SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 298 નંદીસુi-(૧૫૭) શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારે વર્ણવ્યું છે. જેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી - દ્રવ્યથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે, ક્ષેત્રથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને સર્વ ક્ષેત્રને જાણે જુએ છે. કાળથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વકાળને જાણે જુએ છે. ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વકાળને જાણે જુએ છે. ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વ ભાવોને જાણે અને જાએ. [૧૫૮-૧૬o]અક્ષક સંજ્ઞી, સમ્યક, સાદિ, સપર્યવસિત, ગમિક અને અપ્રવિષ્ટ આ સાત પ્રતિપક્ષ સહિત ગણવાથી શ્રુતજ્ઞાનના 14 ભેદ થાય છે. આગમ શાસ્ત્રનું અધ્યયન બુદ્ધિના જે આઠ ગુણોથી થાય છે, તેને શાસ્ત્રવિશારદ અને વ્રતપાલનમાં ધીર આચાર્યો શ્રુતજ્ઞાનનો લાભ કહે છે. તે બુદ્ધિના આઠ ગુણો આ પ્રમાણે–ગુરૂના મુખારવિંદથી નીકળતા વચનોને શિષ્ય વિનયપુકત થઈને સાંભળવાની ઈચ્છા કરે, શંકા થવાપર વિનમ્ર ભાવથી ગુરૂને પુછે, ગુરૂ શંકાનું સમાધાન કરતા હોય ત્યારે સમ્યક પ્રકારે સાંભળે, સાંભળીને અર્થરૂપે ગ્રહણ કરે, અનત્તર પૂર્વાપર અવિરોધથી પલોચન કરે, તત્પશ્ચાત્ “આ આમ જ છે' તેમ આચાર્યને કહે ત્યાર બાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યફ રીતે ધારણ કરે અને તત્પAતુ તદનુસાર આચરણ કરે. [161 પ્રથમ શિષ્ય મૌન રહીને સાંભળે, પશ્ચાતુ હુંકાર અથવા તહત્તિ એમ કહે બાઢકાર કરે-ગુરૂ ફરમાવે છે. તે તેમજ છે, એમ કહે. પુનઃ શંકા થવાપર ગુરૂને પૂછે. ગુરૂના શંકા સમાધાન બાદ પુનઃ વિચારવિમર્શ કરે, એમ કરવાથી શિષ્ય ઉત્તરોત્તર ગુણોમાં પારગામી બની જાય છે. તત્પશ્ચાતું પ્રરૂપણા કરે છે. આ સાત ગુણ શ્રવણવિધિના છે. [૧૨]વ્યાખ્યાન કરવાની વિધિ-પ્રથમ અનુયોગ- સૂત્રને અર્થરૂપમાં કહે એટલે પહેલીવારમાં સૂત્રનો ઉચ્ચાર કરી માત્ર અર્થ કહે, બીજ અનુયોગ સૂત્રસ્પેશિક નિયુક્તિ સાથે કરે. ત્રીજા અનુયોગમાં સર્વ પ્રકારે નય નિપાદિથી પૂર્ણવ્યાખ્યા કરે. આ રીતે અનુયોગની વિધિ શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરી છે. [૧૬૩આવી રીતે અંગપ્રવિષ્ટ અને અબાહ્ય શ્રુતનું વર્ણન સમાપ્ત થયું. શ્રુતજ્ઞાનનો વિષય સમાપ્ત થયો. પરોક્ષ જ્ઞાનનું વર્ણન પણ થઈ ગયું અને શ્રી નન્દીસૂત્ર પણ પરિસમાપ્ત થયું. (પરિશિષ્ઠઃ ૧-અનુશાનંદિ) નોંધ આ સ્વરૂપ અનુયોગદ્વાર ની ગુર્જરછાયામાં સુંદર રીતે કર્યું છે તેથી અહીં તેનો સંક્ષેપ કર્યો છે. જુઓ અનુયોગદારના આરંભે [૧]તે અનુજ્ઞા શું છે? અનુજ્ઞા છ પ્રકારે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર,કાળ, ભાવ, તે નામઅનુજ્ઞા શું છે? જેનું જીવ કે અજીવ, જીવો કે અજીવો, તદુભયકે તદુભયો અનુજ્ઞા નામ કરાયું તે નામાનુજ્ઞા, તે સ્થાપના અનુજ્ઞા શું છે? જે કોઈ કાષ્ઠ, પત્થર, લેપ, ચિત્ર, ગ્રંથિમ, વેન્ટિમ, પૂરિમ, સંઘાતિમ એવા એક કે અનેક અક્ષ, વરાટક, માં સદ્ભાવ સ્થાપના કે અસદ્દભાવ સ્થાપના કરીને અનુજ્ઞા સ્થપાય તે સ્થાપના અનુજ્ઞા, નામ અને સ્થાપનામાં વિશેષતા શું? નામ યાવન્કથિત છે. સ્થાપના ઈન્દર કાલિક કે યાવત્કાથિત બંને હોય. તે દ્રવ્યાનુજ્ઞા શું છે? દ્રવ્યાનુજ્ઞા આગમથી અને નો આગમથી છે. તે આગમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005108
Book TitleAgam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy