SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૦ આ ઉપરાંત તેમણે હિંદી, સંસ્કૃત અને જર્મન ભાષાઓમાં પણ પદવીઓ મેળવી છે. તેમણે મુંબઈના નેહરુ પ્લેનેટેરિયમમાં શરૂઆત લેકચરર તરીકે કરી અને પછી તેના ડિરેકટર રિસર્ચ, જોઈન્ટ ડિરેક્ટર અને છેવટે તેના ડિરેકટર (નિયામક)ના પદે પહોંચ્યા. ત્યાંથી નિવૃત્ત થઈ તેમણે “ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી” (ભારતીય ગ્રહમાલિકા સંગઠન)ની સ્થાપના કરી, અને હાલમાં તેના પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળે છે. ખગોળના પ્રસાર-પ્રચાર માટે અને પ્રત્યક્ષ આકાશદર્શન કરાવીને લોકોમાં રસ જાગૃત કરવાની નેમ સાથે શરૂ થયેલી આ સંસ્થા વિજ્ઞાન લેખકોને પ્રોત્સાહક ઇનામો આપવા વગેરે જેવી પણ ઘણી પ્રવૃત્તિઓ કરે છે. આવો એક પુરસ્કાર ખગોળવિજ્ઞાન લેખક સ્વ. મનુભાઈ મહેતાની સ્મૃતિમાં વિજ્ઞાન લેખકોને આપવામાં આવે છે. આ સોસાયટીના મુખપત્રનું નામ “સૂર્યા છે અને તેમાં ખગોળને લગતી ઘટનાઓ તથા જાણકારી આપતા લેખો વગેરે મુખ્યત્વે અંગ્રેજીમાં આપવામાં આવે છે. ખગોળને ક્ષેત્રે ડૉ. રાવલે સૂર્યમંડળના જન્મ, વિકાસ અને રચનાના નવા સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા છે, ગ્રહોના અંતરોનો નિયમ સ્થાપિત કર્યો છે, અને બુધ અને શુક્રના ગ્રહોને ફરતા ઉપગ્રહો હોવાના સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે. શનિ, યુરેનસ, નેપથ્યન અને ગેલેક્સીની ફરતે વલયો હોવાની વાત પણ તેમણે કરેલી અને તેની સાબિતી આપતા જે સિદ્ધાંતો આપ્યા, તે પાછળથી વોયેજર અને પાયોનિયર અંતરિક્ષ યાનોએ સાબિત કર્યા. તેમણે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અને ગેલેક્સી પર પણ કેટલુંક સંશોધન કર્યું છે. ધૂમકેત, લઘુ ગ્રહો અને ઉકાકંડો (ઉલ્કાપિંડ ગત) પર પણ સંશોધન કર્યું છે. આવી બાબતોના અભ્યાસ માટેની ટુકડીઓના માર્ગદર્શક તરીકે કામ કર્યું છે. ઉકાપિંડ ગર્તના અભ્યાસ માટે તેમણે હિમાચલ પ્રદેશની સ્ટેટ કાઉન્સિલ ઑફ સાયન્સ ટેકનોલોજી એન્ડ એન્વાયરોમેન્ટના એકકાળના વરિષ્ઠ વિજ્ઞાન અધિકારી ડૉ. શ્યામ સિંહ ચંદેલ સાથે મળીને વિશેષ સંશોધન કર્યું છે. તેમણે અનેક સામયિકોમાં અને મુખ્યત્વે મુંબઈના જન્મભૂમિ-પ્રવાસી'માં ખગોળવિજ્ઞાન અંગે સેંકડો લેખો લખ્યા છે. તેમણે “જન્મભૂમિ-પ્રવાસી'માં સન ૨૦૦૦-૨૦૦૧ના ગાળામાં નવી સદીને આવકારતી “સહસ્ત્રાબ્દીનું વિજ્ઞાન' નામની એક લાંબી લેખશ્રેણી લખી હતી, જેમાં વિતેલા યુગોમાં વિજ્ઞાનના બધા જ ક્ષેત્રે થયેલી પ્રગતિ આવરી લેવાઈ હતી. આ લેખ–શ્રેણી ઉલ્લેખનીય છે. તેમણે સામાન્ય લોકો માટે લખાતા ખગોળના લેખોનું માધ્યમ મુખ્યત્વે ગુજરાતી રાખ્યું છે, પરંતુ પથપ્રદર્શક તેમણે ક્યારેક હિંદી અને અંગ્રેજીમાં પણ લખાણ કર્યું છે. તેમણે ખગોળવિજ્ઞાન પર ૫૦૦ થી વધુ વ્યાખ્યાનો આપ્યાં છે. રેડિયો અને ટી.વી. ઉપર પણ અનેક કાર્યક્રમો આપ્યા છે. દેશ-વિદેશની ઘણી કૉન્ફરન્સ અને વર્કશોપ્સમાં ભાગ લીધો છે અને આવી પરિષદો ઘરઆંગણે મુંબઈમાં પણ યોજી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધન સામયિકોમાં તેમના અત્યાર સુધીમાં પચીસેકથી વધુ સંશોધનપત્રો પ્રસિદ્ધ થયા છે. અમેરિકાની ‘નાસા' સંસ્થાએ પણ તેમને સંશોધન કરવાની સવલતો અને સગવડતા આપીને આમંત્રેલા. દેશ-વિદેશની અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓના તે સભ્ય છે અને જગતની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે. મોનાસ યુનિવર્સિટીમાં તે ત્રણ મહિના પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. તેમને સાયન્સના મોડેલો બનાવવાનો, ચિત્રકામ, સંગીત અને પ્રવાસનો શોખ છે. સૂર્યમંડળની સમજણ' નામની ચાર, “પચાસ વર્ષમાં વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ”, “પ્લેનેટેરિયમની કથા”, “અજાયબ આકાશ” વગેરે પરિચય પુસ્તિકાઓ લખી છે. તેમણે લેખન-ક્ષેત્રે માનેલા પોતાના માનસ-ગુરુ' શ્રી મનુભાઈ મહેતાના અવસાન પછી તેમના લેખોનું સંકલન કરાવીને, તેમાં જરૂરી સુધારા કરીને કેટલાક સંગ્રહો તૈયાર કરી, પ્રસિદ્ધ કરવામાં મદદ કરી છે. ડો. અરૂણકુમાર દવે અરુણકુમાર મનુભાઈ દવેનો જન્મ રાજકોટમાં ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીના રોજ થયો હતો. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા, જામનગર અને ભાવનગરમાં અભ્યાસ કરીને બી.એસ.સી., એમ.એસ.સી. અને રસાયણશાસ્ત્રમાં Ph.d.ની ડિગ્રીઓ મેળવી છે. ૧૯૭૨માં લોકભારતી ગ્રામ-વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા અને પછી લોકસેવા મહાવિદ્યાલય, લોકભારતી, સણોસરાના નિયામક તરીકે કામગીરી બજાવી. હાલમાં અરુણભાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેની ફરજ બજાવે છે. ડૉ. દવે વિવિધ સામયિકોમાં અને દૈનિકોમાં વિજ્ઞાનના લેખો લખે છે. વિજ્ઞાનશિક્ષણ, ઊર્જા, પર્યાવરણ, અવકાશવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન અને ગ્રામીણ યંત્રોદ્યોગશાસ્ત્ર (રૂરલ ટેકનોલોજી) તેમના રસના વિષયો છે. વિજ્ઞાનના વિષયોને લગતા જાહેર વ્યાખ્યાનો પણ આપે છે. અત્યાર સુધીમાં આવા ૪૦૦ થી પણ વધુ વ્યાખ્યાનો તેમણે આપ્યાં છે. તેમણે ગુજરાતી ભાષામાં સૌથી જૂના અને છેલ્લા ૩૩ વર્ષથી એકધારા ચાલતા જાણીતા વિજ્ઞાન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy