SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પ્રતિભાવંતોને યશ-કીર્તિની કામના પણ હોતી નથી કે છલકાતા અધૂરા ઘડા જેવી સ્થિતિ પણ નડતી નથી. પરિચય મેળવવા પણ શ્રાવક મટી શ્રમણ બનેલા મુનિવરે એ પણ જણાવેલ કે આવી લબ્ધિઓ શક્તિઓ જીવે અનંતવાર પ્રાપ્ત કરી, પણ દુનિયાને આશ્ચર્ય કરાવતી ક્ષુલ્લક ક્ષાયોપશમિક શક્તિઓની ઝાઝી કિંમત તેમને મન નથી, પણ ક્ષાયિક ભાવના ગુણોની જ ઝંખના છે. જેમના પરિચય પછી જતીનભાઈની ધર્મભાવના ખૂબ વધી, વૈરાગ્યમાં પણ પલટાવા લાગી તેવા આદર્શ સહધર્મિણી ભારતીબેન જે. શાહનો સંક્ષિપ્ત પરિચય પણ પ્રેરણાદાયી હોવાથી અત્રે પ્રસ્તુત કરવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ. (૧) જન્મ (તા. ૧૩-૫-૧૯૬૫ સોમવાર), ઉછેર, અભ્યાસ, લગ્ન તથા દીક્ષા ભૂમિ તરીકે બેંગ્લોર શહેરની ભૂમિ ફળી. બાળાવસ્થાથી જ નિર્દોષતા, સરળતા અને નીડરતાનો સુભગ સુમેળ જોવા મળ્યો હતો. પોતાનામાં જ ખોવાયેલા જેવો બાળસ્વભાવ હોવાથી લોકો ધૂની' ના હુલામણા નામથી બોલવતા હતા. (૨) પરિવારમાં ઇંદુબેન લક્ષ્મીચંદ સંઘવી નામે માતા– પિતા, પ્રકાશ તથા રાજેશ નામે બે ભાઈ તથા કૌટુંબિક પચાસ જેટલાં ઘરો. જ્ઞાતિથી ઘોઘારી કારણ કે પૂર્વજો શિહોરની નિકટના ગામ વડિયાના વતની હતા પણ સ્વયંની સંપૂર્ણ ગતિવિધિ અને પ્રગતિ બેંગ્લોરમાં જ થઈ. (૩) અભ્યાસ : વ્યાવહારિક ભણતર INTER ARTS સુધીનો થયો, પછી લગ્નગ્રંથીથી જોડાયા. સ્કૂલમાં પ્રથમ નંબર લાવતાં, S.S.L.C. માં પણ FIRST CLASS પાસ થયાં. ધાર્મિક અભ્યાસમાં પણ ખૂબ ઝડપી પ્રગતિ. તેમાંય ગાથાઓ ગોખવામાં અને નિબંધો વગેરે કડકડાટ ગોખી જવામાં તેઓ બિનહરીફ રહેતાં. ધાર્મિક અભ્યાસ તારાચંદ ગાંડાલાલ જૈન પાઠશાળા ચીકપેટ બેંગ્લોરમાં થયો પછી પોતાના પતિદેવ પાસેથી પ્રાપ્ત કર્યો. શારીરિક તંદુરસ્તી પણ અનુકૂળ બની રહેતી. (૪) જીવન પલટો : બાળ ઉંમરમાં બાળચેષ્ટાઓથી વિમુખ પણ મનમોજી સ્વભાવને કારણે રસ્તામાં હાથલારીવાળા પાસેથી કાકડી, જમરૂખ ખાવાં, હોટલોમાં જવું, સિનેમાં, ટી.વી. જોવાં, નવાં-નવાં કપડાં પહેરવા, બધાય પ્રકારનાં પુસ્તકો-નોવેલ વાંચવાનો જબ્બર શોખ છતાંય Jain Education International પથપ્રદર્શક ગુણાનુરાગી સ્વભાવને કારણે અપરિચિત, પરગામથી આવેલ પ્રભુ-ભક્તિ પ્રેમી યુવાનના મધુર કંઠે ગવાતાં સ્તવનો, પાઠશાળામાં અપાયેલ જ્ઞાનદાન તથા પ્રશ્નચર્ચાઓ દ્વારા મન ધર્મ તરફ વળવા લાગ્યું, પાછળથી તે જ યુવાન સાથે માતાપિતાની સંપૂર્ણ સહમતિથી અગમ ઋણાનુબંધે લગ્ન ગ્રંથીથી જોડાયાં. સગાઈ થતાં જ આજીવન સિનેમા ત્યાગ, નિત્ય સેવાપૂજા, સંસારી સાસુ-સસરાની સેવા વગેરે દ્વારા પોતાનું મન સંપૂર્ણ વાળી લીધું. નિખાલસતા સાથે નીડરતા હોવાથી પ્રસંગે પ્રસંગે પોતાની પ્રતિભાનો પરિચય વિચાર, વાણી અને વર્તનથી આપ્યો. તેમાંના અમુક જીવન પ્રસંગો આ પ્રમાણે છે. (A) સગાઈ પૂર્વે જ ભાવિ સાસુની નિઃસ્વાર્થ સેવા કરવાનું વચન આપ્યું, પાળ્યું ને ગૃહસ્થ ધર્મ દીપાવ્યો. (B) સામે ચતુર્થવ્રતધારી પાત્ર ઉપરાંત ભાવિમાં દીક્ષાની સંભાવના છતાંય વચન આપ્યું કે પોતે પણ બ્રહ્મચર્ય વ્રત પાળશે, દીક્ષાની ભાવના પોતાને નથી પણ જો સહધર્મી લેશે તો અંતરાય નહિ પાડે, બલ્કે પોતાની ભાવના ને શક્તિ પહોંચતા દીક્ષા લેશે. ઉંમર વરસ ૧૭ ની અવસ્થામાં અપાયેલ વચનને અફર પાળી લગ્ન પછી પણ સંસાર–વાસનાથી મુક્ત રહી પતિના પગલે પગલે જીવન જીવી સંસાર પણ અગિયાર વરસ પછી છોડી દીધો. (C) જ્ઞાતિની ભિન્નતા છતાંય ગુણાનુરાગથી ધર્મી સહધર્મી પસંદ કર્યા. સામાજિક પ્રથાઓ તરફથી અડચણો– અંતરાયો જણાતાં સૌને સ્પષ્ટ જણાવી દીધું કે લગ્ન કરીશ તો જ્યાં નિર્ધાર કર્યો છે ત્યાં જ, અન્યથા કુંવારી રહીશ. ધર્મધ્યાન અને યુક્તિપૂર્વક પોતાની પણ વ્રત ભાવના જાળવી લીધી. (D) પોતાની અડગતા દર્શાવતાં જ પોતાનાં ફઈ અજવાળી બહેન તથા તેમના સુપુત્ર નીતિનભાઈ અને કિશોરભાઈની (M/S HANSA PICTURES BANGALORE-9) ખૂબ નૈતિક મદદ મળી જેઓ તેમના પરિવારમાં પીઠબળ જેવા રહ્યા. (E) સગાઈના નવ માસ પછી અને લગ્નના ત્રણ માસ પૂર્વે જ પોતાની નણંદના લગ્ન પ્રસંગે મુંબઈ સપરિવાર ગયેલ ત્યારે જ ભાવિ પતિ સાથે મંત્રણા કરી મુંબઈથી બે દિવસ માટે વાપી-વાધલધરા જઈ ગુરૂ મહારાજ પાસે સજોડે આજીવનનું ચતુર્થવ્રત ઉચ્ચરી લઈ પ્રતિભાનો પ્રકર્ષ પરિચય આપ્યો. પોતાનું પરાક્રમ સાહસિક છતાંય લગ્ન પછી પણ પ્રકાશમાં ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy