SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ તો આંગળીના વેઢે ગણાય એટલા દિવસો વીત્યા હશે ત્યાં ખબરયે વાવડ દીધા : શિહોરથી આતોભાઈ વાજોવાજ આવી રહ્યા છે...... આતાભાઈના કટક સામે બાથ ભીડવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. આ વાત કાઠી દરબારો સારીપેઠે સમજતા હતા એંટલે અંદરોઅંદર મસલત કરતા કહ્યું : ‘આતાભાઈના પોંખણા કરતા વધામણા કરીએ તો!' ‘ના' એક દરબારે કહ્યું : એનો અરથ અવળો થાય. એનાં કરતાં તો મરી ખૂટવું શું ખોટું?' ‘ભલે!’ દાઢીયાળાને મૂછાળા એવા ડાલામથ્થા સાવજ જેવા પાંચસો કાઠીઓ આતાભાઈની સામે થાવા ભેગા થયા ત્યાં એકાએક સંત તુલસીનાથ હાથમાં ચીપિયો લઈને આવી પુગ્યા. અને કોઈ કંઈ કારવે એ પહેલા જ બોલ્યા : ‘આતાભાઈ સામે જાવ છો ને?’ ‘હા, બાપુ’ ગરવથી છકી ગયો છે એ શિહોરનો ધણી.’ ઈ તો છે જ ને બાપુ !' ‘એનો ગરવ ઉતારવો પડશે અને ઇ પણ ધરમથી' તુલસીનાથનું કહેવું કોઈને સમજાણું નહિ. ભાદરના કાંઠે મારે રક્તપાત થાવા દેવો નથી. રક્તપાત રોકે એનું નામ ધરમ.' તુલસીનાથ બોલ્યા : ‘તમે કોઈ ભાદરનો કાંઠો ચડશો મા. આતાભાઈ સામે હું ધિંગાણે જાઉં છું.....' તુલસીનાથ ભાદરના બહોળા પાણીમાં ઊતર્યા. હાથમાં ચીપિયો હતો. ચીપિયા પર ભગવી ધજા ફરકતી હતી. આતાભાઈએ તુલસીનાથને ઓળખ્યા. હાથમાં હતી તે તલવાર નીચે મૂકીને તુલસીનાથ સામે ગયા અને પગમાં પડતા કહ્યું : ‘બાપુ તમે.....! ?' હા, પેલા મને મારો પછી જેતાણા જાવ.' આતાભાઈ આખી વાતને પામી ગયા. તે બોલ્યા : ધરમ સામે ધિંગાણા કરું એવો નપાવટ થોડો છું.!' આતાભાઈ પાછા વળી ગયા. અને કંપાવાળાને એનું ચિત્તળ ગામ પણ પાછું આપી દીધું. Jain Education International પથપ્રદર્શક દિલાવર વખુંભર વડલા જેવા ગઢની ઊંચેરી પડથાર પર કસુંબલ ડાયરો જામ્યો છે. નાજુક નારીની હથેળી જેવડા શાખપુર ગામના ગિરાસદાસ એવા આપા શાર્દુલ ખૂમાણ, મોં પરની પૂળો પૂળો મૂછોને ફરકાવતા બેઠા છે. તેમના સામેની બેઠક પર લૂમઝૂમતા ગિરાસ પાલિતાણાના ધણી ઠાકોર પ્રતાપસિંહજી ગોહિલ મહેમાનપદે બિરાજમાન છે. રજવાડી ડાયરો અને તેમાં પાછું મોરની કલગી જેવું મોઘેરું મનેખ મહેમાન એટલે સરભરામાં એક પણ વાતની ઊણપ રહે નહિ તેની પૂરતી કાળજી સાથે અડિયેલ ડાયરાની વચ્ચે કાવા-કસુંબાની અંળિયું લેવાય છે. સામસામે મારા સમ ને તમારા સમ એમ એકબીજાના ગળે હાથ દઈ દઈને આગ્રહ થાય છે. ધગધગતા રેગાડા જેવો કસુંબો હડેડાટ કરતો ગળામાં ઘૂંટડો થઈને ઊતરી જાય છે. કસુંબો પેટમાં પડતા જ આંખોના ફોતરાં બદલાઈ જાય છે. ઠાકોર પ્રતાપસિંહજી ગોહિલ અને આપા શાર્દુલ ખૂમાણને મીઠા વીરડા જેવી હેતાળવી ભાઈબંધી છે. બેઉનો એક જ ભાણામાં હાથ.... ખાલી ખોળિયાં જ જુદા, બાકી જીવ એક જ! જેવું દૂધ અને સાકરને બને, એવું જ બેઉ રાજવીને બને. મળે એટલે અદકાં હેતની સરવાણી ફૂટે! અને એટલે જ ઠાકોર પ્રતાપસિંહે શાખપુર ગામનો ગિરાસ આપ્યો ને? નહિતર બળબળતા બપોર જેવું ગાંડા બાવળનો વગડો લઈને ઊભેલું ઇટાળિયા ગામ જ ગિરાસમાં હતું ને! ભાઈબંધીના નાતે, સાચા મોતીની માળા જેવા ગિરાસમાંથી, માળાના મેર જેવું શાખપુર ગામ, આપા શાર્દુલ ખૂમાણને ગિરાસમાં આપ્યું. આપો શાર્દુલ ખૂમાણ આ ગામનો સુવાંગ ભોગવટો કરે. પાલિતાણાના ભર્યા ભાણા જેવા ગિરાસ ગામે શાખપુરનો ગિરાસ એટલે વાટકીમાં શિરામણ, હથેળીમાં પાણી ભર્યા બરાબર કહેવાય, પણ શાર્દુલ ખુમાણનું મન મોટું, દિલ દરિયા જેવું....ભારે દિલાવરી ! આંગણે આવનારનો આવકારો, ભૂખ્યાંનો રોટલો, દુખિયાંનો બેલી ને પડતાંની ટેકણ લાકડી. આશા બાંધીને કોઈ ગરીબ ગુરબો ડેલીએ આવ્યો હોય તો તેને ખાલી હાથે પાછો ન કાઢે, પણ યથાશક્તિ ધનરાશિ કે બીજું કોઈ વસ્તુ આપે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy