________________ Go5 અધ્યયન-૧ થી 10 શ્રીપાર્શ્વનાથ પુરુષોમાં પ્રધાન અનુક્રમ વિચરતા યાવતુ દેવોના સમૂહ પરિવરેલા સતા અહીં પધાર્યા છે. તો હે માતાપિતા! તમારી આજ્ઞા પામી સતી હું શ્રી પાર્શ્વનાથ અર્ધન પુરુષાદાનીયના પાદવંદન કરવા માટે જવા ઈચ્છું છું. માતાપિતાએ કહ્યું- હે દેવાનુપ્રિયા ! ઈચ્છા પ્રમાણે કર. વિલંબ ન કર. ત્યારપછી તે ભૂતા દારિકા પોતાના પરિવારવડે પરીવરીને રાજગૃહ નગરની મધ્યે થઈને નીકળી. નીકળીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આવી. આવીને તેણીએ છત્રાદિક તીર્થંકરના અતિશય જોયા. જોઈને ધાર્મિક શ્રેષ્ઠ ત્યાર પછી તે ભૂતાદારિકા શ્રી પાર્શ્વનાથ અહંને પ્રમાણે કહ્યું ત્યારે હર્ષ પામી યાનથી નીચે ઉતરીને દાસીઓના સમૂહથી પરિવરી જ્યાં શ્રી પાર્શ્વનાથ અહિત પુરુષાદાનીય ત્યાં આવી. આવીને તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ પર્યાપાસના કરવા લાગી. ત્યારપછી શ્રી પાર્શ્વનાથ અહન પુરુષાદાનીએ તે ભૂતાદારિક તથા તે મોટી પર્ષધ આગળ ધર્મકથા કહી. તે ધર્મકથા સાંભળીને હૃદયમાં ધારીને હૃષ્ટતુષ્ટ થઈ ભગવાનને વંદના કરી, નમસ્કાર કર્યો. આ પ્રમાણે બોલી-હે ભગવાન! હું આ નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું યાવતુ હે ભગવાન! હું નિર્ગક પ્રવચનમાં સાવધાન થઈ છે. જે પ્રમાણે તમો કહો છો તે તેમ જ છે. પણ વિશેષ એ કેહે દેવાનુપ્રિય ! હું મારા માતાપિતાની રજા લઉં. ત્યારપછી હું યાવત્ પ્રવ્રજ્યા લેવા ઈચ્છે. ત્યારે ભગવાન બોલ્યા કેહે દેવાનુપ્રિયા ! જેમ યોગ્ય લાગે તેમ કર પ્રતિબંધ ન કર. ત્યારપછી તે ભૂતાદારિક તે જ પોતાના ધાર્મિક શ્રેષ્ઠ વાહન ઉપર યાવતું આરુઢ થઈ. આરુઢ થઈને જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવી. સતી રાજગૃહ નગરની મધ્યે મધ્યે થઈને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવી. રથમાંથી નીચે ઉતરી જ્યાં માતાપિતા હતા ત્યાં આવી. જમાલિની જેમ બે હાથ જોડી દીક્ષા લેવાની રજા માગી. ત્યારે માતાપિતા બોલ્યા કેહે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. ત્યારપછી તે સુદર્શન ગાથા પતિએ વિસ્તારવાળું અશન, પાન, ખાદિમ એ ચાર પ્રકારનું ભોજન તૈયાર કરાવ્યું. તૈયાર કરાવીને મિત્ર જ્ઞાતિ વિગેરેને આમંત્રણ કર્યું. આમંત્રણ કરીને યાવતુ તેમને જમાડયા. ભોજન કર્યા પછી તેમની દીક્ષાને માટે અનુમતિ લઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્રપણે ભૂતા દારિક માટે હજાર પુરુષોએ વહન કરવા લાયક શિબિકાને લાવો. લાવીને પાવતુ આ મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ ભૂતા. દારિકને સ્નાન કરેલી યાવતું. શરીરે વિભૂષિત થયેલીને હજાર પુરુષોથી વહન થતી શિબિકા ઉપર ચડાવીને મિત્ર, જ્ઞાતિ વિગેરે પરિવાર સહિત યાવતુ વાજિત્રના શબ્દ સહિત રાજગૃહ નગરની મધ્યે મધ્યે થઈને જ્યાં ગુણશીણ ચૈત્ય હતું, ત્યાં આવ્યો. આવીને તીર્થંકરના છત્રાદિક અતિ. શયો જોયા. જોઈને શિબિકાને સ્થાપના કરી. સ્થાપના કરી. સ્થાપન કરીને ભૂતા દારિકને શિબિકા ઉપરથી નીચે ઉતારી. ત્યારપછી તે ભૂતાદારિકને તેના માતાપિતા આગળ કરીને જ્યાં શ્રી પાર્શ્વનાથ અહંન પુરુષાદાનીય હતા ત્યાં આવ્યા. આવીને ત્રણવાર વંદના કરી, નમસ્કાર કર્યો. વિંદના નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા-આ પ્રમાણે નિશે હે દેવાનુપ્રિય ! આ ભૂતા દારિક અમારે એક જ પુત્રી છે. તે આ હે દેવાનુપ્રિય ! સંસારના ભયથી ઉદ્વેગ પામી છે, ભય પામી છે, ભય પામી છે, તેથી યાવતુ દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડ થઈ યાવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org