવૃત્તિ તો છેક બાલ્યકાળથી જ કરતા આવ્યા હતા—અછત, દુષ્કાળ કે તંગીની કારમી પરિસ્થિતિમાં રાજકોટ સેવા સમાજ સંઘ અને બીજી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા આપી હતી. જ્ઞાતિવત્સલ, સખાવતી અને વિદ્યાપ્રેમી હતા એટલા જ ધર્મપરાયણ અને સમાજનું ગૌરવશાળી રત્ન ગણાતા હતા. ભાવનગરની સ્થાનકવાસી જૈનસંઘની મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે, ગુજરાત રાજ્ય પોર્ટ એડ્વાઇઝરી બોર્ડના ઓલ ઇન્ડિયા સ્ટેઇટ પીપલ્સ કોન્ફરન્સમાં કોષાધ્યક્ષ તરીકે તેમની પ્રશંસનીય સેવા પડેલી છે. જાહેરજીવનમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકર તરીકે તેમનું એ જમાનામાં ઘણું માનપાન હતું. સ્વ. શ્રી બળવંતભાઈ મહેતા સાથે રહીને જિલ્લા કોંગ્રેસની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે હતા. ૧૯૬૬માં ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. તેમના મિલનસાર સ્વભાવથી તેઓ બહોળા જનસમૂહના પ્રીતિપાત્ર બની શક્યા હતા. ભાવનગરમાં ભાવનગર મશીનરી સપ્લાઈંગ કહ્યું. દ્વારા ધંધાકીય ક્ષેત્રે તેઓથી ઘણી મોટી પ્રગતિ હાંસલ કરી શક્યા હતા. તેમણે ઊભી કરેલી માનવસેવાની પગદંડી અને કેટલીક જવાબદારીઓ તેમના સુપુત્રશ્રી જયંતભાઈ મહેતાએ ઉપાડી Jain Education International ૬૫ લીધી-શ્રી જયંતભાઈનું પણ ધર્મભાવ, સેવાભાવ, ઉદારતા અને બુદ્ધિમતાના પ્રતાપે ભાવનગરનાં જાહેર કાર્યોમાં તેમનું સારૂં એવું પ્રદાન રહ્યું છે. ભાવનગરની સહકારી હાટ મધ્યસ્થ ભંડારની વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે, ભાવનગર રોટરી ક્લબના સભ્ય તરીકે તેમની સેવાઓ જાણીતી છે. ૧૯૫૫માં મુંબઈ સ્ટે. ઇલેક્ટ્રિીસિટી બોર્ડના ફાઉન્ડેશન કામથી તેમની કારકિર્દીનો પ્રારંભ થયો. કન્સ્ટ્રક્શનનાં ઘણા કામો તેમના હાથે થયાં અને પ્રગતિ પામ્યાં. ૧૯૭૨માં કેનેડાઅમેરિકા દેશોની સફર કરી--ભારતમાં પણ ઘણું ફર્યા. સાદગી અને સેવાના ચાહક શ્રી જયંતભાઈ સિદ્ધિના સોપાન સર્જતા રહે એવી શુભેચ્છા. લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી સજ્જન સ્વ. શ્રી વેલજી દામોદર સોમૈયા સૌરાષ્ટ્રની ધરતી પર દીવાન પરંપરાને પણ આંટી દે એવા જે ગણ્યા ગાંઠ્યા મુત્સદ્દી કારભારીઓ જ્ઞાતિમાં થઈ ગયા છે. એમાંના એક સ્વ. શ્રી વેલજી દામોદર હતા. તેમનો જન્મ જામનગરમાં ઇ.સ. ૧૮૭૫માં થયો હતો ને એ જમાના પ્રમાણે સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી શરૂઆત કરીને તેઓ દીવાન નરભેરામ ભગવાનજીના કારભારી પદે પહોંચ્યા હતા. તેઓ જેટલા ધર્મ પ્રેમી ને સાલસ સ્વભાવના હતા, એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હોઈ ભલભલાને પણ પોતાનાં વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરાપણ અચકાતા નહોતા. એટલે જ પ્રામાણિક દીવાન નરભેરામભાઈના ખાસ માનીતા બન્યા હતા. ને વર્ષો સુધી તેમના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પદે રહ્યા હતા. જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખ પદે રહીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા બજાવી હતી. એટલું જ નહિં ભાવનગર ખાતે ૧૯૧૨માં મળેલી સમસ્ત લોહાણા પરિષદમાં કાર્યવાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો ને ઘણાં લોકોપયોગી કાર્યો કર્યાં હતાં. પાછળથી મુંબઈ આવીને રહ્યા હતા અને મૂળજી જેઠા મારકેટમાં વેલજી દામોદર એન્ડ કંપનીને નામે દુકાન કરી કાપડના વેપારમાં પડ્યા હતા અને મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પોતાની સેવાભાવના અને કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો. જ્ઞાતિના આજના કેટલાક અગ્રણીઓને મુંબઈ લાવવામાં તેમનો ફાળો છે. એ સમયમાં તેમનું ઘર ઘણી વખત વતનથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy