SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ જીવની ઉત્પત્તિ” (૧૯૭૭), “વિજ્ઞાન–૧૯૭૯” (૧૯૭૯) અને “સૂર્યગ્રહણ” (૧૯૮૦) વર્ષો પૂર્વે પૂણેમાં કટલરીની નાનકડી હાટડી ચલાવતા શ્રી નાથાણી નામના સગૃહસ્થની અંગ્રેજી વાંચી નહિ શકવાની મૂંઝવણને પારખી જઈને, અંગ્રેજીમાં લખી શકવાની ક્ષમતા હોવા છતાં, વિજ્ઞાન વિષે જે કાંઈ લખવું તે માત્ર ગુજરાતીમાં જ, એવો ભીષ્મ સંકલ્પ કરનાર મનુભાઈ સાચે જ નોખી માટીમાંથી ઘડાયેલાં હતા. તેમના સંબંધી એક રસપ્રદ વાત ખગોળશાસ્ત્રી–લેખક ડૉ. જે. જે. રાવલે નોંધી છે. એક વરિષ્ઠ પત્રકારની વિનંતીથી મનુભાઈ “જન્મભૂમિ'માં મુંબઈના નહેરુ પ્લેનેટોરિયમના કાર્યક્રમો અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરતા લેખો લખતા હતા. તેમાં જો કોઈ ક્ષતિ રહી જતી તો મનુભાઈ તરત ધ્યાન દોરતાં. આવી રીતે એકવાર પ્લેનેટોરિયમના કાર્યક્રમમાં એક તારા અંગે ખોટી માહિતી રજૂ થતાં તે અંગે મનુભાઈએ ધ્યાન દોરતા, ત્યારના પ્લેનેટોરિયમના ડાયરેક્ટર ડૉ. અરવિંદ ભટ નાગરે તે કાર્યક્રમની કેસેટ રાતોરાત બદલી નંખાવેલી! ૧૯૮૬માં હેલીનો ધૂમકેતુ પૃથ્વીની નજદીક આવવાનો હતો. તેના આગમનને વધાવતા ઘણા બધા લેખો તેમણે લખ્યા હતા. આ ધૂમકેતુ નિહાળવાની તેમની તીવ્ર ઇચ્છા હતી. આ ઇચ્છા તો બર ન આવી, પણ મનુભાઈ વાચકો માટે ધૂમકેતુ હેલી અંગેની માહિતીનો બહુ મોટો ખજાનો મૂકતા ગયા. ડો. ચશવંતભાઈ ગુલાબરાય નાયક ' (૧૯૦૯-૧૯૭૬). તેમનો જન્મ નવસારી જિલ્લાના દાંડી ગામમાં તા. ૬૭-૧૯૦૬ના રોજ થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વેગામ, દાંડી અને નવસારીમાં. ૧૯૨૫માં મેટ્રિક પાસ કરીને ૧૯૨૮માં વડોદરા કૉલેજમાંથી બી.એસ.સી. અને ૧૯૩૨માં એમ.એસ.સી. થયા. તે પછી મુંબઈ રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતાં કરતાં ૧૯૩૭માં પી.એચ.ડી. કર્યું. ડૉ. યશવંતભાઈ ભૌતિકશાસ્ત્રમાં ગુજરાતના સૌ પ્રથમ પી.એચ.ડી. હતા અને સર સી. વી. રામન જેવા પ્રખર વૈજ્ઞાનિક એમની થીસિસના પરીક્ષક હતા, જેમની તે સારી એવી પ્રશંસા પામેલા. તે પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક અને તે પછી આચાર્ય પદે સેવા આપી. સન ૧૯૬૭માં ગુજરાત કૉલેજમાંથી નિવૃત્ત થઈ, ૧૯૬૭ થી ૧૯૭૨ સુધી અમદાવાદની સી. યુ. શાહ કૉલેજ (માનવમંદિર) વિજ્ઞાન મહાવિદ્યાલયમાં આચાર્ય તરીકે પથપ્રદર્શક સેવા આપી. તેમણે ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું અને કેટલાય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાનો રસ્તો મોકળો કરી આપેલો. ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવાની કે પૈસા અપાવી ને આર્થિક ચિંતાઓથી મુક્ત કરેલા. ડૉ. નાયકનું અવસાન સુરતમાં મે મહિનાની ૨૯મી તારીખે ૧૯૭૬માં થયું. ભૌતિકશાસ્ત્રના શિક્ષક તેમજ સંશોધક તરીકે ડૉ. નાયકે ચાર દાયકા ઉપરની સેવાઓ આપી હતી. તેમણે ચાલીસથી પણ વધુ સંશોધન લેખો આપ્યા છે. આમાંના કેટલાકનો ઉલ્લેખ પ્રો. મેકસ તથા પ્રો. કે. એલ. ચોપરા જેવા નિષ્ણાત લેખકોના પુસ્તકોમાં થયેલો છે. સંશોધન ક્ષેત્રે આગવા પ્રદાન માટે ૧૯૬૯માં ગુજરાત યુનિવર્સિટી તરફથી તેમને “ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક' એનાયત કરવામાં આવેલો. ૧૯૫૦ના અરસામાં તેમણે જર્મનીમાં હર્ઝ પર્વતમાળામાં દેખાતી “ધ બ્રાંકન બોઝ” અથવા “ધ ગ્લોરીઝ' કે “ધ સ્પેકટર ઓફ ધ બ્રોકન' જેવી વિરલ ઘટનાને ખૂબ જ સફળતાપૂર્વક પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવાની ટેકનિક (તકનીક) વિકસાવેલી. તેમનું “પૃથ્વીનો ઇતિહાસ” નામનું સચિત્ર પુસ્તક ૧૯૩૬માં પ્રસિદ્ધ થયું હતું અને તે કાળે ઘણું લોકપ્રિય થયું હતું. આ લોકભોગ્ય પુસ્તકની એકથી વધુ આવૃત્તિઓ થઈ છે. આ પુસ્તક લખવાની પ્રેરણા આપણા વિખ્યાત વિજ્ઞાનલેખક શ્રી પોપટલાલ ગો. શાહે આપેલી. બહુધા ડૉ. પી. જી. શાહના નામે ઓળખાતા શ્રી પોપટલાલભાઈએ પણ પોતાના વિજ્ઞાન લેખો દ્વારા ગુજરાતી વિજ્ઞાન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમણે સંપાદિત કરેલો “વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ” ઉલ્લેખનીય છે. આ શબ્દસંગ્રહ પ્રથમ ૧૯૩૭માં પ્રસિદ્ધ થયો હતો અને તેની બીજી આવૃત્તિ ૧૯૪૮માં પ્રગટ થઈ હતી. ણાં વર્ષો સુધી પી. જી. શાહે ગુજરાત સંશોધન મંડળ, મુંબઈના મુખપત્રનું સંપાદન કર્યું હતું. આ મુખપત્રમાં ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ લેખો આવતા હતા. ડૉ. નાયકે નિવૃત્તિકાળમાં, કહો કે પાછલી વયે, ‘કુમાર', લોકજીવન', “મિલાપ” અને “સંસ્કૃતિ' જેવા સામયિકોમાં વિજ્ઞાનલેખો લખ્યા હતા. અને આ રીતે પોતાનો વિજ્ઞાનપ્રેમ તથા જન સામાન્યમાં વિજ્ઞાનના પ્રસારનું કાર્ય જારી રાખ્યાં હતાં. કુમાર”માં ખગોળવિદ્યા પર એક લેખમાળા પણ લખેલી. જે એમના અવસાનને કારણે અધૂરી રહી. ખગોળ પરના તેમના આ સુગમ લેખો તે કાળે બહુ જાણીતા થયેલા. અગાઉ “પ્રસ્થાન'માં પણ તે લખતા હતા. ગુજરાત સાહિત્ય પરિષદના ૧૯૬૭ના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy