SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ અસલી ઢંગમાં રેડિયોના માધ્યમે પ્રસારિત કરતા રહ્યા ઇ.સ. ૧૯૮૪માં વયમર્યાદાને કારણે આકાશવાણીમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં ભારતના અનેક પ્રાંતોમાં તેમના ભજનગાનના કાર્યક્રમો થતા રહેતા. ગ્રામોફોન રેકોર્ડઝ ઉપરાંત ‘ભક્ત પીપાજી’, ‘સંત તુલસીદાસ', ‘સંત રોહીદાસ' અને ‘અલખનિરંજન' જેવાં ગુજરાતી ચલચિત્રોમાં તેમને કંઠે ભજનો ગવાયાં છે, તો અનેક ઓડિયો કેસેટ્સ પણ પ્રકાશિત થઈ છે. સિતાર સાથે ભજનો ગાતા કરસનદાસ યાદવ કરસનદાસ યાદવ આપણા સૌરાષ્ટ્રના દેશી સિતાર સાથે ભજનો રજૂ કરતા એક માત્ર બૂઝર્ગ ભજનિક છે. અંત્યજ ગણાતી નટ-બજાણિયા જ્ઞાતિમાં નાનકદાસ યાદવને ત્યાં એમનો જન્મ થયેલો. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને રાજકોટમાં પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્યમાં જોડાયા. ઇ. સ. ૧૯૫૮થી આકાશવાણી રાજકોટના ભજનકલાકાર તરીકે માન્યતા મેળવી. ઇ. સ. ૧૯૭૧માં એચ.એમ.વી. કંપની તરફથી એમનાં ભજનોની ગ્રામોફોન રેકોર્ડઝ બહાર પડેલી. ઇ. સ. ૧૯૬૨માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય રાજકોટ કેન્દ્રમાંથી કંઠ્ય સંગીતનો અભ્યાસ કર્યો. પ્રજાસત્તાક દિન પરેડ નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે ઇ. સ. ૧૯૮૮માં ભારતભરના લોકકલાકારોની સાથે પોતાની પરંપરિત ભજનગાનની કલાનું પ્રદર્શન કરેલું. ઇ. સ. ૧૯૯૦માં નહેરૂ સેન્ટર મુંબઈ દ્વારા યોજાયેલ ભારતીય કંઠસ્થ લોક પરંપરાના ફેસ્ટિવલમાં બહુમાન પ્રાપ્ત કરેલું. અનેક પ્રકારની સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાઓમાં તેમનાં ભજનોના કાર્યક્રમો યોજાતા રહે છે. નવી પેઢીના ભજન કલાકારો ભજનગાનના ક્ષેત્રે વર્તમાન સમયમાં રેડિયો, ટી.વી., કેસેટ્સ અને વિડિયો કેસેટ્સ કે સી.ડી. જેવાં માધ્યમો ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં પરંપરિત તળપદી ભજનવાણીના સ્વરો લહેરાવે છે તેવા ભજનિકોની માત્ર યાદી જોઈએ તો સર્વશ્રી કલ્યાણદાસ મેસવાણિયા (મેંદરડા), નગાભગત (જૂનાગઢ), રામદાસ ખડખડવાળા (ખડખડ), પ્રાણલાલ વ્યાસ (જૂનાગઢ), હેમંત ચૌહાણ (રાજકોટ), નિરંજન પંડ્યા (જેતપુર), કરસન સાગઠિયા (મુંબઈ), પ્રફુલ્લ દવે (અમદાવાદ), અરવિંદ બારોટ Jain Education International ૨૧૯ (ભાવનગર), સમરથસિંહ સોઢા (રાપર-કચ્છ), વાના જેતા ઓડેદરા (ઘોડાસર-ઘેડ), લક્ષ્મણ બારોટ (જામનગર), વિષ્ણુપ્રસાદ દવે (ગોંડલ), દેવેન્દ્ર વ્યાસ (પીપળિયા), દેવરાજ ગઢવી (કચ્છ), અભેસિંહ રાઠોડ (ભરૂચ), ગુલાબગિર ગોસ્વામી (ચમારડી), કાળાભગત ગઢવી (દ્વારકા), દેવજી શેખા (બગસરા), શક્તિદાન ગઢવી (જામનગર), પ્રતાપગિરિ ગોસ્વામી (ખંભાળિયા), બિહારી ગઢવી (રાજકોટ), ગોવિંદજી બોરીચા (ભાવનગર), ખીમજી ભરવાડ, સુરેશ રાવળ, મથુરભાઈ કણજારિયા, પોપગિરિ ગોસ્વામી, બટુક મહારાજ, હામાભગત, નિતીન દેવકા, માયાભાઈ આહિર, જગમાલ બારોટ (રાજકોટ), ધીરજગિરિ ગોસ્વામી (કોટડા સાંગાઠત).... વગેરે....... નારી કંઠોમાં આજે જોઈએ તો ભજનની પ્રાચીનઅર્વાચીન ગાયકીમાં શ્રીમતી ભારતીબહેન વ્યાસ (લીંબડી), શ્રીમતિ લલિતા ઘોડાદ્રા (રાજકોટ), સુ.શ્રી દમયંતિ બરડાઈ (મુંબઈ), મીના પટેલ (અમદાવાદ), ભાવના લાબડિયા (અમદાવાદ), ઉર્મિલા ગોસ્વામી, ઇન્દુબહેન ખૂંટી, રેખા ત્રિવેદી, જાગૃતિ દવે, પુનમ બારોટ (મોરબી), ફરીદા મીર, જયશ્રીબેન ભોજવિયા જેવાં તો અસંખ્ય નામો ગણાવી શકાય. આપણી સદીના ભારતખ્યાત ભજનિકો... છેલ્લા પચાસેક વર્ષના ગાળામાં જે ભજનિકોએ જ્યાં જ્યાં ગુજરાતી પ્રજા વસે છે ત્યાં ત્યાંના ભજનપ્રેમીઓમાં વિશાળ લોકચાહના પ્રાપ્ત કરી હોય તેવાં નામો જોઈએ તો ભંડારિયા ગામે જેમનો જન્મ થયેલો ને સેવાદાસ બાપુના શિષ્ય બનેલા, પાછળથી દ્વારકામાં આશ્રમ સ્થાપ્યો છે તે કાનદાસબાપુ, નારાયણસ્વામી, કનુભાઈ બારોટ, યશવંત ભટ્ટ, હેમુ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, નિરંજન પંડ્યા, કરસન સાગઠિયા અને હેમંત ચૌહાણનાં નામો ગણાવી શકાય. આ સિવાય ગામડે ગામડે નાના મોટા અનેક નવી અને જૂની પેઢીના ભજનિકો-ભજન ગાયકોભક્તિસંગીતના કલાકારો નજરે ચડે પરંતુ ખૂબ જ ખ્યાતિ પામેલા કલાકારોના જીવન વિશે પણ પ્રમાણભૂત માહિતી આપનારી નોંધ-યાદી આપણને પ્રાપ્ત થતી નથી તો ખાસ સંશોધન યોજના બનાવવી જોઈએ. હું માનું છું કે આ ક્ષેત્રના કલાકારોની અહીં અપાયેલી નામાવલિથી દસેક ગણી માત્રામાં કલાકારો–ભજનિકો થયા છે અને વર્તમાન સમયમાં હયાત પણ છે. વ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy