________________ ઉદ્દેસી–૫, સત્ર-૧૪૭ 173 [૧૪૭સાધુ કે સાધ્વીને રાત્રે અથવા સંધ્યા વેળા લાંબો સર્પ કરડે ત્યારે સાધુ સરી પાસે કે સાધુ-પુરુષ પાસે ઔષધ કરાવે એવું અપવાદ માર્ગે સ્થવિર કલ્પીને કલ્પ. આવો અપવાદ સેવનાર સ્થવિર કલ્પી ને પરિહાર તપ પ્રાયશ્ચિતું પણ ન આવે. આ સ્થવિર કલ્પનો આચાર કડ્યો. જિનકલ્પીને આ રીતે અપવાદ માર્ગનું સેવન ન કલ્પે એ આચાર જિનકલ્પીનો કડ્યો. પાંચમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ (ઉદેસા-) [148] જે કોઈ સાધુ-સાધ્વી પોતાના સગાને ઘેર જવા ઈચ્છે તો સ્થવિરને પૂયા સિવાય જવું ન કહ્યું, પૂછયા પછી પણ જો સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો આજ્ઞા વિના જાય તો કેટલા દિવસ રહે તેટલું છે કે તપ પ્રાયશ્ચિત્ આવે. અલ્પસૂત્રી કે આગમ ના અલ્પશાતાને એકલાને પોતાના સગાને ત્યાં જવું ન કહ્યું. બીજા બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાની સાથે સગાને ઘેર જવું કહ્યું. ત્યાં ગયા પછી પહેલા ભાત થયા હોય પણ દાળ ન થઈ હોય તો ભાત લેવા કલ્પે પણ દાળ લેવી ન કલ્પે. જો પહેલા દાળ થઈ હોય અને ગયા પછી ભાત થાય તો દાળ લેવી કલ્પે. પણ ભાત લેવા ન કલ્પે બંને પહેલેથી ઉતર્યા હોય તો બંને લેવા કહ્યું અને એકપણ વસ્તુ ન થઈ હોય તો કશું લેવું ન કહ્યું. અર્થાત્ સાધુના ગયા પહેલાં જે કંઈ તૈયાર હોય તે બધું કહ્યું અને ગયા પછી તૈયાર થાય તેવો કોઈપણ આહાર ન કલ્પે. ૧૪૯]આચાર્ય ઉપાધ્યાય ના ગણના વિશે પાંચ અતિશય કડ્યા છે. ઉપાશ્રયમાં પગને ઘસી ઘસી ને પુંજે અથવા વિશે પ્રમાર્જે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ઉપાશ્રયમાં મળ-મૂત્રનો ત્યાગ કરે, શુદ્ધિ કરે, વૈયાવચ્ચ કરવાનું સામર્થ્ય હોય તો ઈચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન હોય તો વૈયાવચ્ચ ન કરે. ઉપાશ્રયમાં એક-બે રાત્રિ વાસ કરે કે ઉપાશ્રયની બહાર એક-બે રાત્રિ વાસ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. 150 ગણાવચ્છેદકના ગણને વિશે બે અતિશય કડ્યા છે. ગણાવચ્છેદક ઉપાશ્રયમાં કે ઉપાશ્રય બહાર એક કે બે રાત્રી વસે તો જિનાજ્ઞા ઉલ્લંઘન થતું નથી. [૧૫૧]તે ગામ-નગર-રાજધાની... યાવતુ......સંનિવેશ ને વિશે, એક જ આંગણુએક જ દરવાજો-પ્રવેશ નિર્ગમનનો એક જ માર્ગ હોય ત્યાં ઘણાં અગિતાર્થ સાધુને (શ્રુતના અજ્ઞાનને એકઠાં થઈ રહેવું ન કલ્પે. ને ત્યાં આચાર પ્રકલ્પ ના જ્ઞાત સાધુ હોય તો રહેવું કો પણ જો ન હોય તો ત્યાં જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિતું આવે. [૧પર તે ગામવાવતુ...સંનિવેશને વિશે જુદી જુદી વાડ હોય, દરવાજા તથા જવા આવવાના માર્ગ પણ જુદા જુદા હોય ત્યાં ઘણા અગીતાર્થ સાધુને તથા શ્રુત અજ્ઞાની ને એકઠા થઈને રહેલું ન કલ્પે. જો ત્યાં કોઈ એક આચાર પ્રકલ્પનિસીહ આદિના જાણકાર હોય તો તેની સાથે ત્રણ રાત્રિમાં આવીને સાથે રહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org