SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 29 ગાથા-૯૩ ગએલો અને સંયમ જેણે નથી પાળ્યું એવો ફિલબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. ૯૪]લજ્જાવડે, ગારવવડે અને બહુ શ્રુતના મદ વડે જેઓ પોતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. [૫]દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીર્તિને પામે અને પોતાનાં પાપ છૂપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારી ભલી કહી છે. [૯]તરણાંનો સંથારો અથવા પ્રાશુક ભૂમિ તે વિશુદ્ધિનું કારણ નથી, પણ જે મનુષ્યનો આત્મા વિશુદ્ધ હોય તેજ ખરો સંથારો કહેવાય. [૯]જિન વચનને અનુસરતી શુભધ્યાન અને શુભયોગમાં લીન એવી મારી મતિ થાઓ; જેમ તે દેશ કાલને વિષે પંડિત થયેલો આત્મા દેહ ત્યાગ કરે. [૯૮]જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે આળસુ કોઈ મુનિ જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈકિયો રૂપી ચોરો (તેના) તપ સંયમનો નાશ કરે છે. [૯]જિન વચનને અનુસરતી મતિ વાળો પુરૂષ જે વેળા સંવરમાં પેઠેલો હોય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાળખાં સહિત કર્મને બાળી મૂકે છે. [૧૦]જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડનાં વૃક્ષોને પણ બાળે છે, તેમ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે કર્મનો ક્ષય કરે છે. [૧૦૧]અજ્ઞાની ઘણા કોડો વર્ષે કરીને જે કર્મ ખપાવે છે તે કર્મને ત્રણ ગુપ્તિએ ગુપ્ત જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે. [૧૦૨-૧૦૫]ખરેખર મરણ પાસે આવ્યું છતે બાપ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સર્વ મજબુત પણ સમર્થ ચિત્તવાળા માણસથી ચિંતવી શકાય નહિ. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે તે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરાય છે, તેનાથી તે માણસ મોહજાલને અધ્યાત્મયોગ વડે છેદે છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તેથી સમાધિ મરણે તેણે મરવું. ૧૦૬જેનાથી વૈરાગ્ય થાય તે તે કાર્ય સર્વ આદરવડે કરવું જોઈએ. જેથી સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંવેગી જીવને અનંતો સંસાર થાય છે. [૧૦૭]જિનેશ્વર ભગવાને પ્રકાશેલો આ ધર્મ હું સમ્યક પ્રકારે ત્રિવિધ સહું છે. કારણ કે તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મોક્ષ નગરનો રસ્તો [૧૦૮-૧૦૯]હું શ્રમણ છું સર્વ અર્થનો સંયમી છું જિનેશ્વર ભગવાને જે જે નિષેધેલું છે તે તે સર્વ તેમજ ઉપધિ, શરીર અને ચતુર્વિધ આહારને મન વચન અને કાયાવડે હું ભાવથી વોસિરાવું છું. [૧૧]મન વડે જે ચિતવવા યોગ્ય નથી તે સર્વ હું ત્રિવિધ વોસિરાવું છું. * [111-117] અસંયમથી વિરમવું, ઉપાધિનું વિવેક કરણ, (ત્યાગ કરવો, ઉપશમ, અયોગ્ય વ્યાપારથી વિરમ, ક્ષમા, નિલોંભતા અને વિવેક... આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005086
Book TitleAgam Deep 26 MahaPacchakhanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages19
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 26, & agam_mahapratyakhyan
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy