SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -81 43 દૂહ મધ્યમાં તેઓ ખેંચાઈ ગયા. આવા અવસરે પણ તેઓએ સમાધિપૂર્વક પંડિતમરણને પ્રાપત કર્યું. 81-83 કુલાણ કુણાલ નગરમાં વૈશ્રમણદાસ નામનો રાજા હતો. આ રાજાને રિષ્ઠ નામનો મંત્રી કે જે મિથ્યા દ્રષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળો હતો. તે નગરમાં એક અવસરે મુનિવરોને વિષે વૃષભ સમાન, ગણિપિટકરુપ શ્રી દ્વાદશાંગીના ધારક તથા સમસ્ત મૃતસાગરના પારને પામનાર અને ધીર એવા શ્રી ઋષભસેન આચાર્ય, પોતાના પરિવાર સહિત પધાર્યા હતા. તે સૂરિના શિષ્ય શ્રીસિંહસેન ઉપાધ્યાય કે જેઓ અનેક પ્રકારના શાસ્ત્રાર્થ રહસ્યના જ્ઞાતા, તથા ગણની તૃપ્તિને કરનારા હતા. રાજમંત્રી રિષ્ઠની સાથે તેઓને વાદ થયો. વાદમાં રિષ્ઠ પરાજિત થયો. આથી રોષથી ધમધમતા, નિર્દય એવા તેણે પ્રશાન્ત અને સુવિહિત શ્રીસિંહસેન ઋષિને અગ્નિથી સળગાવી મૂક્યા. શરીર અગ્નિથી બળી રહ્યું છે. આ અવસ્થામાં તે ઋષિવરે સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. [84] હસ્તિનાગરપુરના કુરૂદત્ત શ્રેષ્ઠીપુત્રે, સ્થવિરોની પાસે દીક્ષાને સ્વીકારી હતી. એક અવસરે નગરને ઉદ્યાનમાં તેઓ કાયોત્સર્ગધ્યાને ઉભા હતા. ત્યાં ગોપાળે નિદોંષ એવા તેઓને શાલ્મલીવૃક્ષના લાકડાની જેમ સળગાવી મૂક્યાં. છતાંયે આ અવસ્થામાં તેઓએ સમાધિપૂર્વક પંડિત મરણને પ્રાપ્ત કર્યું [85] ચિલાતીપુત્ર નામના ચોરે, ઉપશમ, વિવેક અને સંવરરુપ ત્રિપદીને સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. તે અવસરે તેઓ ત્યાંજ કાયોત્સર્ગથ્થાને રહ્યા. કીડીઓએ તેમના શરીરને ચાલણીની જેમ છિદ્રવાળું કર્યું. આમ શરીર ખવાતું હોવા છતાંયે તેઓ સમાધિથી મરણને પામ્યા. [8] શ્રીગજસુકુમાલ ઋષિ નગરના ઉદ્યાનમાં કાયોત્સર્ગધ્યાને રહ્યા હતા. નિરપરાધી અને શાન્ત એવા તેઓને કોઈ પાપાત્માએ હજારો ખીલાથી જાણે મઢેલ હોય એવી રીતે લીલા ચામડાથી બાંધી. પૃથ્વી પર પછાડયાં. આ છતાંયે તેઓએ સમાધિપૂર્વક મરણને મેળવ્યું. (આ કથાનકમાં કંઈ મિશ્રણ થયાનો સંભવ છે.) [87 મંખલી ગોશાળાએ નિર્દોષ એવા શ્રી નક્ષત્ર અને શ્રીસવનુભૂતિ નામના શ્રી મહાવીર પરમાત્માના શિષ્યોને તેજલેશ્યાથી બાળી નાંખ્યા હતા. તે રીતે સળગતાં તે બને મુનિવરો સમાધિભાવને સ્વીકારી પંડિત મરણને પામ્યા. [88] સંથારાના સ્વીકારની વિધિ યોગ્ય અવસરે, ત્રણગુપ્તિથી ગુપ્ત એવો ક્ષપકસાધુ જ્ઞપરિજ્ઞાથી જાણે છે. બાદ માવજીવન માટે સંઘસમુદાયની મધ્યમાં ગુરૂના આદેશ મુજબ આગારી પૂર્વક ચારેય આહારનું પચ્ચકખાણ કરે છે. [9] અથવા સમાધિ જાળવવાને માટે કોઇક અવસરે ક્ષેપક સાધુ ત્રણ આહારનું પચ્ચકખાણ કરે છે. અને કેવળ પ્રાસુક જળનો આહાર કરે છે.બાદ, ઉચિત કાલે તે ક્ષપક, પાણીના આહારનું પણ પચ્ચખાણ કરે છે. [0] શેષલોકોને સંવેગ પ્રગટ થાય તે રીતે તે ક્ષેપકે ક્ષમાપના કરવી અને સર્વ સંઘ સમુદાયની મધ્યમાં કહેવું કે પૂર્વેમન વચન અને કાયાના યોગોથી કરવા, કરાવવા કે અનુમોદવા દ્વારા મેં જે કાંઈ અપરાધો કર્યા હોય તેને હું ખાવું છું.' [1] બે હાથને મસ્તકે જોડીને તેણે ફરી કહેવું કે શલ્યથી રહિત આ હું આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005089
Book TitleAgam Deep 29 Santharagam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages21
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 29, & agam_sanstarak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy