SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 167 કો, ાિરીનો . ઉસો-૩, સત્ર- અપરિહરી વિશે પરિહારીનો કલ્પ-આચાર જાણવો તે પ્રમાણે હું તમને) કહું છું. બીજા ઉદ્દેશની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્દેસી-૩ ડિસાધુ ગચ્છ નાયકપણું ધારવા ઈચ્છે તો હે ભગવંત ! જો તે સાધુ આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ રહિત છે તો ગચ્છ નાયક પણું ધારી શકે ? જો એમ હોય તો ગચ્છનાયકપણું ધારવું ન કો પણ જો તે આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ સહિત અને શિષ્યાદિ પરિવાર વાળો હોય તો ગચ્છ નાયકપણું ધારી શકે. [૬૭]જે કોઈ સાધુ ગચ્છનાયકપણું ધારવા ઈચ્છે તેને સ્થવિરને પૂછયા વિના ગચ્છનાયકપણું ધારવું ન કલ્પે સ્થવિરને પૂછીને ગચ્છનાયકપણું ધારવું કલ્પ સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જેટલા દિવસ તે આજ્ઞારહિત ગચ્છનાયકપણું ધારે તેટલા દિવસનું છેદ કે તપનું પ્રાયશ્ચિત્ આવે. [૬૮-૬૯ત્રણવર્ષનો પર્યાય હોય તેવા શ્રમણ- નિર્ચન્થ હોય વળી જે આચારસંયમ પ્રવચન-ગચ્છની સાર સંભાળાદિક સંગ્રહ અને પાણેસણાદિ ઉપગ્રહને વિશે કુશલ હોય, જેનો આચાર ખંડીત થયો નથી, ભેદાણો નથી, સબળ દોષ લાગ્યો નથી. સંક્લિષ્ટ આચાર યુક્ત ચિતવાળો નથી, બહુશ્રુત, ઘણા આગમના જ્ઞાતા, જઘન્યથી આપાર પ્રકલ્પનિસીહ સુત્રાર્થના ધારક છે તેવા સાધુને ઉપાધ્યાય પદ આપવું કહ્યું. -- પણ જે ઉક્ત આચાર આદિમાં કુશળ નથી, તેમજ અક્ષત્ આચારાદિ નથી તેવા શ્રમણ-નિગ્રન્થ ને ત્રણ વર્ષનો દીક્ષાપર્યાય હોય તો પણ પદવી આપવી ન કલ્પે. [70-71 પાંચ વર્ષના પયયવાળા શ્રમણ- નિર્ઝન્ય જો આચાર-સંયમ- પ્રવચનગચ્છની સર્વ ચિંતાની પ્રજ્ઞા- ઉપધિ આદિના ઉપગ્રહમાં કુશળ હોય, જેનો આચાર છેદાણો- ભેદાણો ન હોય, ક્રોધાદિકે જેનું ચારિત્ર મલિન નથી વળી જે બહુ સૂત્રી, આગમાજ્ઞાતા છે અને જઘન્યથી દસા-કપ્પ-વવહાર સૂત્રના ધારક છે તેને આચાર્ય ઉપાધ્યાય પદ આપવું કહ્યું... પણ જે ઉક્ત ગુણવાળા નથી તેમને આ પદ આપવું ન કલ્પે. ૭િ૨-૭૩આઠ વર્ષના પર્યાયવાળા શ્રમણ- નિર્મન્થ માં ઉપરોક્ત સર્વે ગુણ અને જઘન્ય થી ઠાણું- સમવાઓ ના જ્ઞાતા હોય તેને આચાર્યથી ગણાવચ્છેદક પર્વતની પદવી આપવી કહ્યું, . . પણ જેનામાં ઉક્ત ગુણ નથી તેને આચાર્ય આદિ પદવી આપવી ન કલ્પે. [૭૪]નિરુદ્ધવાસ પયય-(એક વખત દીક્ષા લીધા બાદ જેનો પયરય છેદ થયો છે તેવા) - શ્રમણ નિર્મન્થને તેજ દિવસે આચાર્ય- ઉપાધ્યાય પદવી આપવી કહ્યું છે ભગવંત ! એમ કેમ કહયું ? તે સ્થવિર સાધુને પૂર્વના તથારૂપ કુળ છે. જેવાકે પ્રતીતિકારક, દાન આપવામાં ધીર, વિશ્વાસુ, ગુણવંત, સાધુ વારંવાર વહોરવા પધારે તેમાં ખુશી થાય અને દાન આપતા દોષ ન લગાડે તેવા, ઘરમાં સર્વેને દાન આપવાની અનુજ્ઞા છે, બધાં સમપણે દાન દેનાર છે, વળી તે કુળની પ્રતીતિ કરીને-વૃતિ કરીને વાવતું સમપણે દાન કરીને જે નિરુદ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ગળ્યે દીક્ષા લીધી તેન આચાર્ય ઉપાધ્યાય રૂપે તે જ દિવસે પણ સ્થાપવા કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005098
Book TitleAgam Deep 36 Vavahara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 36, & agam_vyavahara
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy