SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 'પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથનું આવરણ ચિત્ર ગ્રંથસ્થ વિષયવસ્તુને સુંદર રીતે આવરણ પર રજૂ કરીને પ્રથમ નજરે વાંચકને તે પુસ્તક હાથમાં લેવાનું મન થાય ત્યારે તે સફળ આવરણ ચિત્ર કહેવાય. 'પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથનાં બંન્ને આવરણ ચિત્રો પ્રતીકાત્મક છે. કોઈ પાત્ર વિશેષ કે પ્રસંગ વિશેષના બદલે ઈતિહાસ, કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિવિધ વિષયોના ક્ષેત્રે સંલગ્ન પ્રતિભાવાન વ્યકિતઓના જીવન – કવનને ધ્યાનમાં રાખીને દરેક વિભાગના કરેલા પ્રતીક ચિત્રો સંયોજીને ગ્રંથનું મુખ્ય આવરણ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. વાત ગુજરાતની છે તેથી ચિત્રનાં કેન્દ્રમાં ગુજરાતના ભૌગોલિક નકશાને સ્થાન આપેલ છે. આમ, ચીલાચાલુ ચિત્રના બદલે પુસ્તકનાં મૂળ હાર્દને ઊજાગર કરે તેવો કલાકારનો પ્રયાસ રહ્યો છે. ગ્રંથના પાછળના પૂંઠા પર રજૂ કરેલ રંગચિત્ર 'સૌરાષ્ટ્રપંચરત્નાનિ' પણ પ્રતીકાત્મક ચિત્ર સંયોજન છે. તે ચિત્રની સમજણ ચિત્ર નીચે જ રજૂ કરી હોઈ અહીં તેનું પુનરાવર્તન નિવાર્યું છે. અસ્તર ચિત્રોની ઓળખ 'પથ પ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથમાં સમાવિત ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારોની લેખમાળા 'રૂપ, રંગ અને રેખાના સર્જકો' ના પરિચય સાથે રજૂ થયેલી તેમની એક રંગી કૃતિઓમાંથી કેટલીક કૃતિઓ આ ગ્રંથના આગળ-પાછળના પૂંઠાનાં અંદરનાં અસ્તર પર બહુરંગમા રજૂ કરી શકાઈ છે. જે સોનામાં સુગંધ ઉમેરવાનું કામ કરે છે. બન્ને અસ્તર પૃષ્ઠોનાં આ ચિત્રોનો મિતાક્ષરી પરિચય આ સાથે રજૂ કરેલ છે. ક્રમાનુસાર ચિત્રના શિર્ષકની સાથે કૌંસમાં તેના ચિત્રકારનું નામ આપેલ છે. ૧. ૨. ૩. ૪. 4. 9. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. મૃત્યુનું નમન (લક્ષ્મણ વર્મા) : મહામાનવ ગાંધીજીને વંદના કરી રહેલ મૃત્યુનું ભાવાત્મક આલેખન. કલાગુરૂ(દામોદર આર. કાલીદાસ) : વ્યકિતચિત્રણાના સિધ્ધ ચિત્રકારે કરેલું ગુજરાતના સ્વ. કલાગુરૂ શ્રી રવિશંકર રાવલનું રેખાચિત્ર. સાઠમારી (માર્કેડ ભટ્ટ): બેમહાસત્તાની સાઠમારી દર્શાવતા બે આખલાનું પ્રતીકાત્મકચિત્ર. બીજરેખા (મહેન્દ્ર મિસ્ત્રી) : બરફ અને વાદળાચ્છાદીત ધવલગિરિશિખર પર પ્રકાશિત બીજરેખા દ્વારા દર્શાવાતું શિવદર્શન. સંયોજન (તનસુખ મહીચા) : પર્ણો, પુષ્પો અને માનવપાત્રોનું મિનીએચર શૈલીમાં સુશોભનાત્મક સર્જન. સ્થિતપ્રજ્ઞ (સ્વ. બાલકૃષ્ણ પટેલ): ગાંધીજીના વિરાટ વ્યકિતત્વ અને તેમને પ્રિય વાનરોનું પ્રતીકાત્મક સંયોજન. શિકાર અને શિકારી (સ્વ. રવિશંકર પંડિત): પ્રાણી ચિત્રણાના આ અદ્વિતીય ચિત્રકારે એક બાળવાર્તા માટે કરેલું ત્રણ વિવિધ પ્રાણીઓનું ભાવવાહી પ્રસંગચિત્ર જે રમક્ડના મુખપૃષ્ઠ પર પ્રકટ થયેલું. વંદના (સ્વ. મૃદુલા બહેન ઠાકર) શાંતિનિકેતનના કલાસાધિકાએ બંગાળ શૈલીમાં ટેમ્પેરા માધ્યમમાં કરેલું મધુર ચિત્ર. ચિંતીત મા (સ્વ. ડૉ. રમેશ ભટ્ટ): ગરીબ માતાની ચિંતાગ્રસ્ત મુદ્દાને રજૂ કરતું માટી શિલ્પ. મહિયારી (અરિસિંહ રાણા) : બરડા પંથકના તળપદા ના૨ી સૌંદર્યને રજૂ કરતું મુંબઈ સચિવાલયમાં સંગૃહિત ચિત્ર. કમ્પોજીસન (રણવીર ચૌહાણ): પ્રતીકાત્મક આકારો વડે કરેલું સાદગીપૂર્ણ આધુનિક સંયોજન. ક્રિએટીવ સ્ટિલલાઈફ (સ્વ. શશીભાઈ પરમાર)ઃ ભૌમિતિક આકારોની કલાત્મક ગોઠવણીથી કરેલું સર્જનાત્મક ચિત્ર. શ્રી ગણેશ (કનુ પંચાલ) : ધાર્મિક ચિહ્નો, અક્ષરો અને પ્રતીકોના સંયોજન દ્વારા થયેલ સંતુલિત રચનાકૃતિ. રાષ્ટ્રપિતા (સ્વ. નારાયણ ખેર)ઃ પોરબંદરનાં કિર્તી મંદિરમાં સ્થાન પામેલું ગાંધીબાપુના વ્યકિતત્વને રજૂ કરતું તૈલ ચિત્ર. પનિહારીઓ (તુફાન રફાઈ) : પ્રાકૃતિક રંગોમાં કરેલી કલાકૃતિ. ત્રિશલાદેવીનાં ચૌદ સ્વપ્ન (સ્વ. ગોકુલદાસ કાપડીયા) : તીર્થંકર મહાવીરના જીવન પ્રસંગોની સુંદર ચિત્રશ્રેણીમાંની એક પ્રખ્યાત કૃતિ. (ચિત્રકારનો જન્મ ઈ.૧૯૧૬ માં થયો હતો. તેમના પરિચયમાં મૂકેલી સાલ મુદ્રણદોષ છે.) ફેઈથ (નાગજીભાઈ ચૌહાણ): રેનેસાં યુગની અભિવ્યકિતથી પ્રેરિત થઈને સર્જેલચિત્રમાળામાંની વાસ્તવિક શૈલીની કૃતિ. રંકની ઝૂંપડી (સ્વ. વિનાયકભાઈ પંડયા) : વુડકટ માધ્યમમાં કરેલું ચિત્ર. ઓળખ (ઠાકોર રાણા) પેન અને ઈન્કમાધ્યમમાં સિધ્ધ હથોટીમાં કરેલું પ્રતીકાત્મક ચિત્ર. લેન્ડસ્કેપ (અજિત પટેલ) : આધૂનિક સંયોજનાની એક્રેલીક માધ્યમમાં કરેલી રજૂઆત. કેશગૂંફન (સ્વ. હિંમતભાઈ મહેતા) : ગૃહજીવનના પાત્રો અને પ્રસંગનું સુંદર દ્રશ્યાત્મક આલેખન. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. વસંત (એસ. એમ. વાધેલા)ઃ ફલક પર રંગીન કાચના ટુકડા સંયોજનારને 'મુવીંગ મોઝેક'ચિત્રોના સર્જકની એક કૃતિ Jain Education International પરિશ્રમ (સુરેશ રાવલ) કથનાત્મક પારદર્શી રંગોનાં દ્રશ્યચિત્રોનાં સર્જકની વાસ્તવિક છતાં આધુનિક કૃતિ. મહારાવ ખેંગારજી (સ્વ. એલ.સી.સોની) : કચ્છના પૂર્વ રાજવીના વ્યકિતત્વને પૂર્ણ દરજ્જા સાથે રજૂ કરતી વાસ્તવિક તૈલચિત્રકૃતિ. ફળિયું (પ્રતાપસિંહ જાડેજા) વતન વેજાગામના એક ફળિયાનું જલરંગી દ્રશ્યચિત્ર.'કુમાર' માં પ્રકટ થયું છે. પીંગ પેટી (સ્વ. વિરેન્દ્રભાઈ પંડયા) : પંખીઓ, પુષ્પો અને પર્ણોના ભાવવાહી ચિત્રકારની એક રમણીય કૃતિ. લય (પ્રેમનકુમ) : હીંચ લેતી નારીનાં લયને કમનીય દેહવળાંકો દ્વારા વ્યકત કરતી માટીની સુંદર પ્રતિમા. સીટી વિથ ઈન – ૧૨ (ગૌતમ વાઘેલા) : વિશિષ્ટ દ્રષ્ટિકોણથી સ્થાપત્યચિત્રશ્રેણી સર્જનાર ચિત્રકારની એક કૃતિ. રખોપિયો (સ્વ. વિનય ત્રિવેદી) : લોક કલાની પરિપાટીને નિજી મૌલિકતામાં ભેળવીને સર્જેલી રેખાપ્રધાન કૃતિ. જયમંગલ અશ્વ (પ્રભાતસિંહ બારહટ): જલરંગી વાસ્તવિક શૈલીમાં સર્જેલી કાઠિયાવાડી અશ્વચિત્ર શ્રેણીમાંની એક કૃતિ. ફીગર (પ્રતાપસિંહ જાડેજા) : ઘડો લઈને ઊભેલી કન્યાની માટીમાં નિર્મીત પ્રતિમા. www.ainelibrary.org - અનુસંધાન પાછળનાં અસ્તરમાં
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy