SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 284 નંદીસુi-(૧૦૧) કૂપ, વનખંડ, ખીર અતિગ, પત્ર, ઢેઢગરોળી પાંચપિતા. આ સર્વે ઓત્પાતિકી બુદ્ધિના ઉદાહરણો છે. [101-103] વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્ય-ભાર વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ-ધર્મ,અર્થકામનું પ્રતિપાદન કરનાર સૂત્ર તથા અર્થના પ્રમાણ-સારને પ્રહણ કરનારી તથા આ લોક અને પરલોકમાં ફળ દેનારી હોય છે. વૈયિકી બુદ્ધિના. ઉદાહરણો-નિમિત્ત, અર્થશાસ્ત્ર, લેખ, ગણિત, કૂપ, અશ્વ, ગર્દભ, લક્ષણ, ગ્રન્યિ, ઔષધ, રથિક, વેશ્યા, ભીંજાયેલી, શાટિકા, લાંબુણ, વિપરીત, ક્રિૌંચાદિ, નીદ્રોદક, બળદની ચોરી, ઘોડાનું મરણ, વૃક્ષનું પડવું. ૧૦૪-૧૦]ઉપયોગ પૂર્વક-મનનથી કાર્યોના પરિણામને જોવાવાળી, અભ્યાસ અને વિચારવાથી વિશાળ બનેલી, તેમજ વિદ્વજ્જનોથી સાધુવાદરૂપ ફળ આપનારી, આ રીતે કાર્યના અભ્યાસથી સમુત્પન્ન બુદ્ધિ કમજા બુદ્ધિ છે. કર્મજાબુદ્ધિના ઉદાહરણી- સુવર્ણકાર, ખેડૂત, વણકર, રસોઈઓ, મણિકાર, ઘી વેચનાર, નટ, દરજી, કડીયો, કંદોઈ, ઘટ, ચિત્રકાર. [૧૦-૧૧૦]અનુમાન. હેત. અને દષ્ટાંતથી કાર્યસિદ્ધ કરનારી, અવસ્થાના પરિપાકથી પુષ્ટ થનારી, લોકહિત કરનારી, મોક્ષરૂપ ફળ દેનારી બુદ્ધિ પરિણામિકી કહેવાય છે. પરિણામિકી બુદ્ધિના ઉદાહરણ અભયકુમાર શ્રેષ્ઠિકુમાર દેવી ઉદિતોદય, રાજા, સાધુ, નંદિષેણ, ધનદત્ત, શ્રાવક, અમાત્ય, પક, અમાત્યપુત્રચાણકય, સ્થૂલભદ્ર, નાસિકપુરનાસુંદરીનંદ, વસ્વામી, ચરણાહત, આમલક, મણિ, સર્પ, ગેંડો, સૂપ-ભેદન ઈત્યાદિ. આ તે અમૃતનિશ્રિતા નું વર્ણન સમાપ્ત થયું. [111 શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કેટલા પ્રકારનું છે. તે ચાર પ્રકારનું છે, જેમકે–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. [૧૧૨-૧૧૫]અવગ્રહ કેટલા પ્રકારે છે ? અવગ્રહ બે પ્રકારે છે. તે આ પ્રમાણે અથવિગ્રહ વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહના કેટલા પ્રકારેછે? વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે - શ્રોત્રેન્દ્રિય-વ્યંજનાવગ્રહ ધ્રાણેન્દ્રિયવ્યંજનાગ્રહ જિહુવેન્દ્રિયવ્યંજનાવગ્રહ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ કેટલા પ્રકારે છે ? અર્થાવગ્રહ છ પ્રકારે છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ ચક્ષુરિન્દ્રિયઅથવગ્રહ ધ્રાણેન્દ્રિઅથવગ્રહ જિહુવેન્દ્રિય અર્થાવગ્રહ સ્પર્શેન્દ્રિય અથવિગ્રહ નોઈન્દ્રિયઅથવિગ્રહ. અથવગ્રહના નાના ઘોષ અને નાના વ્યંજનોવાળા પાંચ નામ છે, " અવગ્રહણતા-જેના દ્વારા શબ્દાદિ પુદ્ગલો ગ્રહણ કરાય તેને અવગ્રહ કહેવાય છે. ઉપધારતા- વ્યંજનાવગ્રહના શેષ સમયોમાં નવીન નવીન પગલોને સમયે-સમયે ગ્રહણ કરવા અને પહેલા-ગ્રહણ કરેલાને ધારણ કરવા તે. શ્રવણતા-જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય તે શ્રવણતા કહેવાય છે અવલંબનતા-અર્થનું ગ્રહણ કરવું તે. મેઘાઆ સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે. [૧૧]ઈન્દ્રિયના વિષય અને હર્ષ વિષાદ આદિ માનસિક ભાવોના સંબંધમાં નિર્ણય કરવાને માટે વિચારરૂપ ઈહા કેટલા પ્રકારની છે ? ઈહા છ પ્રકારની છે– શ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહ, ધ્રાણેન્દ્રિય ઈહા, જિદ્દેન્દ્રિય ઈહા, સ્પર્શેન્દ્રિય ઈહા, નોઈદ્રિય ઈહા, તેના એકાઈક, નાનાઘોષ, અને નાના વ્યંજનવાળા પાંચ નામ છે, તે આ પ્રમાણે આભોગનતા અથવગ્રહ પછી સદ્દભૂત અર્થની વિશેષ વિચારણા કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005108
Book TitleAgam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy