SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૮ પથપ્રદર્શક રમિલાળાબહેનનો જન્મ ૧૯૧૭માં થયો અને એમ.એસ.સી. થયેલાં. ત્રીજાં રજની બાળાબહેનનો જન્મ ૧૯૨૫માં થયો હતો અને તેમણે એમ.એસ.સી., પી.એચ.ડી. થઈ હોમિયોપથીનો અભ્યાસ કરેલો. તેમનું સાહિત્યવિષયક લેખનકાર્ય તો ૧૯૦૮ થી, પણ વિજ્ઞાન સંબંધિત લેખનકામ ૧૯૧૫-૧૬ થી આરંભાયું. તે કાળે નવા પ્રસિદ્ધ થયેલા “વીસમી સદી'માં અને તે પછી ઉત્તમલાલ કે. ત્રિવેદીના અંગત સંબંધે તેમના “સમાલોચક'માં કાન્તિભાઈના લેખો આવવા માંડ્યા. તે પછીથી ક્રમેક્રમે પ્રગટેલાં નવાં પત્રોજેમ કે “કુમાર', “પ્રસ્થાન', “શારદા', “નવચેતન', “ગુજરાતી', માનસી”, “ગુણસુંદરી' વગેરે જેવા સંખ્યાબંધ સામયિકોનાં તંત્રીઓની માંગથી તેમના લેખો આ પત્રોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. તેમના ગ્રંથસ્થ સાહિત્યમાં આટલી કૃતિઓ સમાવિષ્ટ કરી શકાય : શ્રીયુત ગોવર્ધનરામ (૧૯૧૦); આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ (૧૯૩૨); આપણો આહાર (૧૯૩૬); ચન્દ્રશંકરનાં કાવ્યો (સંપાદન, ૧૯૪૨); વિજ્ઞાનમંદિર ભાગ ૧લો (૧૯૫૦); વિજ્ઞાનમંદિર ભાગ-૨જો (૧૯૫૪); ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન (પ્રથમવાર ૧૯૫૫ના સંસ્કૃતિ'માં. ૧૯૫૭માં બીજા આવૃત્તિ); મામા ગોવર્ધનરામની નોંધપોથીઓના સાત દળદાર ખંડોનું અંગ્રેજીમાં સંપાદન Govardhanram Madhavram Tripathi's Scrap Book Vol.Tto VII (છેલ્લો ૭મો ૧૯૫૭) શીર્ષક હેઠળ; મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત (સંપાદન, ૧૮૫૮). આ ઉપરાંત સર વી. સી. રામનના રેડિયો વાર્તાલાપો ભેગા કરીને પોતે નાલંદા પ્રકાશન દ્વારા પુસ્તકાકારે પ્રસિદ્ધ કરાવ્યા હતા અને તેની અભ્યાસપ્રચુર પ્રસ્તાવના પણ પોતે જ લખી હતી. વિજ્ઞાનમંદિરના બંને ખંડોમાં તેમના વિજ્ઞાનલેખો સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. આ સંચયનો ત્રીજો ખંડ તૈયાર કરવાની કામગીરી અધુરી રહી. તેવી જ રીતે તેમણે લેસિંગના Nathan the Wise' નાટકનો અનુવાદ પણ કરેલો જે છપાયા વગરનો જ રહ્યો. બીજું પણ આવું કેટલુંક લખાણ પ્રસિદ્ધ થયા વગરનું પડ્યું છે. તેવી જ રીતે હજી ગ્રંથસ્થ થયા વગરના તેમના સંખ્યાબંધ વિજ્ઞાનલેખો પણ છે. સરળ પણ પ્રાસાદિક ગુજરાતી ભાષામાં વિજ્ઞાનના વિષયો ચર્ચવાની એમની નિપુણતાએ ઘણા વાચકોને આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. તેમાંના એક પ્રકૃતિવિદ શ્રી હરિનારાયણ આચાર્ય (વનેચર) પણ હતા. જેને પ્રતિભાસંપન્ન અને નિંદર્ભ વિદ્વાન કહી શકાય તેવી કોટિના તે સજ્જન હતા. તેમણે અનેક નવા લેખકોને પ્રોત્સાહન આપેલું. હરિહરભાઈ પ્રાણશંકર ભટ્ટ (૧૮૯૫-૧૯૭૮) હરિહરભાઈનો જન્મ ૧, મે ૧૮૯૫ના રોજ સૌરાષ્ટ્રના વેકરિયામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં અને ઉચ્ચ શિક્ષણનો આરંભ ભાવનગરમાં કરી, મુંબઈ ગયા અને ત્યાંથી બી.એ.ની ઉપાધિ મેળવી. તે પછી અકોલા (મહારાષ્ટ્ર)ની સરકારી માધ્યમિક શાળા (હાઈસ્કૂલ)માં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. રાષ્ટ્રભાવ તો લોહીમાં જ હતો. ઇ.સ. ૧૯૧૯ થી ૧૯૩૦ દરમિયાન અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમમાં ગાંધીજીના અસહકારની ચળવળમાં રહી ને દેશસેવા કરી. ઇ.સ. ૧૯૩૦માં વીરમગામની સત્યાગ્રહી-ટુકડીમાં જોડાયા અને ગાંધીજીની દાંડીકૂચ યાત્રામાં ભાગ લીધો. પોલીસે અગરમાં ડૂબાડ્યા. જીવ માંડ માંડ બચ્યો. આમ ગાંધીજીના રંગે રંગાતાં અસહકારની લડતમાં ભાગ લીધો અને સત્યાગ્રહી તરીકે પકડાતાં ૧૮ માસનો કારાવાસ ભોગવ્યો. તે પછી અમદાવાદમાં આવેલી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ નામની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી અને તે પછી અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને એમ.એ. તથા પી.એચ.ડી.ના માર્ગદર્શક તરીકે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. શ્રી છોટુભાઈ સુથારે તેમના હાથ નીચે ખગોળશાસ્ત્રમાં ડૉક્ટરેટ (પી.એચ.ડી.) કરેલું. ભારતમાં બહુ જુના કાળથી ખગોળ, અને ખાસ તો, પંચાંગ બનાવવા માટે નિરયન અને સાયન એમ બે પદ્ધતિઓમાંથી કઈ સારી કે સાચી અને તેમાંથી પંચાંગ બનાવવા માટે કઈ પ્રયોજવી તેના અંગે ભારે વિવાદ ચાલતો હતો. અને હજુ પણ તેનો સંપૂર્ણ અંત આવ્યો નથી. અને ક્યારેક તો આ વિવાદે આંદોલનનું રૂપ પણ ધારણ કર્યું છે. આવું એક આંદોલન આપણે ત્યાં ૧૯મી સદીમાં પણ થયું હતું. આ આંદોલનના સમર્થકો પશ્ચિમના નવા ખગોળવિજ્ઞાનના નિયમોને અપનાવીને પંચાંગને સુધારવા માંગતા હતા. આ લોકો વેધકાર્યને, એટલે કે આકાશના પ્રત્યક્ષ નિરીક્ષણને મહત્ત્વ આપતા હતા. આ બધા સાયનવાદના પુરસ્કર્તા હતા. આથી ઉલટું, ધર્મકર્મ અને મુહૂર્તને મહત્ત્વ આપનારા જ્યોતિષીઓ (ફલજ્યોતિષશાસ્ત્રીઓ) નિરયન પદ્ધતિને પસંદ કરતા હતા. તેમ છતાંય, મોટા ભાગના હવે સાયન પદ્ધતિન સ કારે છે. હરિહરભાઈ આધુનિક એવી સાયન Gelli Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy