SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 8i8] l88 SN E नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ 31 ગણિવિજા પઈણયો izziiiiiiiiizza R ( આઠમું પ્રકિર્ણક-ગુર્જરછાયા [1] પ્રવચન શાસ્ત્રમાં જે રીતે દેખાડેલ છે. એવું આ જિનભાષિત વચન છે અને વિદ્વાનોએ પ્રશંસેલ છે તેવી ઉત્તમ નવ બળ વિધિની બળાબળ વિધિ હું કહીશ. [૨]આ ઉત્તમ નવબળ વિધિ આ પ્રમાણે છે- દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, પ્રહદિવસ, મુહૂર્ત, શકુનબળ, લગ્નબળ, નિમિત્તબળ, [3] ઉભયપક્ષમાં દિવસે હોરા બળવાન છે. રાત્રે તે દુર્બલ છે રાત્રિ માં વિપરીત છે તે બાબત વિધિને જાણો. [૪૮]એકમે લાભ નથી. બીજે વિપત્તિ છે. ત્રીજે અર્થ સિદ્ધિ, પાંચમે વિજય આગળ રહે છે. સાતમમાં ઘણા ગુણ છે તેમાં શંકા નથી, દશમીએ પ્રસ્થાન કરીએ તો માર્ગ નિષ્કટક બને છે. એકાદશીએ આરોગ્યમાં વિધ્વરહિતતા અને કલ્યાણ ને જાણવું. જે અમિત્ર થયા છે તે તેરસ પછી વશ થાય છે. ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ, બારસ એ ઉભય પક્ષમાં વર્જવી. એકમ, પાંચમ, દશમ, પૂર્ણિમા, અગિયારસ આ દિવસે શિષ્ય દીક્ષા કરવી. . [૯-૧ર્ગ તિથિઓ પાંચ છે- નંદા, ભદ્રા, વિજયા, તુચ્છા અને પૂણ. છ વખતએક મહિના માં આ એક એક અનિયત વર્તે છે. નંદા, જયા અને પૂણ તિથિમાં શિષ્ય દીક્ષા કરવી. નંધભદ્રામાં વ્રત અને પૂણમાં અનશન કરવું [11-13] પુષ્ય, અશ્વિની, મૃગશિર્ષ, રેવતી, હસ્ત, ચિત્રા, અનુરાધા, જ્યેષ્ઠા * અને મૂળ આ નવ નક્ષત્ર ગમન માટે સિદ્ધ છે. મૃગશિર્ષ, મઘા, મૂળ, વિશાખા, અનુરાધા, હસ્ત, ઉત્તરા, રેવતી, અશ્વિની અને શ્રવણ આ નક્ષત્રોમાં માર્ગે પ્રસ્થાન અને સ્થાન કરવું પણ આ કાર્ય અવસરે ગ્રહણ કે સંધ્યા હોવી ન જોઈએ. (આ રીતે સ્થાનપ્રસ્થાન કરનારને સદા માર્ગે ભોજન-પાન પુષ્કળ ફળ-ફૂલ પ્રાપ્ત થાય છે. અને જતા પણ ક્ષેમકુશળ પામે છે. [૧૪-૧૭ધ્યાગત, રવિગત, વિડ્રડેર, સગ્રહ, વિલંબિ રાહુગત અને ગ્રહભિન આ સર્વ નક્ષત્ર વર્જવા. (જેની વ્યાખ્યા કરતા આગળ જણાવે છે કે, અસ્ત સમયનું નક્ષત્રને સધ્યાગત, જેમાં સૂર્ય રહેલો હોય તે રવિગત નક્ષત્ર, ઉલટું પડતું તે વિફેર નક્ષત્ર, કુર ગ્રહ રહેલો હોય તે સંગ્રહ નક્ષત્ર, સૂર્ય છોડેલું તે વિલંબી નક્ષત્ર, જેમાં ગ્રહણ થાય તે રાહુહત નક્ષત્ર જેની મધ્યમાંથી ગ્રહો પસાર થાય તે ગ્રહ ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005092
Book TitleAgam Deep 31 Ganivijja Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages15
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 31, & agam_ganividya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy