SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ભાવસિંહજીએ સંગીત નોટેશન બદ્ધ કરીને ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ ચિત્રકારો પાસે મહત્ત્વના બનાવોનાં રંગીન ચિત્રો છપાવીને, ઉત્તમ કાગળ તથા ઉત્તમ પેઇન્ટીંગની છપાઈ કરાવીને જે પુસ્તકો બહાર પાડ્યાં છે તેમાં પોતાને પ્રસિદ્ધિ ન મળે તેનું ચીવટપૂર્વક ધ્યાન રાખ્યું છે ને ન છૂટકે પોતાના નામનો નિર્દેશ કર્યો. ભાવનગરના વતનીઓ અને ગુજરાતની સંગીત પ્રેમી જનતા આ પુસ્તકોની નામાવિલ જ જોઈ જાય તો પણ આશ્ચર્ય પામશે. સંગીત રાજર્ષિ ભાવસિંહજી બહુ લાંબુ જીવ્યા નહિ. તેમના દેવલોક સમયે પાટવી કુમાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માત્ર વીસ વર્ષના હતા. કૃષ્ણકુમારસિંહજીયે પિતાનો સંગીત વારસો અકબંધ જાળવ્યો એટલું જ નહિં પોતાનાં સંતાનોને સંગીત વિદ્યામાં ઉત્તેજન આપી ભાવનગરના રાજગાયક વાસુદેવભાઈ, ગજાનનભાઈ અને જયદેવભાઈને સંગીત શિક્ષણ આપવા પોતાના કુટુંબમાં આવકાર્યા. ઘણાને ખબર નથી કે છેલ્લા રાજવી વીરભદ્રસિંહજીએ તેમના દાદા ભાવસિંહજીનો સંગીત વારસો મળેલો. ચિત્રકળા અને સંગીતકળા બંનેમાં તેઓ એક સરખો રસ લેતા હતા. ભાવનગરે ભાવસિંહજીની યાદમાં ભાવસિંહજી પોલિટેકનિક સંસ્થા સ્થાપી છે. શું વીરભદ્રસિંહજીની યાદમાં સંગીત મહાવિદ્યાલય સ્થાપી ન શકે એટલું ભાવનગર રંક છે? ગુજરાતના લોકો સંગીત કલાધરના લેખક ડાહ્યાલાલને જાણે છે ભાવસિંહજીને નહિ ખરેખર તો ભાવસિંહજી સંગીત વિશ્વ વિદ્યાલય' કેમ સ્થાપી ન શકાય? ભાવસિંહજીના સંગીત શોખની પરાકાષ્ટા તો ત્યાં હતી કે પ્રથમ બંદિશ બનાવે પછી શબ્દ લખાય પછી ગાયક ગાય. આ તો બધા જ કરે છે પરંતુ તેમણે એ નવાં તૈયાર થયેલાં ગાયનોમાંથી પસંદ કરેલાં ગાયનો રાજના બેન્ડ માસ્ટર પીન્ટો પાસે અંગ્રેજી નોટેશન કરાવી પીલગાર્ડનમાં સપ્તાહમાં બે ત્રણ દિવસ બેન્ડ વાગે તેમાં તે ગાયનો વાગતાં. જે તે દિવસે ચા ગાયનો વાગશે તે બેન્ડસ્ટેન્ડનાં પગથિયાં પાસે થાંભલા પર તેની યાદી મૂકાતી. આ ગીતોની જેમ જ અંગ્રેજી ગીતો પણ બેન્ડમાં રજૂ થતાં. નોટેશનના પુસ્તકો એ પણ સંગીતની બંદિશનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ નથી કરતાં એ એમની વિચક્ષણ બુદ્ધિને ખબર હતી. આથી ઝોનોફોન રેકોર્ડીંગ કંપનીને ભાવનગર બોલાવી ભાવનગર સ્ટેટ બેન્ડનું રેકોર્ડિંગ કરાવ્યું. રાજગાયક દલસુખરામભાઈ પાસે પણ રેકોર્ડિંગમાં ગવરાવ્યું ઉપરાંત કુંવરી શ્રી મનહરકુંવરબાનું સિતારવાદન પણ રેકોર્ડ કરાવ્યું. બાર રેકોર્ડ દરબાર બેન્ડની, Jain Education International પથપ્રદર્શક ૨૪ રેકોર્ડ દલસુખરામ ઠાકોરની, ત્રણ રેકોર્ડ મનહરકુંવરબાની, બે રેકોર્ડ હાર્મોનિયમ તબલાની આમ કુલ ૪૧ રેકોર્ડ્ઝ બહાર પાડી હતી, રેકોર્ડ થયેલાં તમામ ગીતો રાગ પર આધારિત હતા. ભાવસિંહજી એટલેથી અટક્યા નહીં. રાજગાયક ડાહ્યાલાલ અને કવિકાન્તની મદદથી ‘સલીમશાહ', ‘દુઃખી સંસાર' અને ‘જાલીમ ટુલિયા' નાટકો લખાવ્યાં. જાલિમ ટુલિયા નાટકનું સંગીત ભાવસિંહજીએ આપ્યું છે. એમણે પ્રસિદ્ધ કરાવેલ રેકોર્ડીંગ ભાવનગરમાં કોઈની પાસે છે કે નહિ તે તો જાણમાં નથી પણ કલકત્તાના એક સંગ્રાહકે ગાયક દલસુખરામ ઠાકુરના ફોટા સહિત તેમની રેકોર્ડ તેના સંગ્રહમાં છે તેવું ટી.વી. પર દર્શાવ્યું હતું. સંગીત સર્જક શ્રી જસવંત ભાવસાર એકવાર ગુજરાતના મૂર્ધન્ય સંગીતશાસ્ત્રી શ્રી આર. સી. મહેતાને મળવાનું મન થયું. તેમની સાથે ચર્ચા થઈ. સુગમ સંગીત અને લોકસંગીતની, ચર્ચાને અંતે તેમણે મધુભાઈ પટેલ (સુરત-મુંબઈ)ના લખેલ નોટેશન કરેલાં બે પુસ્તકો આપ્યાં. મધુભાઈ વ્યવસાયે કન્સ્ટ્રક્શન (એન્જિનિયરીંગ)ના માણસ ને શોખ હતો દક્ષિણ ગુજરાતના લોકસંગીતના અભ્યાસનો. આવા જ બીજા મૂળ વ્યવસાય બીજો ને શોખનો વિષય સંગીતસર્જનકંપોઝરનો એવા અમદાવાદના અરવિંદ ભટ્ટને આખું ગુજરાત જાણે. મુંબઈ અને અમદાવાદના સર્જકો સમગ્ર ગુજરાતને પરિચિત હોય પણ વલસાડ જેવા ગુજરાતના દક્ષિણ છેડે આવેલા વ્યવસાયે કન્સ્ટ્રક્શનના માણસ જન્મે કર્મે સંગીતકાર (સંગીત સર્જક)ને કોણ ઓળખે છે? શ્રી જસવંત ભાવસાર એટલે વલસાડના ખ્યાતનામ સંગીતકાર કુટુંબનાં સંતાન. બધા ભાઈઓમાં નાના પણ ભણવામાં બધી જ વેળા પ્રથમ નંબર લાવે તેવા બુદ્ધિશાળી. શાળાની પ્રાર્થનામાં સંગીત ગાવામાં યશ મળ્યો, લોહીના સંસ્કાર તો હતા જ એટલે સંગીતનો ચસ્કો લાગ્યો. તેમના મોટાભાઈ ભીખુભાઈ અને હરેશભાઈ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ખૂબ જાણીતા થયેલા. જસવંતભાઈએ દિશા બદલી સુગમસંગીત વિકસાવ્યું. પ્રથમ મુંબઈ કેન્દ્ર પરથી સુગમસંગીત પ્રસારણ કરતા ગુજરાતી કલાકારોની યાદીમાં જસવંત ભાવસારનું પણ નામ ખરૂં. અમૃતલાલ નવસારીવાળા જેમની ગ્રામોફોન રેકોર્ડ્ઝ તે વખતે ગાજતી હતી તેમને પોતાના માર્ગદર્શક બનાવ્યા. કન્સ્ટ્રક્શનના ધંધામાં સારૂં કમાયા. વખત જતાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થતાં ગુજરાતના કલાકારો વડોદરા આકાશવાણી પરથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy