SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 28 સૂત્ર-૮૧ ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે. અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ને નહિ. જો સંખ્યાત. વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોને કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ? ગૌતમ ! યપ્તિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ. જો પર્યાપ્ત સંખ્યાત વર્ષના યુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને અથવા મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને, કે મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજમનુષ્યોને ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યો અને મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થતું નથી. જો સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના યુવાળા કમ-ભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે? ગૌતમ ! સંયત સમ્યગ્દષ્ટિ પતિ સંખ્યાત વર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. અસંયત અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ. જે સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાલા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે? ગૌતમ ! અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નથી હોતું. જો અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુવાળા. કર્મ-ભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું ઋદ્ધિપ્રાપ્ત-લબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અનૂદ્ધિપ્રાપ્ત-અલબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા. કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે? ગૌતમ! ઋદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે, અવૃદ્ધિ પ્રાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મન:પર્યવજ્ઞાનનની પ્રાપ્તિ થતી નથી. [85] તે મનપર્યવજ્ઞાન બે પ્રકારે ઉત્પન્ન થાય છે, જેમકે- ઋજુમતિ અને વિપુલમતિ. તે સંક્ષેપથી ચાર પ્રકારનું પ્રરૂપ્યું છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી, દ્રવ્યથી- જુમતિ અનંતપ્રદેશિક અનંત સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપથી જાણે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005108
Book TitleAgam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy