________________ રિ૮૪] नमो नमो निम्मत सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ܬܙܠܙܠܙܕܢܕܢ ܢܕܣܕܣܣܣܢ ܬܟܚܠܪܦ 22222222222222 કપૂવડિસિયાણ S ઉવંગ-૨-ગુર્જરછાયા - અધ્યયન-૧પદ્મ:- ) [1] જો હે ભગવાન! યાવતું મોક્ષને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ઉપાંગને વિષે નિરયાવલિકા નામના પ્રથમ વર્ગનો આ તમે કહ્યો તે અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! કલ્પાવતંસિકા નામના બીજા વર્ગના શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રીમહાવરસ્વામીએ કેટલાં અધ્યયન કહ્યાં છે? ભગવંતે દશ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે-પદ્મ 1, મહાપદ્મ 2, ભદ્ર 3, સુભદ્ર 4, પદ્મભદ્ર 5, પદ્મસેન 6, પદ્મગુલ્મ 7, નલિનીગુલ્મ 8, આનંદ 9 અને નંદન 10, જો હે ભગવાન! શ્રમણ ભગવાન થાવત સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કલ્પાવતસિકાના દશ અધ્યયનનો કહ્યાં છે, તો હે ભગવાન! કલ્યાવર્તાસિકાના પહેલા અધ્યયનનો શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કયો અર્થ કહ્યો છે! . આ પ્રમાણે નિશે હે જંબૂ ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કુણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુણિક રાજાની લધુમાતા કાલી નામની દેવી હતી. તે કાલી દેવીનો પુત્ર કાલ નામનો કુમાર અતિ કોમલ અંગવાળો હતો. તે કાલકુમારને પદ્માવતી નામની દેવી હતી. તે અતિ કોમલ અંગવાળી વાવ, વિચરતી હતી. ત્યારપછી તે પદ્મા વતી દેવી એદકા કદાચિતુ તે તેવા પ્રકારના અંદરના ભાગમાં વિચિત્ર પ્રકારના ચિત્ર વાળા વાસગૃહમાં સુખે સુતી સતી યાવતું સ્વપ્રમાં સિંહને જોઈ ગઈ. એ જ પ્રમાણે મહા બલની જેમ જન્મ જયંત કહેવું, યાવતુ તેણીએ પુત્ર પ્રસવ્યો તે બાલકનું આ પ્રમાણે નામ પાડ્યું.-જે કારણ માટે અમારો આ બાલક કાલકુમારનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ છે તેથી અમારા આ બાળકનું નામ પદ્મકુમાર હો. બાકીનો સર્વ અધિકાર મહા બલની જેમ કહેવો. તેને આઠ કન્યાઓ પરણાવી, આઠ આઠનો દાયજો આપ્યો,યાવતુ તે શ્રેષ્ઠ પ્રાસાદની ઉપલી ભૂમિ પર રહીને વિચારવા લાગ્યો. એકદા શ્રીમહાવીરસ્વામી ત્યાં સમવસર્યો. તેને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા નીકળી. કૃણિકરાજા નીકળ્યો. પત્રકુમાર પણ મહાબલની જેમ નીકળ્યો. દેશના સાંભળીને તે જ પ્રમાણે માતાપિતાની રજા લીધી. યાવતું પ્રવ્રજ્યા લઈ અનગાર થયો. યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયો. ત્યારપછી તે પડ્યું અનગાર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org